કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • પારસી જનરલ હોસ્પિટલ બહારના દર્દીઓ માટે ઓફર કરે છે ડાયાલિસિસ યુનિટ

    10મી ફેબ્રુઆરી, 2022 ના રોજ, ઉદાર દાતા – નેવિલ સરકારી દ્વારા મુંબઈની બી ડી પીટીટ પારસી જનરલ હોસ્પિટલમાં તેમની સ્વર્ગસ્થ માતા – હોમાઈ સરકારીની સ્મૃતિમાં એક નવા ડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી, હોસ્પિટલ પાસે આઈસીયુમાં ડાયાલિસિસ મશીન હતું, જેનો ઉપયોગ માત્ર કિડની નિષ્ફળતાવાળા દર્દીઓની સારવાર માટે જ થતો હતો. બે ડાયાલિસિસ મશીનો…

  • આદિલ સુમારીવાલા સાથે વાર્તાલાપ

    ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ માટેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય / જ્યુરી સભ્ય પીટી: પ્રથમ, અમને જણાવો કે તમે રોગચાળો દ્વારા સમયનો સદઉપયોગ કઈ રીતે કર્યો જ્યારે મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતીે? આદિલ: અમે રોગચાળા દરમિયાન 49 દેશોમાં 2,50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. શરૂઆતમાં, અમારા અભ્યાસક્રમોનો હેતુ…

  • હસો મારી સાથે

    દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી…

  • ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે

    એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્ર્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે. એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્ર્વરે સેવકને કહ્યું, હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું. તને કશુંક વરદાન આપવા માગુ છું. પેલા ભક્તએ કહ્યું, પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો. પ્રભુએ કહ્યું, આમ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 03rd April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની…

  • જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..   તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ…