દૈવીક આશીર્વાદ માટે પૂછો!

તમારા શરીર અને તમારા મન વિશે વધુ જાણવા માટે એક પવિત્ર જગ્યા બનાવો, તમારી સાથે ડેટ પર જાઓ અને લાગણીઓ, સંવેદના, ઇચ્છાઓ, સ્વપ્નોનું અન્વેષણ કરો અને તમારી જેમ તમારી જાતને સ્વીકારો. પોતાને વધુ સારી રીતે ઓળખવામાં સમય પસાર કરવાથી, તમે જાણશો કે તમારે શું જોઈએ છે અને, તમે જે ઇચ્છો છો તે પૂછવું વધુ સરળ બનશે.
– નિત્યાનંદ દાસ
પ્રાર્થના ખરેખર તે વાતચીત છે જે આપણે અહુરા મઝદા સાથે દરરોજ કરીએ છીએ. જોકે ટૂંકા ગાળા માટે, આપણે તેમની સાથે જોડાવું જોઈએ. આપણે અહુરા મઝદા પાસેથી જે જોઈએ છે તે માગીએ તે સર્વોચ્ચ મહત્વ છે. તેમને પૂછવું માત્ર મહત્વપૂર્ણ નથી, પરંતુ શું પૂછવું તે વધુ મહત્વપૂર્ણ છે. તાજેતરના સમયમાં, હું એક એંજલ જેવી સુંદર સ્ત્રીના સંપર્કમાં આવી હતી. તેણી આપણા મંત્રના તમામ ઉંડા પાસાઓના જાણકાર હતા અને એમના મત પ્રમાણે આજુબાજુ બધા માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભલે તે તેના પોતાના કુટુંબ માટે હોય કે સંપૂર્ણ અજાણી વ્યક્તિ માટે હોય. તેમને વિશ્ર્વાસ છે કે મંત્રમાં ખૂબ એવી શક્તિઓ છે જે આપણા બોલવાથી બહાર નીકળે છે અને તે સતત અનુભવેલા વિવિધ અનુભવોની વાત કરે છે. નીચે તેમની દૈનિક દુઆનું એક સુંદર સંકલન છે, જ્યાં તેઓ દૈવીક આશીર્વાદ માંગે છે. મને લાગે છે કે તે આપણા અસ્તિત્વના તમામ પાસાઓને સમાવિષ્ટ કરે છે અને તે હૃદયસ્પર્શી પ્રાર્થના છે! અને તમારી સાથે શેર કરતા મને ગમશે.
યા પાક દાદાર અહુરામઝદા – મહેરબાની કરીને તમારી ભલી દુઆ ને આશીર્વાદ આપો!
કુલ જેહાનના લોકો ને, મને, મારા વહાલાઓને, બધા સગાવહાલાઓને, મારા બધા મિત્રોને, બધા દુ:ખી દુ:ખ્યારાઓને
તમારી ભલી દુવાઓ ને આશીશ આપીને તન, મન, ધન, માન, પાન, આબરૂ ઈજ્જત, સુખ, પ્રેમ, બંદગીનુ બળ ને તમારા ભરપુર આશીર્વાદથી સુખી સુખીયારા કરજો. સંપ પ્યારથી રાખજો, માન પાન આબરૂ ઈજ્જતથી દિપાવજો ને જીવ્યે ત્યાં સુધી
તમારી પાસબાનીમા તંદોરસ્તી ભરેલા રાખજો.
તમારી ગેબી બસારતો આપી ને તમારૂં માર્ગદર્શન આપીને અમોને બધાને મનશ્ની, ગવશ્ની ને કુનશ્નીની રાહ પર ચલાવજો. પાપથી બચાવજો ને પુણ્યની બાજુ લઈ જજો. વોહુ મનો, વોહુ તનને સવારના વહેલા ઉઠાડજો.
અમને બધાને રજક, રોજી બરકતથી ભરપુર સુખી સુખ્યારા કરજો. બધાને ધમ ધોકાર ધંધા રોજગાર નોકરીયો આપી ને બધાને આગળ વધારજો. ખુબ કામયાબ સારા ઈન્સાન બને ને ફત્તેહમંદ થાય. હજારો ને લાખો લોકોને રોજી રોટી મળે. પુણ્યના કામો કરે ને તમારા આશીર્વાદ મેળવીને સુખી સુખ્યારા થાય ને તમારી પાસબાનીમા તંદોરસ્તી ભરેલા રહે.
મારા બચ્ચાંઓને દુનિયામાં તમામ સુખથી ભરપુર, સુખી સુખ્યારા કરજો ને ખુબ સારા ઈન્સાન બનાવજો. પાપથી બચાવવીને પુણ્યની બાજુ લઈ જજો. ખુબ કામ્યાબ બનાવજો. એ લોકોની સારી મુશ્કેલી આસાન ને મન ને ભરપુર શાંતિ આપજો.
મારા બચ્ચાંઓ દયા સદગુણી ને સારા ઈન્સાન બને. શીખીભણી ને માય બાપના દેશના ને ધર્મના નામ રોશન કરે. બધાજ આપણાં ધર્મમાં માને ને તમારા આશીર્વાદ લઈ ને આપણીજ કોમમાં પરણે ને સુખી સુખ્યારા ને સારા ઈન્સાન બને.
મને જીવનમાં દિન દુની રાત ચોગુની આગળ વધારજો. મને બંદગીનું ઉત્તમ જ્ઞાન આપજો. મારે થકી એટલા પુણ્યના કામ કરાવજો કે હું પુણ્યના ઢગલા કમાઉં. જ્યારે તમારા દરબારમાં આવ ત્યારે પુણ્યના ઢગલા લઈ ને આવ. મહેરબાની કરી ને મનની તંદોરસ્તી, બળ ને બંદગી બક્ષસજો.
હર દુ:ખી દુ:ખ્યારાના દુ:ખને દૂર કરજો. હર કોઈની મુશ્કેલ આસાન કરજો ને દુ:ખથી પીડાતા લોકોની પીડાનો નાશ કરજો. અમારા ઊપરથી દુ:ખ, દર્દ, પિડા, પાપો, બલા બીમારી, નાપાકીઓ, દુશ્મનો અને અમારામાં રહેલા તમામ દુર્ગુણો, જાદુ ટોણા, કજીયા કંકાસ, કરજદારીનો અમારા બધા પરથી નાશ થાય.
અમારી દુઆ ને આમીન કરજે.

Similar Posts

  • Metro III: Unveiling All The Facts You Need To Know

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]There has hardly been a more confusing time for the Community than today, when once again we seem to be divided. But this is not just any other issue – it is one that is most intrinsic to the Community, involving the sanctity of our religious structures and our religious sentiments. In our…

  • TechKnow With Tantra: MBlood – Find a Donor

    ‘MBlood’ Donor app has made donating blood and platelets easier than ever. MBlood helps users to send a request for the required blood group at any time for any location, where blood is required. The user can also mention specific timings when the hospital can accept blood. On sending a request, all users registered with…

  • From The Editor’s Desk

    Three Cheers! Dear Readers, It’s been a good week for the community – we have three delightful reasons to rejoice! The first, of course being our very own Police Inspector Cyrus Boman Irani bringing great pride onto our community for being awarded the distinguished ‘President’s Police Medal For Meritorious Service’, on the occasion of our…

  • સુખ, દુ:ખ સમાન જેવા એટલે શું?

    ડોક્ટર સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા લખે છે કે જયારે અંગ્ર જાય અને સ્પેન્તી આવે, હમેશ્ગી આવે, સુખ દુખ સમાન જેવા લાગે તેવી ગતી આવે, ફીકરના ખોરાક ઉપર તનદરોસ્તી મેળવવાની ગતી આવે, બધુંજ ગમે – બધાંનેહ ચાહું એવી સામાન્ય ગતી આવે, ત્યારે ત્યાં હદ-માંથ્ર યસ્ની ગતીના રથવ્ય દોરો થાય છે (અહુનવદ ગાથા, હા 29, ડો. સાહેબ…

  • Jiyo Parsi Launches Three New Initiatives

    The Jiyo Parsi Program announced the launch of three new initiatives – ‘Jiyo Parsi Care’, ‘Jiyo Parsi Campaign’s Phase 3’ and the ‘Jiyo Parsi Calendar’, on Thursday 20th December, 2018, at the Sir Ratan Tata Institute in South Bombay. The event was held by the Parzor foundation and Madison BMB, in collaboration with the Bombay…

  • મળાવરોધમાં છાશ

    દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં…