દાદાભાઈ નવરોજી, સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાખનાર દાદાભાઈ નવરોજીનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ મુંબઈના એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી હતું અને માતાનું નામ માણેકભાઈ હતું. દાદાભાઈ માત્ર 4 વર્ષના હતા જ્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમની માતાએ જ દાદાભાઈનો ઉછેર કર્યો હતો. નિરક્ષર હોવાછતાં તેમની માતાએ તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. બોમ્બેમાં એલફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, 27 વર્ષની ઉંમરે તેઓ ગણિતશાસ્ત્રના તથા ભૌતિકશાસ્ત્રના અધ્યાપક બન્યા હતા.

1851માં તેમણે ગુજરાતી ભાષામાં રાસ્ત ગોફતાર નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. 1885માં, બોમ્બે વિધાન પરિષદના સભ્ય બન્યા. 1886માં, ફિન્સબરી ક્ષેત્રમાંથી સંસદમાં ચૂંટાયા. તે લંડનની વિશ્ર્વ વિદ્યાલયમાં ગુજરાતીના પ્રોફેસર પણ બન્યા હતા અને 1869માં ભારત પરત આવ્યા હતા. 1886માં અને 1906માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં દાદાભાઈ નવરોજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તે સમય છે જ્યારે કોંગ્રેસમાં વિચારધારાના આધારે બે જૂથો રચાયા હતા, જેને ‘ગરમ દળ’ અને ‘નરમ દળ’ કહેવામાં આવતા હતા. બન્ને પક્ષકારોની કામ કરવાની શૈલી તેમના નામ અનુસાર હતી. દરમિયાન, 1906માં, કોંગ્રેસના કોલકતા અધિવેશનની તૈયારીઓ જોરમાં ચાલુ હતી.

બંને પક્ષો અધ્યક્ષનું પદ પચાવી લેવા માટે રાજનીતી કરી રહ્યા હતા જેનાથી પોતાના પક્ષનું મહત્વ વધી જાય. આ કારણોસર એમ લાગ્યું કે વિવાદો સિવાય આ અધિવેશન પૂરૂં નહીં થાય. આ બધું જોઈને, વરિષ્ઠ કોંગ્રેસીઓ આ સંઘર્ષને કેવી રીતે અટકાવવા તેવું વિચારવા લાગ્યા?

ખૂબ વિચારણા કર્યા પછી ઉકેલ કરવામાં આવ્યો કે ઈંગ્લેન્ડમાં રહેતા દાદાભાઈ નવરોજીને ટેલીગ્રામ મોકલ્યો, કે તેઓ કોંગ્રેસની સુરક્ષા માટે ફરી એક વાર આ જવાબદારી નિભાવવા તૈયાર રહે. આ પહેલાં બે વાર તેઓ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકયા હતા. શરતો જોતાં, દાદાભાઈ તૈયાર થઈ ગયા અને 71 વર્ષની વયે તેઓ કોંગ્રેસના ત્રીજી વખત પ્રમુખ બન્યા હતા.

હવે તેમના ખભા પરની સૌથી મોટી જવાબદારી બંને પક્ષોને એકસાથે કરવાની હતી જેથી બ્રિટીશરો વિરૂધ્ધ તેઓ લડી શકે. દાદાભાઈ બંને પક્ષોને સહમત કરી શક્યા કે સંજોગો પ્રમાણે, બન્નેના  વલણ અપનાવવાની જરૂર છે.

દાદાભાઈનો બધા જ આદર કરતા હતા તેથી તેઓ તેમના મતને સમજી શકયા અને પરિણામ એ હતું કે બંને પક્ષોના આગેવાનોએ સ્વીકારી લીધું કે સમાન અભિગમ અપનાવવા હંમેશા શક્ય ન હતું અને બન્ને પક્ષો એકબીજાની વિચારધારાની જરૂરિયાત સમજવા લાગ્યા. આમ, કોંગ્રેસમાં દાદાભાઈ નવરોજીના પ્રયત્નો સાથે એકતા આવી જે ભંગાણની ધાર પર પહોંચી ગઈ હતી.

દાદાભાઈ નવરોજીએ ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ દેશને ‘સ્વરાજ્ય’ સૂત્ર આપ્યું હતું.  આજના આધુનિક ભારતનું નિર્માણ કરનાર દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ પર તેમને શત શત પ્રણામ.

Similar Posts

  • IASAP Organises 15th National Convention

    The Indian Association of Secretaries and Administrative Professionals (IASAP) organized the 15th National Convention from 29th September to 2nd October, 2017, at Taj Santacruz, with the theme of the convention being, ‘Excellence Beyond Boundaries’. Having announced the results of the All India Administrative Professional Contest during the inaugural dinner, the consecutive days consisted of a galaxy of distinguished speakers addressing the gathering of…

  • રંગ

    હોળીમાં રંગાઈ વિવિધ રંગે, સહેલીઓની ટોળી સાથે સામે સામે રંગ ઉડાડતા, ઉંચકીને નીચે પટકતા હોળીના રંગમાં રંગાવાની, ખૂબ મઝા આવી પણ મારી મમ્મી બરાડી ઉઠયા અને ના કહેવાનું કહ્યું છતાં મને જરાય અફસોસ નહીં કારણ મારી ઉપર તો હોળીના રંગોનો નશો ચઢેલો હતો.

  • Jamshedi Navroz Celebrations At Parsi Ward, J J Hosp

      Continuing the 34-year-long auspicious trend of celebrating Jamshedi Navroz at the Parsi Ward at Sir J.J. Hospital, this year too, on 21st March, 2023, the ward came alive with twinkling lights, flower garlands and chalk decorations. A Jashan ceremony was performed, in remembrance also of the departed souls as also a Tandorosti for the…

  • સખાવત વીશે ટૂંક ખુલાસો

    કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21th September, 2019 – 27th September, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 23મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામમાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. જયાંથી પૈસા મળવાના હશે તે વાયદો આપી ફરી જશે. કોઈની વાત પર વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચ ડબલ થઈ જશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે. ઉતાવળે…

  • Shanaya Driver Wins Two Golds, One Silver In Taekwondo Championship

    Mumbai’s Shanaya Driver from Fighter Taekwondo Academy (Siddhkala Taekwondo Academy, Mumbai), represented Team Maharashtra in the ‘Open Indian International Taekwondo Championship’, held in New Delhi, on 4th and 5th January, 2023, and did the State and the community proud by winning two gold medals and a silver medal. 14-year-old Shanaya, who is a student of Jamnabai Narsee…