મરીન ડ્રાઈવ પર આવેલા પારસી ગેટને બચાવવા ઓનલાઈન પીટીશન

મરીન ડ્રાઈવ પર આવેલ પારસી ગેટને બીએમસી દ્વારા આગામી દરિયાકાંઠાના રસ્તે ખસેડવાની સંભાવના છે. સંબંધિત નાગરિકોના જૂથે પારસી ગેટને બચાવવા માટે એક ઓનલાઈન પીટીશન અરજી શરૂ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મરીન ડ્રાઇવ બનાવતા પહેલા પાલનજી મિસ્ત્રી અને ભાગોજીશેઠ કીર દ્વારા 1915માં આ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને અરજીનો આરંભ કરનાર હવોવી સુખાડવાલાએ જણાવ્યું હતું કે દરવાજો જરથોસ્તી સ્ટાઈલમાં અને તેના પગથિયા માલાડ પત્થરોથી બનાવવામાં આવ્યા હતા. અને મુંબઈના લોકો દરિયાને ત્યાંથી ચઢાવો ચઢાવતા હતા.
મુંબઇના જરથોસ્તીઓ મરીન ડ્રાઇવ સ્થિત પારસી ગેટ પર એક સદી કરતા વધારે સમયથી આવાં યઝદ (જળ દેવતા) ને માન આપતા આવ્યા છે. હિન્દુઓ ખાસ કરીને મરીન લાઇન્સ ખાતેની ચંદનવાડી સ્મશાનગૃહમાંથી લાવેલ રાખ અને પૂર્ણિમાંને દિવસે ચઢાવો ચઢાવતા હોય છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેકટના 2016 ના પર્યાવરણીય અસર આકારણી (ઇઆઇએ) ના અહેવાલમાં દરવાજાને ધાર્મિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જેને બીએમસીએ હવે એક કિમી દૂર હટાવવાનો અને સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
સુખડવાલાએ કહ્યું કે બીએમસીએ મુંબઈ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટી પાસેથી એનઓસીની માંગ કરી નથી, પારસી ગેટ ખરેખર માસ્ટર કારીગરોનું કામ છે, જેમના પ્રેમના પરિશ્રમથી અરબી સમુદ્રની વિશાળતા સામે તે ટકી રહ્યો છે. પારસી ગેટ માટે મુંબઇ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટીની સલાહ સાથે પ્લાનિંગ ઓથોરિટી દ્વારા ‘બાહ્ય પરિવર્તન’ માટેની પરવાનગી મેળવવી પડશે.
બીએમસી નકકી નથી કરી શકયું કે 20મી સદીની શરૂઆતમાં પારસી ગેટને દરિયાકાંઠાના માર્ગ માટે મરીન ડ્રાઇવ પર તારાપોરેવાલા માછલીઘરની સામે ખસેડવામાં આવશે કે નહીં. ટીએઆઈ મુજબ, બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેટને હંગામી અથવા કાયમી ધોરણે સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, એવો દાવો કરતા, પારસી સમુદાયમાં એક
વિભાગ છે જે થાંભલાઓને ખસેડવાનો વિરોધ કરે છે કારણ કે તેઓ દાવો કરે છે કે સ્થળનું ધાર્મિક મહત્વ છે. આ જૂથે દરિયાકાંઠાના રસ્તાના કામ પૂર્ણ થયા પછી થાંભલાઓને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત અને તે જ સ્થળે સ્થાપિત કરવા જણાવ્યું હતું.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24th October – 30th October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આવતા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 27મી પછી અગત્યના કામ શરૂ કરવામાં સફળતા મળશે. ઉતરતી શનિની દિનદશા તમને સાંધાના દુખાવાથી પરેશાન કરશે. ત્રણ દિવસ સંભાળજો તમારા ઘરવાળા તમારાથી નારાજ થઈ શકે છે. 27મી પછી ઘરનું વાતાવરણ બદલાઈ જશે….

  • Film Review – THE ACCIDENTAL PRIME MINISTER

    Genre: Biography, Drama Rating: 2/5 108 minutes  Director: Vijay Ratnakar Gutte  The film could be termed a severe disappointment, or a hilarious take on the political scenario of our country from 2004-2014, which was the period when a certain, and ‘contingent’ gentleman held the office of India’s Prime Minister. It all depends on which side…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    29th August – 04th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા અટકેલા કામ ફરીથી શરૂ કરી શકશો. જે પણ કમાશો તેમાંથી ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા કરેલા કામનો બદલો મળી જશે. મિત્રો તરફથી માન સન્માન સાથે સાચી…

  • Uran Agiary Celebrates 113th Salgreh

    The Umrigar Agiary at Uran celebrated its 113th Salgreh on 8th October, 2017, amongst five hundred Zarthostis who travelled from Mumbai by sea and road to be present at the Agiary for the Khushali nu Jasan performed by Er. Hormuz Dadachanji, Er. Porus Katrak, Er. Kaivan Katrak, Er. Ardafrauash Zaroliwala and Hosedar Zaroliwala, at 10:00…

  • ‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

    તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ…