ઝાન 2017એ સફળતા પ્રાપ્ત કરનાર લોકોના સન્માનમાં ચાર ચાંદ લગાવ્યા!!

10મી નવેમ્બર 2017ની સંધ્યાકાળે પારસી/ઈરાની જરથોસ્તી સમુદાય સાઉથ મુંબઈના ગરવારે કલબમાં એકઠા થયા હતા.

પારસી અચીવર્સ એવોડર્સ નાઈટ 2017ની (ઝાન 2017) ઉજવણી ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા દ્વારા પારસી/ઈરાની જરથોસ્તીઓને ઉત્કૃષ્ટ સિધ્ધિઓને માન આપવાના હેતુથી રજૂ થઈ હતી. જેઓની સિધ્ધિઓને લીધે આપણે તેમને અલગથી ઓળખી શકીયે છીએ જેનાથી આપણા જરથોસ્તી ઝંડાને હમેશા ઉચ્ચ સ્થાને લહેરાવી શકીએ છીએ. ઝાન એ ઝેડટીએફઆઈનો મુખ્ય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની આગેવાની ઝેડટીએફઆઈના ગતિશીલ ટ્રસ્ટી યાસ્મિન મિસ્ત્રી, ચેરપર્સન માણેક એન્જિનિયર, ઝરી જહાંગીરજી, કેરસી રાંદેરિયા, ઝર્કસીસ માસ્તર દ્વારા આગેવાની લેવાઈ હતી. વિજેતાઓને પસંદ કરવાના મુશ્કેલ કાર્યને પરિપૂર્ણ ઝાન 2017 જ્યુરી દ્વારા લેવામાં આવ્યું હતું જેમાં હોમાઈ દારૂવાલા, બર્જીસ દેસાઈ અને સામ બલસારાનો સમાવેશ થાય છે.

આકર્ષક લાગતા યાસ્મિન મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘હું માનું છું કે પ્રત્યેક સિધ્ધિમાં તફાવત છે અને કોઈપણ પ્રાપ્તકર્તા ધ્યાનબહાર ન જવું જોઈએ. આજની રાત, અમે અમારા સમુદાયના અગ્રણી સભ્યોની સિદ્ધિઓ અને સફળતાની ઉજવણી માટે તથા સૌથી અગત્યનું, અમારા સફળકર્તાઓને સન્માનિત કરવા માટે ભેગા થયા છે.

ઝેડટીએફઆઈ અને જોઈન્ટ એમડી માસ્તર ગ્રુપ ઓફ કંપનીના જોઈન્ટ એમડી ઝર્કસીસ માસ્તરે કાર્યક્રમની શરૂઆત કરી. સમુદાય અને સિધ્ધિઓની પ્રશંસા કરી તથા ભારતના પારસી ટ્રસ્ટ ફંડસ સાથે ટ્રસ્ટી તરીકે તેમના નવવર્ષના પરિપૂર્ણ અનુભવો વહેંચ્યા હતા. ચીફ ગેસ્ટ નાદિર ગોદરેજને યાસ્મિન મિસ્ત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. નાદિર ગોદરેજે આ કાર્યક્રમ માટે એક ખાસ કવિતા લખી હતી જે બધા સામે પોતાના અલગ અંદાજે રજૂ કરી હતી. કાર્યક્રમનું ખાસ ધ્યાન ખેંચે તે બાબત ઝાન 2017નો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ નાદિર ગોદરેજના હસ્તે પારસી થિયેટરના જાણીતા અભિનેતા દિન્યાર કોન્ટ્રેકટરને આપવામાં આવ્યો હતો.

ઝાન 2017થી અમારા સમુદાયમાંથી સત્તર અચીવર્સઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં નીચે મુજબના સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ત્રણ નવી ઓળખોને પણ રજૂ કરવામાં આવી હતી.

આ અકલ્પિત તારાઓથી ભરપૂર રાતનો યાસ્મીન મિસ્ત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 April, 2018 – 13 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયુંજ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડિયામાં અપોજીટ સેકસ સાથે સારા સારી રહેશે. લોકો તમારા ખરાબ સમયમાં સાથ આપશે. ઉતરતી શુક્રની દિનદશામાં તમારા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો નહીં તો આવતા અઠવાડિયાથી સુર્યની દિનદશા તમારા કામ બગાડી નાખશે….

  • A Mother’s Garden

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Meher Master is a brilliant banking professional, but her heart is ruled by her passion for writing. Though writing transports her to her state of ‘happy happy’, her words and her thoughts connect with people on a deep, human level. A talented and published writer, Meher roots for aesthetic living with free will….

  • ગુંદર પાક

    સામગ્રી: 100 ગ્રામ ગુંદર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ ઘી, 200 ગ્રામ માવો, 2 કપ ખાંડ 1/2 કપ પાણી, 1/2 ચમચી ઈલાયચી પાવડર સજાવટ માટે: 6-7 કાપેલી બદામ, 6-7 કાપેલા પિસ્તા, 6-7 કાપેલા કાજુ 1 મોટી ચમચી નારિયેળનું છીણ. ગુંદરપાક બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ…

  • 98th Annual Day of Dadar Athornan Institute

    The Dadar Athornan Institute commemorated its 98th Annual Prize Distribution ceremony and the 100th birth anniversary of its Ex- Principal Late Er. Rustomji Noshirwan Panthaki, on 10th December 2017, at the Mancherji Joshi Hall, with Principal of JB Vachha High School, Bannu Makoojina as the Chief Guest. Attended by President of the Athornan Mandal, Vada…

  • ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

    તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ…