સોદાગરે તેની ઓરતને માર માર્યો!

આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી અથવા તો તે પોતાની બાયડી ઉપર બેહદ પ્યાર રાખતો હતો તેથી તેનો બચાવ કરી પોતે જાનફેશાની કરવાને તૈયાર થયો હતો?
તે સોદાગરના વાડામાં પચાસ મરઘી, એક મરઘો અને એક કુતરો પાળ્યા હતા. તેમાં કુતરો સોદાગરને ત્યાં જે બનતું હતું તે ઉપર સારૂં લક્ષ આપતો હતો અને જે વેળા સોદાગર ઘરની બહાર બેસી વિચાર કરતો હતો કે હવે તેને કયો માર્ગ પકડવો ત્યારે તેણે જોયું કે તેનો કુતરો મરઘા આગળ દોડી આવ્યો અને તેને કહેવા લાગ્યો કે તું ઝાઝો વખત જીવવા પામે એમ મને લાગતું નથી કારણ કે આજ ખુશાલીની બરાડ મારતા તું જરા પણ લજવાતો નથી.
તે મરઘાએ પૂછયું કે જેમ દરરોજ ખુશાલીના પોકાર કરૂં છું તેમ આજ રોજે પણ કાં નહીં કરૂં? તે કુતરાએ જવાબ દીધો કે અગર જો તને ખબર નહીં હોય હું તને જણાવું છું કે આપણો માલેક આજે રોજે મોટા સંતાપમાં આવી પડયો છે કેમ કે તેની બાયડી એવા એક છુપા ભેદની વાત તેની પાસેથી જાણવા માંગે છે કે જે તે કહી દે તો તેનો પ્રાણઘાત થાય. તે મરઘાએ કુતરાને જવાબ દીધો કે શું આપણા માલેકને એથી વધારે અકકલ નથી? તેને તો એક જ બાયડી છે અને તેણીને તે જેર કરી શકતો નથી તો જો કે મારી તો પચાસ બાયડી છે તો પણ મારી મરજી પ્રમાણે તેમને ચલાઉ છું. તેને આ વખતે પોતાની અકકલ વાપરવી જોઈએ છે અને તેમ જો તે કરશે તો સંતાપમાંથી તુરત જ છુટશે.
તે કુતરાએ પૂછયું કે તે કેમ? તેની પાસે તું શું કરાવા માંગે છે? મરઘો બોલ્યો કે સોદાગરને ઘટારત છે કે જે ઓરડામાં તેની બાયડી હોય ત્યાં તેને જવું અને બારણું બંધ કરીને એક મજબૂત લાકડીથી તેણીને સારી પેઠે ફટકાવવી કહાડવી અને પછી જોયું કે તેની શુધ્ધિ ઠેકાણે આવે છે કે નહીં તથા જે વાત ઉઘાડી પાડવી ઘટે નહીં તેવી વાતની અસરે પણ તેને થાય છે કે નહીં.
મરઘાની આ વાત સાંભળતાને વાર સોદાગરને અકકલ આવી ને તે સોદાગરે એક મજબૂત લાકડી લીધી અને પોતાની બાયડી પાસે ગયો અને પ્રથમની પેઠે તેને રડતી જોઈ બારણું બંધ કરી સારી પેઠે બરફાટી કાઢી! ત્યારે તે બોલી ઓ ખાવિંદ હવે બસ કરો! હવે બસ કરો!! હાલ મને છોડી મેલો અને હવે પછી કાંઈ પણ સવાલ તમને પૂછીશ નહીં. તેથી પેલા સોદાગરે પોતાની બાયડી પર દયા કરીને તેને જતી મૂકી તે દિવસ પછી તે જીદ્દી ઓરતે કદી પણ પોતાના ખાવિંદને આવી રીતે પજવ્યો નહીં.
આ વાર્તા પૂરી કર્યા પછી શેહરાજાદીને તે વડો વજીર કહેવા લાગ્યો કે બેટી જેમે સોદાગરે પોતાની બાયડીને હઠ પકડી બેસવાનો સ્વાદ ચખાડયો તેમ તેવું મારે કરવું યોગ્ય છે?
(ક્રમશ)

Similar Posts

  • Lessons Learnt In The Times Of Corona

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] Sitting, waiting, while days rolled into weeks and gradually into months, we’ve all had time on our hands during this lockdown to understand…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 October – 22 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લાં 10 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં નાની બાબતમાં બેદરકાર બની જતા નહીં. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. તબિયતની માટે ખાસ સંભાળ લેજો. થોડી ઘણી બેચેની વધી જશે. શનિ તમોને આળસુ બનાવી દશે. કામની…

  • Caption This – 12th June

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 16th June 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • રતન તાતા માનવતાવાદી ચળકાટ ઉમેરે છે

    રતન ટાટાની દેખરેખ હેઠળ, દિવાળીની સાચી ભાવનાથી ટાટા ટ્રસ્ટે દરેક ભારતીય માટે કેન્સર સારવારની સુવિધાઓને સુલભ બનાવવાના પ્રયત્નોમાં, ભારતભરમાં હોસ્પિટલોમાં સસ્તી કેન્સર સારવાર અને મકાન માટે રૂ. 1,000 કરોડનું ભંડોળ દાનમાં આપ્યું. આસામ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ટૂંક સમયમાં નવી હોસ્પિટલો જોવા મળશે. રતન ટાટાની અંગત દેખરેખ હેઠળ આ પ્રોજેકટ કેન્દ્ર સરકારને અન્ય તમામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12th December – 18th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી દરેક બાબતમાં ધારેલું રીઝલ્ટ મેળવી શકશો. નાણાકીય બાબત તથા શારીરિક બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરવામાં આનંદ મળશે. ઘરવાળા સાથે સારો મનમેળાપ રહેશે. કોઈ મુશ્કેલી આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી…

  • From The Editor’s Desk

    We Will Miss Meherwanji… Berry Much! Dear Readers, Before all else, on behalf of Team Parsi Times, I thank you for the innumerable congratulatory and encouraging messages you sent us for Parsi Times Seventh Anniversary and our Anniversary Issue. We are, as always, grateful and delighted with your constant feedback, guidance and support, which has…