કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

    આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે…

  • હસો મારી સાથે

    શાકભાજીવાળો કયારનો ભીંડા માથે પાણી છાટતો હતો, ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો. 10મીનીટ પછી શાકભાજીવાળો બોલ્યો, બોલો સાહેબ શું આપુ? ઘરાક બોલ્યો ભીંડો ભાનમાં આવી ગયો હોય તો 1 કીલો આપી દે.. *** ભૂરો: પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવાની ધમકીઓ આપે છે. પોલીસ: કયાંથી ભૂરો: ઈલેકટ્રીક કંપનીમાંથી પોલીસ: શું કહે છે? ભૂરો:…

  • કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી

    રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર,…

  • સુખી સંસાર!

    એટલે શીરીન તો બધુ કામ છોડીને દાનેશ આગલ દોડી આવી. ને દાનેશને પડેલો જોઈને ગભરાઈ ગઈ. હવે કરે શું? દીનશાહ તો ઓફીસે ગયા હતા પછી શીરીને હિંમત એકઠી કરીને દીનશાને ફોન કરીને ઓફીસેથી બોલાવ્યા. એટલે દીનશાજી પોતાની કારમાં જલ્દીથી ઘેરે આવી ગયા દાનેશને બેફામ પડેલો જોઈને હેબતાઈ ગયા. અરે પણ એ બન્યુ કેમ અરે પણ…

  • અનંતની સફરે…

    હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું?…

  • ટેન ડિગ્રી ચેનલને ક્રોસ કરનાર પ્રથમ કાયકર તનાઝ નોબલ ઇતિહાસ બનાવે છે:

    તનાઝ કે. નોબલ, પોર્ટ બ્લેરના કાયકર, ‘કેનકિંગ’ દ્વારા લિટલ અંદમાન અને કાર નિકોબારની વચ્ચે સ્થિત ‘ટેન ડિગ્રી ચેનલ’ પાર કરનારા પ્રથમ કાયકર બનીને ઇતિહાસ રચ્યો છે. તનાઝે ટેન ડીજી ચેનલમાં 118 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, તે 3 માર્ચ, 2020 ના રોજ સવારે 5:10 વાગ્યે હટબેથી શરૂ થઈ હતી જે બપોરે 3:00 કલાકે ટેન ડિગ્રી ચેનલની…