નહેરૂજીનો બાળપ્રેમ

પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે પંડિત જવાહરલાલ નહેરૂ  ભારતના વડાપ્રધાન હતા અને ત્રણ મૂર્તિ ભવન તેમના સત્તાવાર નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એક દિવસ નહેરૂજી પોતાના બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે તેમને એક બાળકના રડવાનો અવાજ આવ્યો તેમણે જોયું તો એક 3-4 મહિનાનું બાળક રડી રહ્યુ હતું. તેમને લાગ્યું કે માળી સાથે તેની પત્ની કામ કરવા આવી હશે અને આ બાળક તેમનું હશે. પરંતુ આસપાસ કોઈપણ દેખાયું નહીં.

બાળકે ચાચા નેહરૂને જોઈ પોતાનું રડવાનું વધુ જોરમાં શરૂ કર્યુ. નહેરૂજીથી આ જોવાયું નહીં અને બાળકને તરત ઉંચકી લીધું અને તેને થપકારવા માંડયું. બાળક તરત શાંત થઈ ગયું અને નહેરૂજીને જોઈ હસવા માંડયું.

તેટલીવારમાતેની મા દોડતી આવી અને પોતાના બાળકને નહેરૂજીના હાથમાં રમતા જોઈ તેને આશ્ર્ચર્ય થયું.

એકવાર પંડિત નહેરૂ તામિલનાડુના પ્રવાસે ગયા. તેઓની ગાડી જ્યાથી પસાર થતી હતી ત્યાં માણસો તેમને જોવા ઉભા રહી જતા કોઈ દીવાર પર કોઈ સાયકલ પર દરેક જણ નહેરૂજીને જોવા ઉત્સુક હતા હતા. આવીજ રીતે એક માણસ રંગ બેરંગી ફુગાઓ લઈ પોતાની એડીઓ પર નહેરૂજીને જોવા ઉંચો નીચો થતો હતો સાથે સાથે તેના ફુગાઓ પણ જાણે નહેરૂજીને જોવા ઉપર નીચે થતા હતા આ દેખાવ નહેરૂજીને ખુબ જ ગમ્યો.

તેઓએ પોતાની ગાડી ઉભી રખાવી અને તે ફુગાવાળા પાસે ગયા. ફુગાવાળો તેમને જોઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયો.

નહેરૂજીએ તેમના સચિવને કહ્યું કે બધા ફુગા ખરીદી અહીં જેટલા બાળકો છે તેમને વહેંચી દો. બધાજ બાળકો ફુગા લઈને ચાચા નહેરૂ, ચાચા નહેરૂની બૂમો પાડવા લાગ્યા અને ત્યારથી જ નહેરૂજીને લોકો ચાચા નહેરૂ કહેવા લાગ્યા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20th June – 26th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા હાથમાં અગત્યના કામો હોય તે 25મી સુધી પૂરા કરી લેજો. ઘરવાળાને નારાજ કરતા નહીં. જોઈતી વસ્તુ ઘરમાં વસાવી લેજો. 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા ખૂબ પરેશાની આપશે. દરરોજ 34મુ…

  • ધર્મગુરૂઓની સાચવણી

    સંજાણના ડબ્લ્યુઝેડઓના સેનેટોરિયમ ખાતેના શાંત અને સુંદર લેન્ડસ્કેપની સીમમાં, શહેરની ધમાલથી દૂર, સશક્તિકરણ મોબેદસ (ઇએમ) ટીમે તેનો બીજો ઓફ-સાઇટ તાલીમ કાર્યક્રમ 15-16 ફેબ્રુઆરી, 2020 ના રોજ યોજ્યો હતો. દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) ના વરિષ્ઠ મોબેદ અને યુવાન ઉભરતા મોબેદોના સંમિશ્રણમાં કુલ 28 લોકોએ ભાગ લીધો હતો. જૂથમાં ત્રણ પિતા-પુત્રની જોડીની હાજરી એ કેક પરનું આઈસીંગ…

  • The Cynic At War With The World

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] The cynic harps upon the woeful in life and habitually grumbles and groans that this is the world of vanity and woe. Some unskilful god has created this…