હિંમત ના હારશો એક દરવાજો હમેશા તમારા માટે ખુલ્લો છે

જિંદગી પોતાની શ‚આત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા વિચારો દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ વધારીયે છીએ. જીવનની મુશ્કેલીઓમાંથી આપણે રસ્તો તો શોધી કાઢીયે છીએ પણ મગજમાં જે નકારાત્મક વિચારો છે તે આપણે દૂર નથી કરી શકતા.

ઓશોએ કહ્યું છે કે ‘પ્રકૃતિમાં મુશ્કેલીઓ નથી કારણ પ્રકૃતિ એક સંગીત સમાન છે જે સતત મધુરતાથી ચાલ્યા કરે છે. તમારા અંદરની રહેલી શકિતને તમારી કાબેલિયતને નવી દિશા આપવા માટે પણ કોઈવાર મુશ્કેલીઓ આવે છે જે આપણે સમજી નથી શકતા.

જીવન એ ખુશી અને મુશ્કેલીઓથી ભરેલું એક પ્લેટફોમ છે. ખુશીઓથી આપણે સુખી થઈએ છીએ. પણ મુશ્કેલીઓ આપણને જીવનન જીવવાનું શીખવે છે. જો જીવનનમાં મુશ્કેલીઓ જ નહીં હોતે તો જીવન જીવવાની મજા આવે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અને આપણે તેમાંથી રસ્તો કાઢી તેનું નિદાન કરીયે છીએ ત્યારે આપણે કેટલા ખુશ થઈયે છીએ. જે સફળતા સહેલાઈથી મળી જાય છે તે સફળતામાં એટલો આનંદ નથી મળતો જેટલો તે વસ્તુ મુશ્કેલીથી મેળવીને આપણને મળે છે.

મુશ્કેલીઓ આપણને જીવવાનું શીખવે છે. મુશ્કેલીઓમાં આપણે એવા ધોરણમાંથી પસાર થઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે હું આના કરતા વધારે સા‚ં કરી શકયો હોત અને આના લીધે જ સફળતા તમારાથી દૂર રહેતી નથી. ફકત તમને એક રસ્તો જોઈતો હતો તમારી નિરાશાભરી જિંદગીમાંથી પાછો આવવાનો જે દરવાજો છે તમારી સફળતાનો

કોઈપણ પરિસ્થિતિમાં જડવત બનવા કરતા તમે જે મુશ્કેલીમાં હમણા છો એના માટે સકારાત્મક વિચાર કરો. તમે તમારી મુશ્કેલીઓને પેપર પર લખો અને પછી તે બાબતર પર વિચાર કરો અને આમ કરતા તમને તમારી મંઝિલ સુધી પહોંચવા હજારો રસ્તા મળશે જ‚ર છે સકારાત્મક રીતે વિચારવાની અને તમે જીવનની નિરાશાથી આગળ નીકળી ગયા હશો.

Similar Posts

  • હસો મારી સાથે

    બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે? બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી? બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે. *** બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે?…

  • વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

    અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે. પવિત્ર આતશની જાળવણી કરવા માટે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 August, 2018 – 10 August, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમો વાણીયા જેવા બની જશો એટલે કે તમને જયાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા પોતાના કામો ખૂબ ઝડપથી પૂરા કરી લેશો. કરકસર કરી…

  • સ્પ્રાઉટ પુલાવ

    સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી…

  • અસ્ફંદારર્મદનો પવિત્ર મહિનો

    જેમ જેમ આપણે ઝોરોસ્ટ્રિયન કેલેન્ડરના અંતિમ મહિનાનું આગમન થાય છે તેમ તેમ આ મહિનાના અંતમાં વિદાય પામેલા આપણા પ્રિયની ફ્રવશીને આવકારવા માટે આતુર બનીએ છીએ, ચાલો અસ્પંદારર્મદ અથવા સ્પેન્દારર્મદના મહત્વ પર વિચાર કરીએ – ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો બારમો મહિનો, જે પૃથ્વી ગ્રહના ગાર્ડિયન એન્જલને સમર્પિત છે. આપણે કેવી શ્રેષ્ઠ રીતે અસ્પંદારર્મદને અંજલિ આપી શકીએ? તે વધુ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th October – 15th October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. જે પણ કામ પૂરૂં કરવા જશો તેમાં મુશ્કેલીઓ આવશે. જ્યાં ફાયદો થવાનો હશે ત્યાં નુકશાની આવશે. તબિયત ખરાબ થવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 11, 14,…