મરણબાદ ડુંગરવાડીની બંગલીઓના ખાસ ઉપયોગ માટે સહેજ ખુલાસો

ઘરમાં માસિક માંદગીની હાલત ઘણા મોટા ભાગે નહીં પળાતી હોવાને લીધે, તેમજ એકજ ઘરમાં બીજી કોમના લોકો સાથે વસવાથી મરણ વખતે ઘેરમાં સચકાર વિગેરેની ક્રિયા દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં એ તો સર્વને જાણીતું છે અને જો તે જાણવા છતાં કરે તો ઘણો મોટો ગુનાહ લાગે અને કીધેલી ક્રિયાની અસર રવાનને બરાબર ન મળતા તેને ધુજારો થાય છે. આ કારણને લીધેજ ડુંગરવાડી પર મરણની ચાર દીવસની સંપૂર્ણ ક્રિયા બને તેટલી તરીકત પ્રમાણે પવિત્રાઈથી કરવા માટે આપણી કોમના સખી ગૃહસ્થોએ મહેરબાની કરી બધી ખપજોગી બને તેટલી સગવડો સાથે બંગલીઓ બાંધી આપી છે તેનો ખાસ ઉપયોગ કરવો એ હાલનાં ઘરોની કઢંગી હાલત જોતા ઘણે દરજજે સારો છે. કોઈ બંગલીઓનો માત્ર રવાન અવલ મંજલ થાય તેટલો વખતજ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને રાતનું સરોશનું પાતરૂં, પાછલી રાતનું ઉઠમણું વગેરે ક્રિયા બહાર પાક મકાનોમાં યા બીજી ગમ કરવામાં આવે છે. જે તદ્દન
નારવા છે.
આપણામાં એવું દીની ફરમાન છે કે જ્યાં દૂર બેસવાની હાલત તદ્દન નીચે જ ભોયતળિયે પળાતી હોય ત્યાંજ તેવાં મકાનોમાં તે જગ્યાએથી થોડે દૂર મરણની ચાર દિવસની ક્રિયા કરી શકાય. હવે રવાનના સચકારવાલી તેના માથાં આગળની જગ્યા આગળ જ મરણ પછી ઉરવાન ચેહારમની બામદાદ સુધી થોભે છે અને ચેહારમની બામદાદેજ તે ત્યાંથી ઉપલી આલમમાં નેમેલા વખતે કુચ કરે છે. માટે સચકારવાલી જગ્યાએ જ્યાં ઉરવાન રહેલું છે ત્યાંજ બધી ચાર દિવસની સંપૂર્ણ ક્રિયા જરૂર થવીજ જોઈએ નહીં તો ત્યાં થોભેલા ઉરવાનપર ક્રિયા વગર દરૂજી શક્તિનો હુમલો ઘણો જોરમાં વધી જાય છે. અને તે રવાન નહી ખમી શકાય તેવા ઘણા મોટો ધુજારામાં પડે છે. જેનું આપણને બીલકુલ ભાન થતું નથી. માટે ગુજર પામનાર રવાનના ખરા પ્યાર અને તેની તરફની ભલી લાગણીને ખાતર અને તેને આપણાથી છેલ્લી વખતે છુટા પડતી વખતે જરૂર માનની નજરથી જોઈ ને રવાનને બને તેમ જરાબી અડચણ ન પુગાડતા જરૂર તેનો સચકાર થયો હોય ત્યાંજ બધી ચાર દિવસોની સંપૂર્ણ ક્રિયાઓ રવાનને ખાતર આપદાઓ પણ થોડી ખમી કરાવવાની ઘણીજ નમ્ર અરજ કરવામાં આવે છે. આપણા લોકો પોતાની સગવડને ખાતર રવાનને હાડમારી તેમજ ધુજારામાં મૂકીને દુખરી કરીને પાક મકાન વગેરેનો આશરો લઈ ત્યાં ચેહારમ સુધીની ક્રિયા કરાવે છે એ નારવા અને ગુનાહભરેલું છે. બુજું એ કે ડુંગરવાહી પર રવાનને કોઈબી જગ્યાપરથી લઈ જવાદું હોય ત્યારે પારસીથી હંકરાતી ગાડી યા મોતોરમાં તેને મૂકી ઘેરના યા કોઈબી બીજા બે હમદીનોએ રૂમાલથી પેવંદ થઈ જોડાઈને તે રવાનને અડકીને ‘અષેમ વોહુ’ ભણતા સચક્ાર થાય ત્યાં સુધી સાથે રહેવું.
બીજું એકે રવાનની લાશને એક વખત ગેહસારણાની ક્રિયા કીધા પછી તેને હમદીનથી હંકરાતી ગાડી યા મોટોરમાં કદીબી ઠેકાણે પાડવાની જગ્યા આગળ લઈ જવી નહીં. એના કરતા બેહતર છે કે હમદીનથી હકરાતી ગાડીમાં લાશને દોખમા વગેરેની જગ્યા નજદીક લઈ જઈ ત્યાંજ એલાહેદી રાખેલી જગ્યા પર સચકાર કરી ગેહસારણું કરી રવાનને હાથે જ ઉચકી ઠેકાણે પાડવું. આ કાયદો પરદેશ રહેતાં હમદીનોએ પણ ખાસ ધ્યાનમાં રાખવો કે જ્યાં વળી દોખમાં યા ચોતરા જેવું કશું હોતું નથી. મરણબાદ આપણા રવાનનો ઘયતી રીતે દોખમામાં ઠેકાણે પડવાનો રખડાત નહીં થાય તે માટે દરેક જણે ખૂબ બને તેટલી કાળજી રાખી જ્યાં ઘટે ત્યાં વસવાટ કરવો ઘણો જરૂરનો છે યાને જ્યાં દોખમું હોય ત્યાંજ વસવું સારૂં છે.

