ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા.

તમાશબીન આલમબી એવી દોરવાઈ ગઈ હતી કે જરાબી સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી, કાબરાજીના મોઢા ઉપર થતાં ફેરફાર જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજકના ડિરેકટર, એક તરતનીજ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય, એ તો અવધિ થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એ જ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતા કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનેજિંગ ભાગીદાર હતા, તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે, મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વતાચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યું મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે અમે ખેલ કરીયે તો તેથી હમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસ્પ્લેનેડ થિયેટર, નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટરોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહીં કેમ કે એવા ખેલો ગ્રાન્ટરોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા. કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી, તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલેકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સભાસદો વિખેરાઈ ગયા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

    એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…

  • 2017ના વર્ષને વિદાય અને આવનાર 2018નું હૃદયપૂર્વક સ્વાગત

    આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th November – 6th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમિલીમાં જે પણ જરૂરત હશે તે સહેલાઈથી પૂરી કરી શકશો. રોજના કામોમાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. જે પણ ધન મળશે તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરી શકશો તેનાથી શાંતિ મળશે. દરરોજ ‘સરોશ…

  • તેહમુરસ પાદશાહ

    દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે…

  • અનંતની સફરે…

    હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું?…

  • |

    હોળી રંગબેરંગી રંગોનું પર્વ!

    ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. કારણ છે હોળી. ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પણ ભળે છે. આ તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવથી બાકાત છે. આ દિવસ તો દુશ્મનો માટે પણ ગળે મળવાનો દિવસ છે. દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર…