નીરંગદીનનો ઈજેલો નીરંગ

હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં

(ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે, અને પછી તે ‘આબેઝર’ નીરંગ દીનનાં વધુ ચડતા મરતબાના નામથી ઓળખાય છે અને તેને નીરંગ-ઈ-દીન યાને દીનની મજબૂત શક્તિ યાને અર્ક આખી

જરથોસ્તી દએનની તરીકત તથા ક્રિયાઓ માટેના પાયારૂપી અર્ક અને શક્તિ તરીકે આ નિરંગને એક મજબૂત આલાત (દીની સાધન) તરીકે ઓળખવામાં આવે છે.

આ નીરંગદીન માટેનો તમામ આબેઝર ફકત વરસ્યાજીઓનોજ ચોકકસ તરકીબથીજ ઝીલેલો હોવો જોઈએ કે જેમ હાલમાં ન થતાં રસ્તે ચાલતા અને તેબી વળી ખસી કીધેલા ગોધા અને બળદોનો આબેઝર-ગોમૂત્ર વરસ્યાજીના આબેઝરમાં ભેળ કરવામાં આવે છે કે જેની અસર જેવી જોઈએ તેવી મળતી નથી.

ખસી કીધેલા ગોધાઓનો આબેઝર સાધારણ તરીકતો પાળવામાં વાપરવાનુ

ના રવા ગણેલું છે તો તે નીરંગદીનની મહાન ક્રિયામાં વપરાયજ કેમ? અને આ પ્રમાણેનો નીરંગદીનનો નીરંગ કોઈ વખત બગડી જવાનો સંભવ રહે છે. આ નીરંગદીનનો ઈજેલો નીરંગ મોબેદોને બરશ્નુમ આપવામાં તેમજ નવજોત, લગન અને નહાન લેતી વખતની ક્રિયાઓ વગેરેમાં ફકત પીવાનાજ કામમાં આવે છે.

આ નીરંગદીનનો નીરંગ શરીરે ચોપડવામાં કદીબી વાપરવો નહીં કારણ કે તેમ કીધાથી એ પવિત્ર ઈજેલી ચીજનો ગેરઉપયોગ કીધેલો જરથોસ્તી દએન મુજબ ગણાય છે જેથી ફાયદાને બદલે સામો ગુનાહ લાગે છે. આ

નીરંગદીનનો ઈજેલો નીરંગ ઘણો લાંબો વખત વરસો સુધી તેની મોતેબર ક્રીયાની અસરને લીધે વાસ માર્યા વગર રહે છે અને તેમાં જંતુઓ પડતા નથી, એજ અવસ્તા માંથ્રની મોતેબરી પુરવાર કરવા પુરતી

શાહદત છે.

Similar Posts

  • Covid-19 Vaccination Could Start In January

    Life Could Resume Normally By Oct, 2021 Says Adar Poonawalla A couple of days ago, Pune-based Serum Institute of India (SII) CEO, Adar Poonawalla said that the Covid-19 vaccination drive could likely begin in India by January 2021. SII, which is testing and manufacturing the Oxford-AstraZeneca vaccine candidate, expects to get its Emergency Use Authorisation (EUA) by the…

  • When The Dust Settles!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] And suddenly, just like that, our world has changed! Admittedly, we were all caught unawares. Nothing seemingly relevant or significant other than the…

  • Your Moonsign Janam Rashi This Week –
    18th November, 2017 – 24 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કુટુંબીક વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો મળશે. મળેલા ધનને ઈનવેસ્ટ કરજો. જે બાબતમાં ફાયદો મળતો હશે તે બાબત પહેલા કરજો. નવા કામકાજ કરી શકશો. કામકાજ કરતા હશો ત્યાર માન-ઈજ્જત વધી જશે. હાલમાં દરરોજ ‘સરોશ…

  • સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

    ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા….

  • Masina Hospital Inaugurates Day Care Unit And Lobby

    On the 4th June, 2022, Masina Hospital inaugurated its new Day Care Unit with Operation Theaters and Endoscopy Suites. This marks yet another feather in the cap of the hospital, which has been growing from strength to strength in enhancing its facilities to keep in sync with modern hospitals, over the last few years. The…