કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • પારસી ગેટ મરીન ડ્રાઈવ પરથી સ્થાનાંતરિત કરવામાં આવશે

    30મી જૂન, 2020 ના રોજ, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓના નાના પ્રતિનિધિ મંડળે ટનલ કામ માટે દરિયાકાંઠાના ‘પારસી ગેટ’ (મરીન ડ્રાઇવ, દક્ષિણ મુંબઇ) ધાર્મિક બંધારણના સ્થળાંતર અંગે ચર્ચા કરવા આપણા સમુદાયના થોડા સભ્યો સાથે મુલાકાત કરી. તે તેના મૂળ સ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં દરિયાકાંઠાના રસ્તાની ઉત્તર-બાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. બીએમસી…

  • સાચા તારણહાર

    આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • બુક લોન્ચ: ‘ઓનર બાઉન્ડ’, સરોશ ઝાઈવાલા દ્વારા

    તા. 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ની સાંજે, ભારતીય મૂળના અને લંડન-આધારિત, સરોષ ઝાયવાલા દ્વારા લખાયેલા પુસ્તક ‘ઓનર બાઉન્ડ – ઇંગ્લિશ કોટર્સમાં એક ભારતીય વકીલની એડવેન્ચર’ પુસ્તકનું પ્રેસ લોંચિંગ હતું. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લેખક સાથે ઉપસ્થિત રહેલા અગ્રણી ઉદ્યોગપતિ અદિ ગોદરેજ, આશિસ રે – લંડન સ્થિત બ્રોડકાસ્ટર અને…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે. આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 September, 2018 – 14 September, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા હિસાબી કામ તથા લેતી-દેતીના કામ ધ્યાન આપી પૂરા કરજો. ખરાબ સમય આવશે તેની ખબર હોવાથી તમે કરકસર કરીને ધનને બચાવી લેશો અને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું મન જીતી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’…