એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસીઓની પ્રથમ બેચ રવાના કરી

કોરોના વાઈરસ વિરોધી લડત સામેના નિર્ણાયક તબક્કામાં ભારતના પ્રવેશની નિશાની, રાષ્ટ્ર અને આપણા સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી, કેમ કે 12મી જાન્યુઆર 2021ના રોજ કોવિશિલ્ડ રસીથી ભરેલી ત્રણ ટ્રક રસી રસી બનાવનાર પાસેથી એરપોર્ટ માટે રવાના કરવામાં આવી હતી.
કોવિશિલ્ડ રસી ડોઝ, જે દેશના વિવિધ સ્થળો પર રોડવે અને હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા, શરૂઆતમાં વિવિધ રસીકરણ કેન્દ્રો પર વધુ વિતરણ માટે 60 માલવાહક પોઇન્ટ પર મોકલવામાં આવી રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે એરપોર્ટ અને રાજ્યની સરહદો સુધી રસી ડોઝ લઈ જતા ટ્રકોને પોલીસ સુરક્ષા પૂરી પાડી હતી. મીડિયાને આપેલા નિવેદનમાં ડીસીપી નમ્રતા પાટિલે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા રસીના પ્રથમ માલની સલામતી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આદર પુનાવાલાએ સોશિયલ મીડિયા પર આ ગર્વની પળને એક ટ્વિટમાં શેર કરી છે કે, કોવિશિલ્ડનું પહેલું શિપમેન્ટ આખરે ભારતભરમાં અનેક સ્થળોએ રવાના થયું હોવાથી એસઆઈઆઈ ખાતેની ટીમ માટે આ એક ભાવનાત્મક ક્ષણ છે.
મુંબઈ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે દેશના 20 શહેરોમાં કોવિશિલ્ડના 2,72,400 ડોઝ મોકલવામાં આવ્યા છે. ગો એરની પહેલી ફ્લાઇટ ગોવા 23,500 ડોઝ સાથે રવાના થઈ. ત્યારબાદ સ્પાઇસ જેટ, ગોએર અને વિસ્તારા વિમાનો બાગડોગરા, રાજકોટ, રાંચી, ઇમ્ફાલ, અગરતલા, કોચીન, ભોપાલ, કાનપુર, જમ્મુ, શ્રીનગર, લખનઉ, ચંદીગઢ, ગોરખપુર, રાયપુર, દહેરાદૂન, વારાણસી, ઇન્દોર, તિરુવનંતપુરમ અને જબલપુરમાં ડોઝ મોકલાવામાં આવ્યા હતા.
કોવિડ -19 રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો ભારતમાં 16મી
જાન્યુઆરી, 2021થી શરૂ થયો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને અગ્રતા આપીને વિશ્ર્વનો સૌથી મોટો ઇનોક્યુલેશન પ્રોગ્રામ કહ્યો છે. ફ્રન્ટલાઇન આરોગ્ય કાર્યકરોને આ રસી નિ:શુલ્ક આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કામદારો માટે કોવીડ -19 રસીકરણનો ખર્ચ ઉઠાવશે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશના પ્રત્યેક રસી કેન્દ્ર પર દર સત્રમાં વધુમાં વધુ 100 લોકોને રસી આપવામાં આવશે. પ્રથમ ડોઝ પછી, લાભાર્થીઓએ ચાર અઠવાડિયામાં બીજો ડોઝ લેવો પડશે. આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં રસી કેન્દ્રોની સંખ્યા ધીરે ધીરે વધારવામાં આવશે.

Similar Posts

  • From the Editors Desk

    Celebrating The True Essence Of Christmas 2020 Dear Readers, There’s precious little that hasn’t been redefined to fall in line with the new normal, as we live through the globally disruptive novel coronavirus pandemic. The world’s most celebrated festival – Christmas – is no exception. But while the superfluous symbolism of Christmas will be greatly…

  • |

    A Faithful Heart Is A Hopeful Heart!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • Jamshed Bhagwagar Elected Gujarat State Coordinator

    Jamshed Bhagwagar was elected as Gujarat State Coordinator from Bharatiya Chhatra Sansad (BCS) on 22nd April, 2017, at a ceremony held in Pune. This platform seeks to transform the outlook of young minds and strengthen foundation of Indian democratic leadership. Being an active BCS participant since four years, Jamshed is associated with a few NGOs…

  • Mani Mulla Wins ‘Dignity Dance Icon 2018’

    78-year-old, Mani Mulla recently bagged the ‘Dignity Dance Icon 2018’ title at the ‘Dignity Icon’ competition held at Ravindra Natya Mandir, Mumbai on 14th August, 2018. Orchestrated to celebrate the singing and dancing talent among the senior citizens of Mumbai, the competition witnessed over three hundred and fifty participants, with only twenty-four contestants reaching the…

  • હસો મારી સાથે

    રોજ સવારે બેગ માંથી લેપટોપ, ચાર્જર, માઉસ, યુએસબી કેબલ, હેડફોન, મોબાઈલ ચાર્જર કાઢીયે ત્યારે… સાલુ મદારી જેવું ફીલ થાય હો… *** પતિ 45ના થાય એટલે પત્નીના શક કરવાના ત્રાસમાંથી માંડ છુટકારો મળતો.પણ આ અનુપ જલોટા એ એવો દાટ વાળ્યો છે કે હવે 60એ પણ ત્રાસ રહેવાનો.. *** રાહુલ ગાંધીએ કહ્યું: પેટ્રોલની કીંમતનો વિરોધ સૌથી વધારે…

  • ઝેડએસી જીતના જાનની ઉજવણી કરશે

    સૌથી હિંમતવાન બહેરામ યઝદ બોલે છે (સહાય માંગનાર પાસે) હું હિંમતમાં સૌથી વધારે હિંમતવાન છું, હું વિજય મેળવનારમાં સૌથી મોટો વિજયી છું, નફામાં હું સૌથી મોટો નફાકારક છું, આરોગ્યમાં હું સૌથી વધારે આરોગ્ય આપનાર છું હું -બેહરામ યશ્ત પેરા 3 1 જૂન, 2021 ના રોજ કોરોના વાયરસ ઉપર ફત્તેહ મેળવવા આપણા સમુદાય અને તમામ માનવતાને…