હિંમત ના હારશો એક દરવાજો હમેશા તમારા માટે ખુલ્લો છે

જિંદગી પોતાની શ‚આત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા વિચારો દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ વધારીયે છીએ. જીવનની મુશ્કેલીઓમાંથી આપણે રસ્તો તો શોધી કાઢીયે છીએ પણ મગજમાં જે નકારાત્મક વિચારો છે તે આપણે દૂર નથી કરી શકતા.

ઓશોએ કહ્યું છે કે ‘પ્રકૃતિમાં મુશ્કેલીઓ નથી કારણ પ્રકૃતિ એક સંગીત સમાન છે જે સતત મધુરતાથી ચાલ્યા કરે છે. તમારા અંદરની રહેલી શકિતને તમારી કાબેલિયતને નવી દિશા આપવા માટે પણ કોઈવાર મુશ્કેલીઓ આવે છે જે આપણે સમજી નથી શકતા.

જીવન એ ખુશી અને મુશ્કેલીઓથી ભરેલું એક પ્લેટફોમ છે. ખુશીઓથી આપણે સુખી થઈએ છીએ. પણ મુશ્કેલીઓ આપણને જીવનન જીવવાનું શીખવે છે. જો જીવનનમાં મુશ્કેલીઓ જ નહીં હોતે તો જીવન જીવવાની મજા આવે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અને આપણે તેમાંથી રસ્તો કાઢી તેનું નિદાન કરીયે છીએ ત્યારે આપણે કેટલા ખુશ થઈયે છીએ. જે સફળતા સહેલાઈથી મળી જાય છે તે સફળતામાં એટલો આનંદ નથી મળતો જેટલો તે વસ્તુ મુશ્કેલીથી મેળવીને આપણને મળે છે.

મુશ્કેલીઓ આપણને જીવવાનું શીખવે છે. મુશ્કેલીઓમાં આપણે એવા ધોરણમાંથી પસાર થઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે હું આના કરતા વધારે સા‚ં કરી શકયો હોત અને આના લીધે જ સફળતા તમારાથી દૂર રહેતી નથી. ફકત તમને એક રસ્તો જોઈતો હતો તમારી નિરાશાભરી જિંદગીમાંથી પાછો આવવાનો જે દરવાજો છે તમારી સફળતાનો

કોઈપણ પરિસ્થિતિમાં જડવત બનવા કરતા તમે જે મુશ્કેલીમાં હમણા છો એના માટે સકારાત્મક વિચાર કરો. તમે તમારી મુશ્કેલીઓને પેપર પર લખો અને પછી તે બાબતર પર વિચાર કરો અને આમ કરતા તમને તમારી મંઝિલ સુધી પહોંચવા હજારો રસ્તા મળશે જ‚ર છે સકારાત્મક રીતે વિચારવાની અને તમે જીવનની નિરાશાથી આગળ નીકળી ગયા હશો.

Similar Posts

  • તમારા પરિવારનેે સમય આપો!

    મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને…

  • હસો મારી સાથે

    એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે? મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે. **** એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે? તો કહે, મારી વાઈફનાં…

  • યાસ્મિન પાવરીએ સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો

    અમેરિકાના ન્યુ જર્સીના યાસ્મિન પાવરીને ન્યુ યોર્ક સિટી હિમોફીલિયા ચેપ્ટર (એનવાયસીએચસી) દ્વારા 2019 સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુસન ગેલિગન વોલેન્ટીયર એવોર્ડ, ચેપ્ટર અને સમુદાય – બંને પર સૌથી વધુ પ્રભાવ પાડનારા સ્વયંસેવકને આપવામાં આવે છે. ન્યુ જર્સીના એલેનડેલના રહેવાસી, યાસ્મિન જે પતિ સાયરસ અને બાળકો – ફરાહ અને પોરસ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th April – 01st May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ કરતા નહીં. રોજના કામમાં તમારી સાથે કામ કરનારા લોકો તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની તકલીફથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. અંગત માણસો…

  • મુંબઈની મેરેથોનમાં મોબેદજી

    દાદીશેઠ અગિયારી (ફાઉન્ટેન, મુંબઈ)ના પંથકી (મુખ્ય ધર્મગુરૂ) એરવદ જહાંગીરજી મોબેદજી, 50 વર્ષથી વધુ સમયથી અને તેમના પુત્ર યઝદ, અનુક્રમે 2007 અને 2011માં મેરેથોનમાં ભાગ લેતા મુંબઈ મેરેથોનમાં નિયમિત સહભાગી રહ્યા છે. પિતા-પુત્રની જોડીએ તાજેતરમાં મુંબઈ મેરેથોનની 2023ની આવૃત્તિ પૂર્ણ કરી, રમત પ્રત્યેના તેમના દૃઢ નિશ્ચયને પુનરોચ્ચાર કર્યો. 71 વર્ષીય જહાંગીરજી અને તેમના 40 વર્ષીય યઝદે…