મટકી તોડી ઉજવાતો તહેવાર જન્માષ્ટમી

શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
હિંદુઓ શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી હોય છે. લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણનું ગોકુળિયું સજાવે છે આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી-જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી હોય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
શ્રી કૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી જેને કંસ મારી નાખવાનો હતો એ ડરથી વાસુદેવ શ્રી કૃષ્ણને યમુના નદી પાર કરીને કૃષ્ણને નંદરાય અને યશોદા પાસે મૂકી આવ્યા હતા. જે કથા પ્રચલિત છે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેથી રાત્રે 12 વાગ્યે મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો શ્રી કૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી
કરે છે.
આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખેલી હોય છે. મુંબઈની ગલીઓમાં ઠેર ઠેર મટકી બાંધવામાં આવે છે અને ટોળકીમાં આવેલા છોકરાઓ તે મટકી ફોડે છે અને આસપાસના લોકો તેઓ પર પાણી અને ફુગ્ગાનો વરસાવ કરે છે તે દ્રશ્ય ખરેખર જોવા જેવુ હોય છે. આખો દિવસ ‘ગોવિંદા આલા રે આલા’ જેવા ગીતો સાંભળવા મળે છે. શ્રી કૃષ્ણને માખણ ખાવાનો ખુબ શોખ હતો. તેમના ઘરમાં માખણના માટલા ભરેલા હોવા છતાં તે તેના બાળમિત્રોને લઈ બીજાના ઘરમાં ચોરીથી ઘૂસી મટકી તોડી માખણ ખાતા અને તેના સ્વરૂપે આજે મટકી તોડવાની પ્રથા પ્રચલિત છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.

Similar Posts

  • Sad Ending To Iconic Tata-Mistry Partnership

    September 22, 2020 marked the beginning to the end of 70-years-plus iconic association between two of our community’s and our nation’s most formidable business groups – Tata Sons and Shapoorji Pallonji Group. After four years of rough litigations, since Cyrus Mistry’s ouster in 2016, Shapoorji Pallonji (SP) Group confirmed its exit from Tata Sons as…

  • From the Editor’s Desk

    Celebrating The Perpetuation Of Parsi Legacies! Dear Readers, One of the bigger heartaches that comes along with the sorrow of a dwindling population of a community as glorious as ours, is the distressing disappearance of our long-standing legacies, which make us one of the world’s most respected communities, despite our minuscule numbers. This is why…

  • હસો મારી સાથે

    બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે? બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી? બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે. *** બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે?…

  • ZAC Holds Sherevar Parabh Jashan

    A Jashan was performed in honor of Sherevar Amshashpand (Sherevar Mah, Sherevar Roj), at the Zoroastrian Association of California (ZAC) by Ervads Zarrir and Zerkxis Bhandara. Sponsored by Dhun Alamshaw, the Jashan was attended online by about 40 people over Zoom. After the Jashan, Er. Zerkxis led the Humbandagi, followed by an explanation of the importance of Sherevar Amshaspand. Sherevar Amshaspand looks after the sky and the attribute of this Amesha Spenta is moral strength…