પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

નવું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ધાનદાર સાથે મચ્છીનો પાટિયો નહીં તો તળેલી મચ્છી હોય જ છે. તમે ઉદવાડા જાવ ને બોઈ ની મચ્છી નહીં ખાવ તો કેમ ચાલે?

લગન  અને નવજોતમાં ખાસ કરીને આપણે સાસની મચ્છી અને પાત્રાની મચ્છી ખાવાજ જઈએ છીએ. તેટલું જ નહીં પણ મીઠાસમાં પણ આપણી પસંદ ‘માવાની બોય’ હોય છે. તો એવું શું છે કે આપણે મચ્છીને સગનની મચ્છી માનીએ છીએ.

આ સમજવા માટે આપણને પહેલા માછલીના રહેઠાણ વિશે જાણવું પડશે. માછલીનું જીવન એટલે પાણી અને પાણી એટલે જ્ઞાન સાથે અંતરનો મેલ માને છે. પાણી અને પ્રજનન શક્તિ અને જન્મ આપવો એ બન્નેનો સાર છે. જરથોસ્તી ધર્મમાં આવાં અરદવિશુર અનાહિતા પાણીની દેવી જન્મ આપનાર સ્ત્રીને આશિર્વાદ આપે છે. પાણીથી જ જીવન છે આ કહેવત ખાલી ધાર્મિક નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ માન્ય છે. આ બધી તાકત જે પાણીમાં છે તે માછલીઓમાં પણ છે એવી માન્યતા છે. માછલીની અસંખ્ય પ્રજાતિઓ છે.  જેમાં પ્રજનન ક્ષમતા, મરણોત્તરજીવન રચનાત્મક, સ્ત્રીત્વ, ફોર્ચ્યુન, સુખ, જ્ઞાન અને પરિવર્તન જે સામાન્ય રીતે પ્રાણીમાં કેટલાક મુખ્ય સાંકેતિક અર્થ છે.

ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓમાં માછલીને પવિત્ર ગણવામાં આવતી હતી. જ્યાં તે પરિવર્તન અને પરિવર્તનના પ્રતિકાત્મક અર્થનું આયોજન કર્યુ હતું. અમે એફ્રોડઈટ અને હેરોસના પૌરાણિક કથામાં આ જોયું છે. જ્યારે તેઓ ભયંકર ટાઈફોનથી બચવા પોતે માછલી બની જતા હતા. ખિસ્તી ધર્મમાં બાઈબલની વાર્તાઓમાં માછલીઓમાં જોવા મળતી વિપુલતા એ તેમના વિશ્ર્વાસનું પ્રતિક છે.

ભારતીય પૌરાણિક કથાઓમાં માછલી રૂપાંતર અને બનાવટનું પ્રતિક છે. આ પૌરાણિક કથામાં જોવા મળે છે. જેમાં વિષ્ણુ એક મહાન પૂરથી દુનિયાને બચાવવા માટે પોતાને માછલી (મત્સય અવતાર)માં રૂપાંતરિત કરે છે. આ સ્વરૂપમાં તેમણે મનુની હોડીમાં જેમા બચેલા જીવના બીજ સમાવિષ્ટ છે અને પૂર શાંત થયા પછી ફરી વિશ્ર્વ બનાવવાની તક આપે છે. આ કથા નોવાસ આર્કને શાહ જમશીદના વાર  સાથે મેલ ખાય છે.

ચાઈનામાં માછલી એકતા અને વફાદારીનું સાંકેતિક છે કારણ કે એ નોંધવામાં આવ્યું છે કે માછલી  ખાસ કરીને જોડીમાં એક સાથે તરી જાય છે આને ધ્યાનમાં રાખી વફાદરી અને સંપૂર્ણ સંઘની શુભ નિશાની  સાથે નવા લગ્ન કરેલ દંપતિને આર્શિવાદ અને માછલીને પૂતળાના રૂપમાં ભેટ તરીકે આપવામાં આવે છે. તેઓ પ્રજનન અને વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે તેમનામાં ઝડપથી પ્રજનન કરવાની ક્ષમતા છે.

બૌધ્ધ ધર્મમાં માછલીને સુખ અને સ્વતંત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. અને માછલીને બુધ્ધની આઠ સંજ્ઞાઓ (અષ્ટમંગલા)તરીકે ઓળખવામાં આવે છે. જયારે નોર્સ અને પ્રાચીન યુરોપિયન સંસ્કૃતિમાં માછલી અનુકૂલનક્ષમતા, નિર્ધારણ અને જીવનના પ્રવાહનો સાંકેતિક અર્થ છે. સેલ્મોનને સામાન્ય રીતે તેમની વાર્ષિક તીર્થ યાત્રામાં તેમના નિર્વાહ માટે તેમના આશ્રય સ્થાન માટે આદરણીય છે.

