અમદાવાદ પારસી પંચાયતે ઉજવેલો સફળ ગંભાર

અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ બીપીપીના ચેરમેન યઝદી દેસાઈ હતા. એપીપીના પ્રેસિડન્ટ બ્રિગેડીયર જહાંગીર અંકલેસરિયાએ બપીપીના ચેરમેન વિશે ટૂંકમાં જણાવી ઈનામ વિજેતાઓની સિધ્ધિઓની પ્રશંસા કરી હતી અને આશા રાખતા હતા કે યુવા પેઢીઓ આ પુરસ્કારથી પ્રેરણા લેશે અને ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરશે સાથે જણાવ્યું કે એપીપી આવનાર વર્ષોમાં પણ યુવાનોને પ્રોત્સાહન આપશે.

માનવીય અંકગણિતથી લઇને સ્કેટિંગ, સાહિત્યથી વાણિજ્ય સુધીના તથા ડોક્ટરેટ અને સીએ સહિતના ક્ષેત્રોમાં સમાજના યુવાનોને લગભગ 35 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. મઝદા લિમિટેડના સોહરાબ મોદી અને ડો. આરમઈતી દાવરને આજીવન અને નિ:સ્વાર્થ સમાજ સેવા માટે પ્રખ્યાત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. એક પુરસ્કાર માત્ર બે વર્ષમાં 100 જેટલા જશન પૂર્ણ કરવા માટે એરવદ વઝાન દસ્તુર અને  બીજો પુરસ્કાર શ્રી અસ્પી હાંસોટીઆને ભૂલથી 7 વર્ષ પહેલાં ચૂકવવામાં આવતી નોંધપાત્ર સર્વિસ ટેક્સની રિફંડ સાથે એપીપીની સહાય કરવા માટે આપવામાં આવ્યા હતો.

બીપીપીના ચેરમેન શ્રી દેસાઈએ ટૂંકુ ભાષણ આપી સમુદાયના સભ્યોને સમુદાયની જાળવણી કરી રક્ષણ આપવા વિનંતી કરી આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં 450 જેટલા હમદીનોએ ભાગ લીધો હતો. ગંભારના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લીધા પછી લોકોએ આ કાર્યક્રમની આવતા વરસોમાં આવી જ રીતે ઉજવણી થાય તેવી ખુશી વ્યકત કરી હતી.

Similar Posts

  • Telangana Minorities Commission Calls For Encroachment Report On Parsi Aram Ghar

    Based on a petition filed by Omim Maneckshaw Debara, the Telangana State Minorities Commission (TSMC) has granted Nizamabad District Administration and Police a month to file a detailed report on the alleged encroachment of the Parsi Aram Ghar, located in Kanteshwar Village, Nizamabad district. As per the petition, the Parsi Aram Ghar, which is spread…

  • તંત્રીની કલમે

    પ્રિય વાચકો, અઢાર મહિનાથી, માનવ જાતિ જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ભયાનકતા સહન કરી રહી છે જેના લીધે જીવન અને આજીવિકાનો નાશ થયો છે જેણે આપણા પ્રિયજનો અને આપણી ખુશીઓ ચોરી લીધી છે. ભૂતકાળની ખોટ અને આપણે હજુ પણ જે ચિંતા સાથે જીવીએ છીએ તે ઘણાને નિરાશ કરે છે, અને કોવિડ પ્રતિબંધોને કારણે વધેલી એકલતા અને…

  • Significance Of Five Gehs

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]PT Reporter Khushroo Mehta catches up with Er. Khoremand Marolia, at Zai Agiary in Bordi, who elucidates upon the importance of the five Gehs in our Zoroastrian religion.[/otw_shortcode_info_box] PT: Could you explain the context behind dividing the day into five Gehs in our religion? Er.  Khoremand: The day has been divided into five gehs…

  • From the Editor’s Desk

    Merry Christmas!   Dear Readers, Today is Christmas eve and many of us blessed with Christian friends and neighbours will receive those yummy authentic, home-made goodies like kal-kals, neureos, bolinhas, etc. along with a generous helping of that show-stopping, special rum-soaked Xmas cake! For the rest, one can always purchase the Christmas specials across various…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…