માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ તરીકે લખેલા હતા
જે સારા માઠાંને તપાસીને સઘળું પ્રમાણ પ્રમાણે કામ કરે છે તે પોતાને સારી રીતે પીછાને છે અને જે પોતની જાતને સારી રીતે પીછાને છે તે પોતે સારી વર્તણુંકથી ચાલે છે. મેહર દાવરનાં તરાજુ ઉપરથી યાદ આવતા એક તરાજુ ઉપર કોતરાયેલા શબ્દો આપણને બોધ આપે છેકે આપણે આપણા કામનો તોલ કરતા રહેવું જોઈએ. તેમ તોલ કરતા રેહવાથી આપણે પોતાને બરાબર પિછાનતા રહીશું જે ધણી પોતાને બરાબર પિછાનતો રહે અને તેમ પિછાની પોતાને સુધારતો રહે, તે પોતાની વર્તણંક પણ સુધારતો રહે છે.
ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી
આપણા ઘણીકવાર ધાર્મિક જીંદગી માટે બોલાતું સાંભળીએ છીએ કે આપણે ધાર્મિક જીંદગી ગુજારવી જોઈએ. ત્યારે ધાર્મિક જીંદગી એટલે શું? એ બાબે તરેહવાર વિચારો છે. કોઈ કહેશે કે ઈશ્ર્વરને હમેશા યાદ કર્યા કરવું એ ધાર્મિક જીંદગી. એ મુજબ સાધુ, વેરાગી, ફકીર જોગીની જીંદગી કોઈ ધાર્મિક જીંદગી ગણે છે. કોઈ કહેશે કે પ્રામણિકપણે આપણે આપણું કામ કરવું. આપણો ધંધોરોજગાર કર્યે, કોઈને દુ:ખ નહીં આપીયે એ ધાર્મિક જીંદગી, વળી કોઈ કહેશે કે ધર્મપુસ્તકોએ અને રેવાજે ફર્માવેલાં ક્રિયા કામ કરવા યા રેવાજ પાળવા એ ધાર્મિક જીંદગી. એવા તરેહવાર જવાબો મળશે. એવા સર્વ જવાબો કાંઈ ખોટા જવાબ નથી. પણ તેમ તેઓ સંપૂર્ણ સહી જવાબો પણ નથી. ખરેખર ધાર્મિક જીંદગી, ખરેખર ધાર્મિક જીંદગી, તે સંપૂર્ણ જીંદગી હોવી જોઈએ. સંપુર્ણ જીંદગી એ ધાર્મિક જીંદગીનું બીજું નામ હોવું જોઈએ.

Similar Posts

  • હસો મારી સાથે

    ભૂકંપ થતા એક જાડી સ્ત્રી પલંગ પરથી નીચે પડી એટલે તેના પતિએ પૂછયું કે ભૂકંપ થયો એમાં તું પડી કે તું પડી એમાં ભૂકંપ થયો? *** એક પ્રવાસી વિમાનની બારીમાંથી નજર કરીને કહે, માણસો તો મકોડા જેવા લાગે છે. બાજુવાળો કહે, એ મકોડા જ છે. હજુ વિમાન ઉપડયું જ નથી. *** મમ્મી: જો બેટા, દરિયામાં…

  • ગંભારનું મહત્વ

    ગંભારનો અર્થ થાય છે એકઠું/સંગ્રહ કરવાનો સમય. સામાન્ય રીતે કહીએ તો, તે સારા કાર્યો અને કુદરતના આશીર્વાદો એકત્રિત કરવાનો અથવા લણવાનો સમય છે. કેટલાક લોકો આ શબ્દને કૃતજ્ઞતા આપવા માટે એકત્ર સમુદાયના અર્થઘટન તરીકે પણ કરે છે. આધુનિક સમયમાં, કેટલાક પરોપકારી પારસી અને ઈરાની પારસી લોકો પણ ગંભારને તેમના વહાલાની વિદાયની સ્મૃતિમાં, આધ્યાત્મિક યોગ્યતાના કૃત્ય…

  • સુરતના હમદીનોને અપીલ

    સુરતમાં તથા સુરતની આસપાસનાં ગામોમાં વસતા હમદીનોને જણાવવાનું કે કોરોના વાયરસની દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જેવા જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. સુરત પારસી પંચાયતની કોમના જરૂરીયાત હમદીનોને મદદરૂપ થવાની નીતીના એક ભાગરૂપે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે છે કે જે પણ હમદીન સીનીયર સીટીઝન કે બુઝુર્ગ જોડું વિગેરે…

  • શિક્ષણવિદ રતિ કૂપરની સ્મૃતિનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું

    રાજકોટમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફે, 15મી ઓગસ્ટ, 2022ના રોજ, પ્રતિમાના અનાવરણ સાથે સુપ્રસિદ્ધ શિક્ષક – રતિ કૂપરની સ્મૃતિનું સન્માન કર્યું હતું. દાયકાઓથી, રતિ કૂપરે સમર્પિતપણે ભણાવ્યું હતું અને તેમના હેઠળ અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જીવનમા એક મોટો ફેરફાર કર્યો હતો. સમારંભની શરૂઆત કોલેજના ભાવસિંહજી હોલમાં વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હૃદયસ્પર્શી વખાણ કરીને કરવામાં…

  • This Diwali, Add Divinity To Your Wealth!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm ‘NiveshIndia’, designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in [Website…