Similar Posts

  • |

    મારૂં વીતેલું વર્ષ

    નવરોઝની સાંજે ઘરના બધાજ કામ આટોપી નિરાંતે રોશનીએ અહુરમઝદને દિવો કરતા પોતાના ગયા વર્ષના નવરોઝથી લઈ આજના નવરોઝના દિન સુધી પોતાના ભૂતકાળને વાગોળતી હતી. થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું. મારૂં વીતેલું વર્ષ- ગયા વર્ષે મારૂં ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો…

  • શિરીન

     ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની…

  • એસઆઈઆઈ દ્વારા ઉત્પાદિત કોવિડ -19 રસીને હજી છ મહિના બાકી છે

    ગયા અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) દ્વારા એસઆઈઆઈની રસી માટે મંજૂરીના છ મહિના બાકી છે, કારણ કે સંગઠન તેની સલામતી અને અસરકારકતાની સુનિશ્ર્ચિત પ્રક્રિયાઓને પગલે ધ્યાન કેન્દ્રિત કરે છે. એકવાર અમને ભારત અને વિશ્ર્વ…

  • Parsi Times At Eleven – An Auspicious And Awe-Inspiring Milestone!

    Parsi Times is turning eleven, which is a very auspicious number in our Parsi and Indian tradition. In olden days, a gift envelope of Rupees eleven was considered most appropriate and auspicious. Eleven continues to be regarded as auspicious. In numerology, the number eleven is regarded as a master number representing spiritual growth. Number eleven…

  • Bitcoin For Bawas

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] There’s been an increasing buzz in the air with words like ‘Bitcoin’ and ‘Cryptocurrency’ and ‘Bitcoin Blockchain’ etc., being used with increasing regularity, proportional to your growing confusion. Shahrzaad Parekh demystifies these concepts for your simpler and better understanding, as only a bawa can – with ‘Bitcoin For Bawas’. [/otw_shortcode_info_box] . A…