મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ.
રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે એકદમ બારીક પીસાય. જો તે બારીક નહિં પીસાઈ હોય તો હલવો સોફ્ટ નહિ બને. આથી શીરો બનાવતા પહેલા આટલી તૈયારી કરવામાં ખાસ ધ્યાન રાખવું. પેનમાં ઘી ગરમ થાય ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી મગની દાળને શેકો. દાળ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકવી. ખાસ ધ્યાન રાખો કે શીરો શેકવા માટે પહોળી કડાઈ જ લો. આવી કડાઈમાં શીરો નીચે ચોંટવાનો ડર ઓછો રહે છે. દાળ બરાબર શેકાઈ જાય પછી તેમાં ગરમ કરેલુ દૂધ અને પાણી નાંખો. ઘણા લોકો દૂધ-પાણી ઉમેર્યા પછી તરત જ ખાંડ ઉમેરી દેતા હોય છે. પણ જ્યારે હલવો ઓછો ચીકણો લાગવા માંડે પછી જ તેમાં ખાંડ ઉમેરો. આમ કરવાથી હલવો માપસરનો ગળ્યો બનશે. શીરામાં ઘી છૂટુ પડવા માંડે એટલે તેમાં એલચીનો પાવડર મિક્સ કરો અને ઉપર બદામ-પિસ્તાની કતરણથી તેને સજાવો. તમારો મગની દાળનો શીરો તૈયાર છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 September – 17 September 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. નાણાકીય લેતીદેતીમાં મુશ્કેલી નહીં આવે. તમે કોઈને ઉધાર આપેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. તમે જે પણ પ્લાન બનાવશો ભવિષ્યમાં તેનાથી તમને ફાયદો થશે. બને તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો….

  • Noshir Dadrawala Will Continue As Trustee Of BPP

    It was a month ago that BPP Trustee Noshir Dadrawala had first expressed his desire to consider stepping down from the BPP. Concerned about the quality of discussions and the heated e-mail exchanges, Noshir Dadrawala had contemplated putting in his papers, in keeping with the possibility of an election being held (to fill in his…

  • રોશનીની મુંઝવણ…

    રોશની 24 વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ 10 થી 12 છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી નસરવાનજી અકળાઈ જતા. નસરવાનજીના ધણીયાણી રોશનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું અને એમને સંતાનમાં એક માત્ર દીકરી રૂપે રોશની હતી. નસરવાનજી વલસાડની પ્રથમિક…

  • Letters To The Editor

    Dear Editor, I, Sam Chothia request you to please publish the attached Resolution which was passed unanimously at the Meeting of West Zone B Anjumans (Anjumans of Gujarat) on Sunday, 18th July, 2021. Nineteen Anjumans sent their representatives for this Meeting, including Ahmedabad, Vadodara, Surat. Even the heavy rains did not prevent most from attending….