વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!

વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે.

ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે. દશેરો જે શુભ તિથિઓમાં આવે છે તેથી લોકો નવા કામની શરૂઆત આ દિવસથી કરે છે. કારીગર લોકો પોતાના શસ્ત્રની પૂજા પણ આ દિવસે કરે છે. દશેરાનો તહેવાર જે દસ પ્રકારના પાપો જેમા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિસા અને ચોરી જેવા દસ અવગુણોને છોડવાની પ્રેરણા આપે છે.

ભારત એક ખેતીપ્રદાન દેશ છે અને દશેરા ને સમયે જયારે ખેડૂત પાક ઉગાવી અનાજ રૂપી સંપત્તિ ઘરે લઈ જાય છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી હોતો અને ભગવાનનો આભાર માનતા તે પૂજા કરે છે.

દશેરાનો સંબંધ નવરાત્રિ સાથે પણ છે કારણ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ પણ આ સમયે કર્યો હતો. દશેરો જે નવરાત્રિ પછી એટલે કે દસમે દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ જે ભગવાન રામની પત્ની સીતાનું અપહરણ કરી તેને લંકા લઈ ગયો હતો. ભગવાન રામ જે દુર્ગાના ભક્ત હતા. જેમણે યુધ્ધ દરમ્યાન નવ દિવસ મા દુર્ગાની પૂજા કરી દસમે દિવસે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે વિજયાદસમી એક મહત્વપૂર્ણ દિવસ  તરીકે ઉજવાય છે. રામના વિજયના પ્રતીક રૂપે આ દિવસને વિજયા દસમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાની ઉજવણી માટે મોટા મોટા મેળાઓનું આયોજન કરવામાં આવે છે આજ સમયે રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. રાવણનું મોટું પુતુળું બનાવી તેને બાળવામાં આવે છે. રાવણની સાથે તેનો ભાઈ કુંભકર્ણ તથા તેનો દીકરો મેઘનાદના પુતળાને પણ બાલવામાં આવે છે. કલાકારો રામ, સીતા અને લક્ષ્મણનું રૂપ ધારણ કરે છે. સત્યનો બુરાઈ પર વિજય તરીકે પણ આ તહેવાર મનાવવામાં આવે છે.

Similar Posts

  • શિરીન

    એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’…

  • |

    બંદગીના ફાયદાઓ

    ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

  • Seasons Of Nature And Seasons Of Life

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Spring is the queen of the seasons. It is the youth of the year and ever brimful of hopes is youth. The snow begins to melt, rivers…

  • WZO Trusts’ Update On Covid Welfare Initiative: Relief And Rehabilitation Programme

    Our last (second) update was shared on June 6, 2020 (in Parsi Times) with donors, well-wishers and community members to apprise them of efforts undertaken by WZO Trusts to extend support to poor Zoroastrians affected financially due to the Covid-19 Pandemic.  WZO Trust Funds shares the details of the third Update, as of 31st July,…

  • Film Review: P SE PYAAR, F SE FARRAAR

    ‘P se P, F se F’ refers to Article 15 of our Constitution, which enshrine clauses pertaining to ‘discrimination on grounds of religion, race, caste and sex’, much as the recent ‘Section 375’ which referred to IPC’s section on sexual assault. ‘Based on continuing true stories’, is what we are informed. Sooraj Mali (debutant Bhavesh…

  • દશેરો: દ્રુષ્ટતા પર જીતનો પર્વ

    અશ્ર્વિન માહના શુકલ પક્ષની દસમીને દિવસે અને નવરાત્રીના નવ દિવસ પછી દશેરાના રૂપે વિજયા દશમી ઉજવવામાં આવે છે. દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ…