ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ પહેલા તો એમ ધાર્યુ કે તે હેલકરી થોભ્યો તે દમ લેવા થોભ્યો છે પણ જ્યારે તેણીએ જોયું કે તે તો ત્યાંથી સસરતો જ નથી ત્યારે તેણીએ તેને પુછયું કે ‘તું જતો કેમ નથી? તને તારી મજુરીને પુરતું દામ મળ્યું છે કે નહીં’ તે હેલકરીએ જવાબ આપ્યો કે ‘હું કાઈ તે કારણસર થોભ્યો નથી પણ મારી મહેનતનું દામ મને પુરતી રીતે મળી ચુકયું છે. હું સારી પેઠે જાણું છું કે જે જ્યાં મારે ઉભું રહેવાનું કામ નથી તે જગ્યા પર ઝાઝો વાર ઉભો રહીને બેઅદબી બતાવું છું પણ આ છૂટ લઈ કહું છું તે માફ કરજો. કે તમો ત્રણ બાનુઓ જેની ખુબસુરતીની કદી પણ બરોબરી કરી શકાય નહીં એવી છે. તમારા ઘરમાં એક પણ મરદ દિઠામાં આવતો નથી. તેથી મને ઘણી તાજુબી લાગે છે. સુંદર સ્ત્રીની મંડળીમાં મરદ તે જેવી સુસ્ત લાગે તેવીજ સુસ્ત જે મરદોની મંડળીમાં ઓરતો નહીં હોય તે મંડળી લાગે.’ એ તેની દલીલની સાથે બીજી તેને કહેવતો કહી સંભળાવી. તેણે કહ્યું કે બગદાદા શહેરમાં એક કહેવત છે કે જે ‘ટેબલ ઉપર ચાર શખસો ન હોય ત્યાં કંઈ પણ મજાહ પડે નહીં.’ તેમ ત્રણ બાનુઓની સાથે જ્યાં સુધી ચોથો શખસ હોય નહીં ત્યાં સુધી તમારી મંડલી મજાહ ભરેલી લાગે નહીં.’
તે હેલકરીની વિચારશક્તિને માટે તેઓ ઘણુંજ હસ્યા તો પણ ઝોબીદાએ તેને ગંભીરાઈથી કહ્યું કે ‘મારા ભાઈ! તું જે મજાક કરે છે તેમાં તું તારી હદની બહાર ગયેલો દિસે છે; અને જો કે તારા બોલવા વિશેનો મારી તરફથી તને કાંઈ પણ ખોલાસો ઘટતો નથી તો પણ હું તને કહું છું કે અમો ત્રણ બહેનો છીએ અને અમો અમારો વહિવટ એટલી તો છુપી રીતે ચલાવીએ છીએ કે તે વિશે કોઈને કાંઈ પણ ખબર પડતી નથી, અમારા ભેદની વાત બહાર પડે એજ અમારી મોટી ધાસ્તી છે. તેથી અમો અમારી ગોંઠવણ બહાર પાડતાં નથી. વળી એક નામીચો ગ્રંથ અમોએ વાંચ્યો છે તેમાં તે લખે છે કે ‘તમારા ભેદની વાત તમારી પાસે જ રાખજો અને તે કોઈને કહેતા ના કારણ કે જે શખસ છૂપી વાતને જાહેર કરે તે તેનો ધણી નથી. તારી છુપી વાત જો તું તારા હૈયામાં છુપી રાખી શકે નહીં તો જે શખસને તું તારા ભેદની વાત કહેશે તે શખસ તે કેમ છુપી રાખી શકશે.’
તે મજુર બોલ્યો ‘ઓ નામદાર બાનુઓ! તમારા દેખાવ પરથી હું પામી ગયો હતો કે તમો અચરત સરખા ગુણો ધરાવનારા છો અને હાલ હું જોવું છું કે મેં જે તકે બાંધ્યો તે ખોટો નથી. મારા માઠા ભાગ્યે જો કે મે હેલકરીનો ધંધો મે અખત્યાર કીધો છે તો પણ એલમોની કેતાબો મેં પણ વાંચી છે. અને મારા જ્ઞાનમાં વધારો કીધો છે. એક બીજા ગ્રંથમાં આ બાબતમાં જે મેં લખ્યું છે તે હું તમને કહેવાની રજા માંગુ છું. તે કહેવતે મે ઘણીકવાર સારી રીતે વાપરી છે.
(ક્રમશ)

Similar Posts

  • Kudos Parinaz Jal!

    On 23rd November, 2020, Netflix’s original series – ‘Delhi Crime’, an Indian Television series, was announced as ‘Winner Of The Best Drama Series’ at the 48th International Emmy Awards, making it India’s very first web series to win an International Emmy. A proud part of this project, was our very own Parinaz Jal, who worked…

  • દીકરી અને પુત્રવધુનો તફાવત!

    હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે…

  • Nina Wadia Awarded OBE

    52-year-old popular UK-based actor of Parsi Origin, Nina Wadia, was named among the awardees to be conferred the prestigious Officer of the Order of the British Empire (OBE) distinction in 2021. The list, as announced on 30th December, 2020, recognised her ‘Services To Entertainment And Charity’. She is best known for playing the lead roles in…

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

    તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના…