ગ્લોબલ ઇરાનશાહ પહેલ

‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર, 2019 ના રોજ આઈયુયુના ત્રીજા પ્રકરણમાં શરૂ કરવામાં આવી હતી.
ઉદવાડા આતશ બહેરામ એ ભારતનું સૌથી પ્રાચીન પવિત્ર અગ્નિ મંદિર છે અને આપણી માતૃભુમિ ઈરાન સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. આ દૈવીક જ્યોતિને એક મિલિનિયમથી દુનિયાભરમાં જરથોસ્તીઓ દ્વારા આદરવામાં આવી રહી છે.
મહેર અમલસાડવાલા જે વિશ્ર્વવ્યાપી જરથોસ્તી સમુદાય દ્વારા તેમના નિ:સ્વાર્થ ભાવની સેવા અને યુથ લીડરશીપ માટે પ્રિય છે. કેલિફોર્નિયા (યુએસએ)માં પત્ની, કેટાયુન અને પુત્રી, અનાહિતા સાથે રહેતાં, મહેર અમલસાડ જે એન્જિનિયર, એજ્યુકેટર, પ્રોફેશનલ સ્પીકર અને પ્રકાશિત લેખક (બ્રેડ ફોર હેડ) છે. તે ઉત્તર અમેરિકન અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન યુથ કોંગ્રેસના સ્થાપક અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં યુકેમાં 2023માં 8મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન યુથ કોંગ્રેસના આયોજકો સાથે કામ કરી રહ્યા છે. તેમનું સમર્પણ અસંખ્ય પ્રયત્નોનું સ્વરૂપ લે છે જે આપણા સમુદાયના યુવાનોને ઉત્તેજન અને જાગૃતિ માટે પ્રતિબદ્ધ કરે છે.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં મહેર અમલસાડ કહે છે, સપ્ટેમ્બર, 2017માં કેલિફોર્નિયામાં શિહાન મોબેદ ઝરીર ભંડારા દ્વારા યોજાયેલી ઝેડએસી પ્રસ્તુતિમાં, હું દસ્તુરજી ખુરશેદની વાટાઘાટથી પ્રેરિત થયો હતો અને આપણો અમૂલ્ય વારસો – ઈરાનશાહને ટેકો આપવા ગ્લોબલ પહેલ શરૂ કરવાની ઇચ્છા થઈ હતી. તેમણે બી.પી.પી.ના ટ્રસ્ટી અને જરથોસ્તી ધર્મના વિદ્વાન – નોશીર દાદરાવાલા, ફેઝાનાના હોમી ગાંધી અને વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર સાથે મળી આપણા ઈરાનશાહને ટેકો આપવા માટે 5-સ્ટાર વિઝન બનાવ્યો. આ પછી દુનિયાભરના જરથોસ્તી નેતાઓને તેમનો ટેકો એકત્ર કરવા માટે બોલાવ્યા. દાન માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું. પાક ઇરાનશાહના ઇતિહાસમાં પ્રથમ વખત, અમે 21મી એપ્રિલ, 2020 ના રોજ ઇરાનશાહનું સન્માન અને દુનિયાભરમાં બર્થ એનિવર્સરી સેલિબ્રેશન પર પણ વિચાર કરી રહ્યા છીએ. મેહરે સમાપન કર્યું અને તમને આગળની પ્રવૃત્તિથી માહિતગાર કરતા રહેશું એમ જણાવ્યું.

Similar Posts

  • દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ

    દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ…

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the current ongoings in the BPP, with Parsi Times’ Exclusive Column – BPP Connect.[/otw_shortcode_info_box] THE TRUTH ABOUT WASTE MANAGEMENT The brief facts are as follows: The BMC last September 2017 announced that it would not collect wet waste from large Housing complexes (more than 200…

  • નવા વર્ષની ભેટ

    શાયાન 12 વરસની હતી. તે નવસારીમાં તેના પપ્પા-મમ્મી-ગ્રેની અને તેનાથી મોટી બહેન ફ્રીયા સાથે રહેતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેને તાવ આવ્યો અને તેના પગને પોલીયો થઈ ગયો. તે સરખી રીતે ચાલી નહોતી શકતી તેના પગમાં મેટલનું પગને સપોર્ટ આપવા પહેરેલું એક સ્ટેન્ડ હતું. તેની સાથે તે ધીમે ધીમે ચાલતી હતી. શાયાન ખુબ…

  • Letters To The Editor

    Clear Ethical Deficit Before Monetary Deficit There is no dearth of ethical poverty in our community! They call themselves poor, who intrude and capture more than one flat on the demise of their relatives, and pay for litigation thereafter for years together! Others in possession of multiple accommodations call themselves ‘caretakers’ of flats of those…

  • કોઈએ જીનનો છુટકારો કર્યો નહીં

    તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છું કે તું મને માફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.’ એ શબ્દો તે જીને કાઢતાને વાર તે માછીને કાંઈ હીંમત આવી અને તે બોલ્યો કે ‘ઓ તકોબરી ભરેલા જીન એ…

  • South African Freedom Fighter Frene Ginwala Passes Away

    South African Indian-origin freedom struggle veteran and National Orders awardee, Dr. Frene Noshir Ginwala, passed away aged 90, at her home on 12th January, 2023.  She was South Africa’s first parliamentary speaker after Nelson Mandela became the first democratically-elected President of the country in 1994. Cyril Ramaphosa, South African President, shared the tribute, “Frene Ginwala…