|

ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેમની હાલત ઘણી નાજુક હતી. એમની પત્ની ફિરોઝા તેઓ પણ ઉંઘમાં હતા જ્યારે આ ઘટના થવા પામી હતી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સુધરી રહી છે. એમના પાળેલા કુતરાએ પણ પોતાનો જાન ગુમાવ્યો હતો. તેમના ઘરમાં લગાવેલા એસીમાં આગ લાગતા આ બનાવ બન્યો હતો.

ડો. કાવારાણાનો દીકરો અને તેમની પુત્રવધુ પણ સાથે જ રહેતા હતા. તેઓ બચી ગયા હતા પણ તેઓ તેમના માતા-પિતાને બચાવી શકયા નહોતો. આગને ચાર કલાક  પછી ઓલવવામાં આવી હતી. પોલિસોના ધ્યાનમાં આવતા તેમના બિલ્ડિંગના લોકોને આગની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બારીઓ તોડી ડો. કાવારાણાને બચાવ્યા હતા.

ડો. કાવારાણા ડોકટર ફેમિલીમાંથી છે  અને 1966માં ડો. કાવારણા ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી ગ્રેજયુએટ થયા હતા. 1970માં ઓર્થોપેડિક સર્જરીમાં તેમણે માસ્ટર્સ મેળવી હતી. એમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલ, પારસી જનરલ હોસ્પિટલ અને જૈન ગ્રુપની હોસ્પિટલોમાં કનસલ્ટિંગ ઓર્થોપેડિક ડોકટર તરીકે સેવા આપી હતી.

ડો. કાવારાણાને 1984માં રોટરી કલલબમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 1995માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

Similar Posts

  • ગવ-પત-શાહ (ગોપતશાહ)

    આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….

  • Mauthausen Memorial

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]On this very day, 1st September, 1939, seventy-nine years ago, Hitler invaded Poland, and this invasion sparked the Second World War. On Sunday, 2nd September, 1945, seventy-three years ago, this most terrible war ever ended leaving in its wake, death of a million plus soldiers, and an equally large number of civilians killed……

  • ‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

    તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ…

  • Meherbai’s Week That Was

    Meherbai and Meherwanji were invited to a leading Fashion Show and arrived at the venue with great enthusiasm. However, once the show started, their enthusiasm was short-lived. This is what happened… Meherbai: Meherwanji, what are these girls wearing in the name of fashion? I have never seen more bizzare outfits in my life! One Chibavli Chakli is wearing…