આખી દુનિયામાં માછલીને પવિત્ર અને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. માછલીની રચના કુદરતી વિશ્ર્વના સૌંદર્ય અને વિપુલતાના પ્રતીક તરીકે સાર્વત્રિક અપીલ ધરાવે છે. આજે પણ, તેહરાન (ઈરાન) નજીક રાય ખાતે આવેલા એક પ્રાચીન સાસાનિયન મંદિરના ખંડેરોમાં, એક મંદિરની દિવાલોની પ્રશંસા કરતા ઉત્કૃષ્ટ માછલી પ્રતીકો જોઈ શકીયે છીએ. સાયરસ ધ ગ્રેટના મહેલના ખંડેરોમાં, એક ગ્રેટ કિંગની મૂર્તિ માછલી પ્રજાતિનો મુગટ પહેરેલો જોઈ શકીયે છીએ. સાયરસ મિસરના ફારુન હતા અને પ્રાચીન ઇજિપ્તવાસીઓ નવજીવનના પ્રતીક તરીકે તિલીપિયા માછલીના ચિત્રોનો ઉપયોગ કરતા હતા. મહારાષ્ટ્રના મહાસાગરના ખંડેરોમાં એક માણસ જેનો એક પગ માછલીની પૂછડીના રૂપમાં જોવા મળે છે. આજની તારીખમાં પણ ઈરાની અને જરથોસ્તીઓ નવરોઝના ટેબલ પર જીવંત ગોલ્ડફિશનો વાટકો રાખે છે. ઝોરાસ્ટ્રિયન મિસ્ટિકમાં માછલી અંધારામાં પણ પદાર્થનો સૌથી નાનો ભાગ જોઈ શકે છે.

નવસારીના પ્રથમ દસ્તૂર

મેહરજીરાણા રહસ્યવાદી દસ્તૂર અઝાર કૈવાનના શિષ્ય હતા.

દસ્તુર કૈવાન અને મહેરજી રાણા બ્રહ્માંડમાં રહેલ અંધકાર જે આપણે જોઈ શકતા નથી પણ  આધ્યાત્મિક શક્તિઓના લીધે તેઓ જોઈ શકતા હતા.

માછલીઓ ખાસ કરીને જેમ જ્ઞાન, ફળદ્રુપતા, કાયાકલ્પના રૂપ સમાન છે તેવી જ રીતે  આ વર્ષ પારસી સમુદાય માટે

શુભદાયી જાય.

Similar Posts

  • Update: Parsi Gate – Coastal Road Project

    As per some of the latest news reports, the Brihanmumbai Municipal Corporation (BMC) is reviewing an alternative plan for the construction of a ramp for an underground tunnel in the ongoing coastal road project, and has reserved a spot just where the Parsi Gate structure stands at the Marine Drive. In January community members had…

  • UNION BUDGET 2022: Impact On Personal Taxation

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Khushroo B. Panthaky is a Mumbai-based Chartered Accountant, with 37 years of professional expertise. [/otw_shortcode_info_box] The much-awaited Union Budget 2022 provides an impetus for economic growth. It emphasises on planned urbanisation, domestic manufacturing, digitization and rural upliftment, which would ultimately lead to accelerated economic growth. The fiscal deficit should eventually consolidate, given…

  • |

    મેષ: અ.લ.ઈ.

    મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો વધી જશે   તમે ચિડિયા સ્વભાવના બની જશો. ભાઈ-બહેનોની સાથે નાની વાતમાં મતભેદ પડશે.  તમારી કહેલી વાત બીજાને સાચી નહી લાગે. જમીન મિલકતના કામોથી દૂર રહેજો. ઘરમાં કોઈક ખોટા ખર્ચ થશે. ૨૪મી જુલાઈ સુધી વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો. શુકનવંતી…

  • XYZ Now In Pune

    After completing two successful sessions at Bund Gardens and Petit School in Pune, Xtremely Young Zoroastrians (XYZ) inaugurated  a new  chapter, Pune’s ‘Vistasp’s Viking’s’ on 20th August, 2017 at the Lulla Nagar Parsi Colony, Pune. XYZ Founder, Hoshaang Gotla met with parents and started the day with a prayer, followed by tots between four to fourteen…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05th December – 11th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનથી કોઈ ધર્મ કે ચેરીટીનું કામ કરી શકશો. અંગત વ્યક્તિને તમારાથી બનતી મદદ કરી શકશો. ગુરૂની કૃપાથી તમે નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. ઈનવીઝીબલ હેલ્પ મળવાના ચાન્સ છે. ઘરવાળા તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર…

  • Team Committed To Community

    Hoshang J B Jal Committed as your ‘Full Time Trustee’, assuring unconditional availability all through the week. A meritorious career spanning 35 years in the Indian Civil Service (IRS) as Asst. Commissioner, felicitated with the prestigious Presidential Award for ‘Specially Distinguished Record of Service’. Areas Of Focus: Protection of Sacred Doongerwadi Land; Re-examine and resolve…