ઝર્કસીસ દસ્તુરે બીપીપીની ચૂંટણી જીતી

રવિવાર, 1 લી જુલાઇના રોજ, મુંબઈના પાંચ કેન્દ્રોમાં (ખુશરૂ બાગ, ખરેઘાટ કોલોની, ભરૂચા બાગ, રૂસ્તમ બાગ અને દાદર) બીપીપીની ચૂંટણી યોજાઈ હતી, મંચેરજી કામાના ટેનીયરના અંતબાદ પાંચ ઉમેદવારો કે જે બેઠક ખાલી થઇ ગઇ હતી તે ટ્રસ્ટીશીપ માટે બીપીપીની ચૂંટણી યોજાઈ હતી. પાંચ ઉમેદવારોમાં અનાહિતા દેસાઈ, ઝર્કસીસ દસ્તુર, રતન પટેલ, એરિક ધતીગરા અને કેરસી સેઠના હતા પણ અનાહિતા અને ઝર્કસીસ મજબૂત દાવેદાર હતા.
ટીમ પારસી ટાઇમ્સ – સંપાદક અનાહિતા સુબેદાર, અગ્રણી સહાયક સંપાદક ડેલાવીન તારાપોર, પત્રકારો ખુશનુમા દુબાશ, બિનાયશા સુરતી અને આવાન નવદારે આખો દિવસ સતત પાંચ સેન્ટરોનું કવરેજ પૂરું પાડ્યું હતું અને અમે અમારા ફેસબુક પેજ પર લોગ થયેલા લોકો તરફથી પ્રોત્સાહિત પ્રતિક્રિયાને અને પ્રસંશા સ્વીકારી હતી.
ચૂંટણીની તૈયારીના મહિના પછી ચૂંટણીનાં પરિણામોમાં ઝર્કસીસ દસ્તુર 2968 મત સાથે વિજેતા જાહેર થયા હતા. જેમાં અનાહિતા દેસાઈ 89 વોટથી પાછળ રહી ગયા હતા. કુલ 6016 મતદારોએ મતદાન કર્યું.
ગુરુવાર, 5 જુલાઇ, 2018 ના રોજ, બીપીપી બોર્ડરૂમમાં નવા ચૂંટાયેલા ટ્રસ્ટી ઝર્કસીસ દસ્તુરે શપથ લીધા હતા. સમારંભમાં ટ્રસ્ટી કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝરીર ભાઠેના, આરમઈતી તિરંદાઝ અને વિરાફ મહેતા, બીપીપી સીઈઓ, કાવસ પંથકી અને અન્ય સ્ટાફના સભ્યોએ હાજરી આપી હતી. બીપીપીના ચેરમેન યઝદી દેસાઇ હાજર ન હતા કારણ કે તેમને ચેન્નાઇમાં તાત્કાલિક બેઠકમાં હાજરી આપવી પડી હતી. ચીફ ઈલેકશન પ્રેસિડન્ટ માહિયાર દસ્તુરે લોકોનું સ્વાગત કર્યુ હતું તથા ઈ.વિ.એમ. મશીન દ્વારા સફળતાપૂર્વક ચૂંટણી પાર પાડનાર અને તકનીકી જ્ઞાનમાં પાવરધા યઝદી તાંતરાને શાબાશી આપી હતી.
ટ્રસ્ટી આરમઈતી દેસાઈએ ફૂલો સાથે ઝર્કસીસ દસ્તુરનું સ્વાગત કર્યુ હતું. ઝર્કસીસ દસ્તુરે તેમના સમર્થન કરનાર અને તેમના માતા-પિતા અને તેમની પત્નીનો આભાર માન્યો હતો.
બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ જણાવ્યું હતું કે, ‘બીપીપીની ભૂમિકા સમુદાયને આગળ વધારવા માટે છે અને આ ફક્ત સંયુક્ત પ્રયત્નો સાથે થઈ શકે છે’.
તેમના પ્રોત્સાહન માટે દરેકનો આભાર માનતા, ઝર્કસીસ દસ્તુરે જણાવ્યું હતું કે, ‘હું મારા વચનનું પાલન કરીશ અને વિશ્ર્વાસ અપાવું છું કે આપણે સાથે મળીને સારું કામ કરીશું,’ જેમાં નોશીર દાદરવાલા ઉમેરે છે કે બોર્ડ તેમને સામૂહિક સમુદાયના ભલા માટે મદદ કરશે.
પારસી ટાઈમ્સ સાથે તેમની યોજના વિશે બોલતા, ઝર્કસીસે જણાવ્યું હતું કે, ‘હું પહેલા બે મહિના બીપીપી અને તેની વર્તમાન સ્થિતિની અંદર જટીલતાને સમજવામાં વીતાવીશ. બોર્ડના પક્ષો બધા એક ધ્યેય તરફ કામ કરશે, જે હશે આપણા સમુદાયની સુધારણા. હું બીપીપીની નાણાકીય બાબતોનો અભ્યાસ કરવાનો છું અને પછી સમુદાયને બીપીપીના નાણાકીય સ્વાસ્થ્ય માટે અને અમે તેની સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ, તેનાથી સેવાના ચાર્જમાં ઘટાડો કરીને લાભાર્થીઓ પરનો બોજો ઘટાડવા હું આતુર છું. મારો ઉદ્દેશ તમામ કામગીરી પારદર્શક બનાવવાનું છે, હું યુવાનો અને આપણા વડીલોને સારૂં ભવિષ્ય આપવા માંગુ છું. હું ચોક્કસપણે હકારાત્મક અભિગમ સાથે અને બાકીના ટ્રસ્ટી મંડળના ટેકા સાથે, આપણી નવી પેઢીઓને વધુ સારૂં ભવિષ્ય આપવા એક રચનાત્મક ટીમ તરીકે કામ કરશું.’

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *