કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • હસો મારી સાથે

    એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી… એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી…. વિગત આ પ્રમાણે નિકળી:…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 9 July To 15 July 2016

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ‚ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા‚ ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા…

  • રતન તાતા કહે છે કે ભાવિ તાતા ટ્રસ્ટના હેડ તાતા નહીં બને

    (તારીખ) ના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં તાતા ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ રતન તાતાએ કહ્યું હતું કે તાતા ટ્રસ્ટના ભાવિ વડા તાતા નહી હોઇ શકે. ‘હું આ ટ્રસ્ટનો વર્તમાન અધ્યક્ષ બનીશ. ભવિષ્યમાં તે તાતા અટક હોવી જરૂરી નથી, એવું કોઈ બીજું હોઈ શકે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે, જ્યારે આ સંસ્થાઓ ચાલુ રહેશે,’ એમ તેમણે ઇકોનોમિક ટાઇમ્સને…

  • પારસી – એક કાલાતીત વારસો

    તમે જે નોંધ્યું તે પ્રથમ વસ્તુ એ છે કે કેમેરા-ઉસ્તાદ શાંતનુ દાસે આ સંપૂર્ણ ચિત્રોમાં પ્રવેશ કર્યો, જેમણે આપણી ગૌરવપૂર્ણ પારસી સંસ્કૃતિ, પરંપરાઓ અને લોકોના દસ્તાવેજીકરણ માટે, તેમની 20 પ્લસ વર્ષની કુશળતા અને પરિપૂર્ણ તકનીકોમાં ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. મુંબઇ, કોલકત્તા, ઉદવાડા, નવસારી, સુરત, નારગોલ અને સંજાણની મુસાફરી, શાંતનુના લોકપ્રિય ક્લિક્સમાં પારસી સમુદાયની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    29 January – 4 February 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં અગત્યના કામો 4થી શરૂ કરજો. ઉતરની રાહુની દિનદશા તમારા માથા ઉપરનો બોજો ખૂબ જ વધારી દેશે. વિચારોમાં ખોવાયેલા રહેશો. કોઈની સાથે વાતચીત કરવાનું મન નહીં થાય. બાકી 4થી તમારા વર્તનમાં…

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    મારયો તેણીએ પોકાર એક સખ્ત, “અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત! બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત, આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત! બેજનને આપ્યું મારૂં મે દેલ, તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ, તે ખાતર તજ્યાં ખાંન અને પાંન, થાય છે તે આખેર એમ બદ ગુમાંન! બાપ અને ખેશીઓ થયાં બેજાર, રખડી ને રઝળી…