કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • તમે શું લેવાનું પસંદ કરશો ઉદાસી કે ખુશી?

    વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી  જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે. હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22nd August – 28th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. તમારા અટકેલા કામ ફરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. દરરોજ ‘મહેર…

  • કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

    30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12 May, 2018 – 18 May, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધાજ કામ ખુબ ધીરજ અને શાંતિ રાખીને કરવામાં સફળ થશો. જીવનસાથી મળવાના ચાન્સ છે. ઘરવાળાને મનાવી લેવામાં સફળ થશો. તમારા મનની વાત બીજાને સમજાવવામાં મુશ્કેલી નહીં આવે. મુસાફરી કરી શકશો. શાંતિ મેળવવા 34મુ નામ ‘યા બેસ્તરના’…

  • Your Moonsign Janam Rashi This Week –
    22 January – 28 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા દરેક કામની અંદર રુકાવટ આવતી રહેશે. રાહુને તમારી તબિયતને બગાડી દેતા વાર નહીં લાગે. ખાવા-પીવા ઉપર ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ડોક્ટરની પાછળ ખર્ચ કર્યા બાદ સંતોષ…