સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષ પોતાની સાવકી માતા સોદાબેના ફરેબથી કંટાળેલો હતો. વળી તેના બાપ કૌસે પહેલે તેના તરફ શક દેખાડયો હતો તેથી તે નાખુશ થયો હતો. તેથી જ્યારે અફ્રાસીઆબે ઈરાન ઉપર હુમલો લાવવાની તૈયારી કીધી, ત્યારે તે તકનો લાભ લઈ તેણે પોતાનું વતન છોડી બહાર લડાઈપર જવા માંગ્યું. કૌસે તેને રૂસ્તમની સાથે લડાઈ પર મોકલ્યો. તેણે લડાઈમાં ફત્તેહ મેળવી. અફ્રાસીઆબે પોતાની હાર કબૂલ કરી સુલેહ કરવા માંગી અને ઈરાન પાસે જે મુલકો તેણે જીતી લીધા હતા તે સઘળા પાછા આપ્યા. સીઆવક્ષે રૂસ્તમની સલાહથી એ શરત કબૂલ રાખી સુલેહ કીધી. કૌસ પાદશાહને એ વાતની ખબર પડી ત્યારે તે સીઆવક્ષ ઉપર ગુસ્સે થયો કે તેણે સુલેહ કરવી નહીં, તેથી તેણે તેની ઉપર હુકમ મોકલ્યો કે સુલેહના કરારો રદ્દ કરી તેણે તુરાનના મુલક પર હુમલો કરી તે જીતી લેવો. એ જાણી સીઆવક્ષ કફોડી હાલતમાં આવી પડયો. તે જો તુરાન ઉપર લડાઈ લઈ જાય છે તો અફ્રાસીઆબને આપેલો સુલેહનો કોલ તૂટે છે. તે જો તેમ કરતો નથી તો બાપની વધુ ઈતરાજીમાં આવી પડે છે અને તેના કહેવા પ્રમાણે જો બીજા ઈરાની સરદારને લશ્કરની સરદારી સોપી દે પાછો ઈરાન ફરે છે, તો બાપની ઈતરાજી અને સાવકી માતાની દુશ્મની વચ્ચે તેને રહેવાનો સંભવ છે.
આવી હાલતમાં પોતાને આવી પડેલો જોઈ તેણે વિચાર કર્યો કે તેણે અફ્રાસીઆબ સાથનો કોલકરાર તોડી તેની સાથે વધુ લડાઈ કરવી નહીં તેમજ પોતાને ઈરાન વતન પાછું કરવું નહીં પણ વતનથી વેરાગ પકડી, તુરાનમાંજ કેથે મકાન કરી રહેવું. પોતાના ઈરાની મદદનીશ સરદારોની સાથે એ બાબે મસલત કરી તેણે ઈરાન તરફથી આવેલા શાહજાદા તુસને પોતાનાં લશ્કરની સરદારી સોપી દીધી અને પાદશાહ અફ્રાસીઆબ ઉપર પેગામ મોકલ્યો અને પોતા ઉપર વીતેલી સઘળી હકીકત કહીને તુરાનના મુલકમાં રહેવાની પરવાનગી માંગી. પાદશાહ અફ્રાસીઆબે એ પેગામ જાણી પોતાના વજીર પીરાનની સલાહ લીધી અને પછી સીઆવક્ષને પોતાના મુલકમાં માનઅકરામ અને ઈજતથી રાખવાની ખુશી દેખાડી. સીઆવક્ષ તુરાનના મુલકમાં ગયો. ત્યાં પહેલે પીરાને અને પછી પાદશાહ અફ્રાસીઆબે પોતે આવકાર દીધો અને ઘણા આરામ અને રાહતથી રાખ્યો. (ક્રમશ)

Similar Posts

  • Soroosh Sorooshian Awarded Hydrologic Sciences Medal By AMS

    Earlier this month, the AMS (American Meteorological Society) awarded the prestigious ‘Hydrologic Sciences Medal’ to Dr. Soroosh Sorooshian in its 2021 Awards and Honors program during its 101st AMS Annual Meeting. Every year, the AMS recognizes outstanding individuals and organizations of the weather, water, and climate community. Dr. Sorooshian, an Iranian-American distinguished professor of Civil…

  • સારા વિચારો – વોહુમનો

    જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે. બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય…

  • XYZ Organises ‘Brainiax 2018’

    Xtremely Young Zoroastrians (XYZ) organised ‘Brainiax 2018’ on 18th November, 2018, at the BJPC institution, with over two hundred participants in the Under-8, Under-11, Under-14 and Under-17 categories, competing across eight different events. Participants were judged on the accuracy of their answers and the time taken to complete tasks. The event witnessed participants displaying great…

  • Good Parsi Samaritans Gift New Home To Navsari Pall Bearer

    Aspi Firoze Ghadiali, who has served as nasessalar (pall bearer) for the last 25 years in Navsari, was rendered homeless last year, along with his brother Sarosh, who lives with him and repairs fridges and air-conditioners for a living – when their house collapsed, because of age and wear and tear, which the structure was…

  • વેજ લોલીપોપ

    સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ…