ઇરાનશાહ પહેલ – વિઝન 2020 સાથે દાન (2 ભાગ 1)

યુવલ નોહ હરારીએ તેમના પુસ્તક ‘સેપિન્સ’માં કહ્યું છે કે, બ્રહ્માંડમાં કોઈ દેવ નથી, કોઈ રાષ્ટ્રો નથી, પૈસા નથી, કોઈ માનવ અધિકાર નથી અને મનુષ્યની સામાન્ય કલ્પનાની બહાર ન્યાય નથી. હરારી દલીલ કરે છે કે માનવતા સહકારથી કાર્ય કરે છે કારણ કે માણસોએ ધર્મો અને માન્યતા પ્રણાલી, રાજકીય સમાજો, નાણાકીય બજારો, ન્યાયિક પ્રણાલી વગેરેની રચના કરી છે કે આ સામાન્ય, કાલ્પનિક વાસ્તવિકતાઓ વિશ્વમાં અમલ કરે છે, કારણ કે દરેક લોકો તેમનામાં વિશ્ર્વાસ કરે છે.
જ્યારે કોઈ સમુદાયમાં મજબૂત માન્યતા સિસ્ટમ હોય છે, ત્યારે તે તેને એક ધર્મ તરીકે સંસ્થાકીય બનાવવાની અને તેના ભવિષ્યના જનરેશન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. મિલેનિયા માટે, અમારા જરથોસ્તી પૂર્વજોએ મૌખિક પરંપરા દ્વારા આ કર્યું, અહુરા મઝદાના શક્તિશાળી પ્રતીકની આસપાસ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાથે ઔપચારિક રૂપ આપ્યું – આતશ, પ્રકાશ અને જીવન આપનાર.
પછી ગ્રીસ અને રોમમાંના મંદિરો જોતાં, આપણા જરથોસ્તી રાજાઓએ મંદિરના બાંધકામો કરવાનું શરૂ કર્યું, જ્યાં પૂજા માટે આદરણીય આતશ વિરાજમાન કરવામાં આવી હતી. આવા ભૂલી ન શકાય તેવા સ્મારકો પાછળ છોડી દેવાની ઝંખના એ છે કે ભાવિ જનરેશન કદી એક બાજુ ન રહી જાય.
ઇરાનથી ભાગી ગયેલા અને ભારતમાં આવેલા આપણા જરથોસ્તી પૂર્વજોએ પણ આવું જ કર્યું – તેઓએ સંજાણમાં પ્રથમ આતશ બેહરામ એટલે કે વિક્ટોરિયસ ફાયરની સ્થાપના કરી. આ પવિત્ર જ્યોત ખૂબ આદરણીય અને મહત્વની હતી, તેથી શરણાર્થીઓ માત્ર ટકી શકશે નહીં, પરંતુ તેમના નવા વતનમાં ખીલી ઉઠશે, તેમની શ્રદ્ધા સુરક્ષિત થઈ શકે. જેથી તેઓએ તેને સ્થાને સ્થાને ખસેડ્યું, તેને બચાવવા માટે. લગભગ એક હજાર વર્ષ માટે જ્યાં સુધી તે ઉદવાડામાં 1742માં ફરીથી વિરાજનમાન ન થયું ત્યાં સુધી. આ આપણા ઈરાનશાહ છે!
સદીઓથી, ભારતના જરથોસ્તી સમુદાયો ઉદવાડાની આજુબાજુમાં ખીલે છે અને શારીરિક અને આર્થિક રીતે તેને ટેકો આપ્યો છે. પરંતુ છેલ્લી સદી દરમિયાન, હફ્ત કેશ્ર્વર જમીન પર મોટી સંખ્યામાં જરથોસ્તીઓ ખસેડ્યાં છે. આજે ભારતની તુલનામાં વધુ જરથોસ્તીઓ ભારતની બહાર રહે છે. ભારત અને ડાયસ્પોરામાં ઘણા માને છે કે તેઓ તેમની સમૃદ્ધિ અને સુખાકારી – આપણા ઇરાનશાહના આશીર્વાદને લીધે છે.
ઈરાનશાહ આપણા વિશ્ર્વાસની સાતત્યના સંકલના રૂપે આપણા હૃદય અને દિમાગમાં રહે છે. શબ્દો તે વર્ણવવા માટે અપૂરતા હોય છે જેથી ઘણાં જરથોસ્તીઓ પ્રાર્થના કરી છે અને અહુરા મઝદાના દૈવી કૃપાનો અનુભવ કર્યો છે. તેથી, હવે ભારત અને દુનિયાભરના આપણા બધા પર નિર્ભર છે કે, આ ભૌતિક સંસ્થાની આધ્યાત્મિકતાને શારીરિક, આર્થિક રીતે દરેક સંભવિત રીતે સમર્થન આપવા ઈરાનશાહ પહેલમાં ભાગ લે. અહુરા મઝદા આપણા ઈરાનશાહ અને આપણા જરથોસ્તી સમુદાયને આવનારા સમય માટે આશીર્વાદ આપે!

Similar Posts

  • XYZ’s ‘Positivity with Family’ Workshop

    On 24th September, 2017, twenty children of XYZ’s Jamshed’s Giants (JG) group attended a workshop on ‘Positivity with Family’, conducted by Kerafrid Damania, which commenced with a very creative introductory session, where children introduced themselves using a positive adjective that aptly described their personality. This was followed by short skits where children enacted the challenges…

  • હસો મારી સાથે

    નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો? આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો… *** પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો…

  • |

    Monsoons And Acne

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] In a career spanning four decades, the world’s leading Homoeopath, Padma Shri Dr. Mukesh Batra, has revolutionised the way homeopathy is practiced today. The Founder-Chairman of Dr Batra’s™ Group – the first and largest homeopathy corporate worldwide, he has treated over a million patients, including Presidents, Prime Ministers and prominent film personalities and celebrities….

  • Nina Wadia Awarded OBE

    52-year-old popular UK-based actor of Parsi Origin, Nina Wadia, was named among the awardees to be conferred the prestigious Officer of the Order of the British Empire (OBE) distinction in 2021. The list, as announced on 30th December, 2020, recognised her ‘Services To Entertainment And Charity’. She is best known for playing the lead roles in…

  • Daara Patel Awarded As Impactful Corona Warrior

    Lion Daara B Patel was recently felicitated as ‘The Most Impactful Corona Warrior’ during the Pandemic, by ‘Social Talks’, an NGO and IDMA (Indian Drug Manufacturers Association) for his efforts and contributions. These included coordinating with Central and State Governments to enable members from different states to increase their manufacturing capacity utilization from 20-30% to…