એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, બધા જ શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમો આવી રીતે ઉજવવામાં આવે છે. બીનાયફર પોરસ ઈરાની દ્વારા નવા સમુદાયના સભ્યોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે, જે નિ:સ્વાર્થ રીતે તમામ સમુદાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આગેવાની લે છે જે જરથોસ્તીઓ એનઝેડમાં સ્થાયી થયા છે.
બીનાયફર ઈરાની લખે છે, એક સમુદાય કે જે પ્રાર્થના કરે છે અને ખાઈને સાથે રહે છે! આપરે ન્યુઝીલેન્ડર- જરથોસ્તીઓ બધા ખાતા-પીતા અને મઝા-મસ્તી-કરતા લોકો, હલી-મલી ને રહીયેચ! અહુરા મઝદાને પ્રાર્થના કરીયે છીએ અને આશીર્વાદની ચાસ્ની વહેંચીએ છીએ, સાથે સ્વાદિષ્ટ ભોજન પણ ખાઈએ છીએ. ઓકલેન્ડમાં આપણા કિવિ-ઝોરાસ્ટ્રિયન સમુદાયના યુવાનો ખુશાલી, મેહેરીયાન જશનમાં આપરી દાદગાહ (ફરાઉદ શાહલોરી દર-બે-મેહર) પર, પારસીરંગા ખાતે, – અરે, મારો મતલબ પાકુરંગા ખાતે મોટી સંખ્યામાં ભેગા થાય છે તે જોવાનું હંમેશાં હૃદયસ્પર્શી દૃશ્ય છે.
વર્ષના અંતમાં પણ મનોરંજક એકસમસ પાર્ટી સાથે ખાસ ઉત્સવની તૈયારી જોવા મળી, જ્યાં આપણા ગતિશીલ એનઝેડ-આધારિત બાવીઓ – બીનાયફર ઇરાની, મહાફ્રીન વરિયાવા અને ફર્ઝિન દાદાભોઇ – એક સ્પ્રિંગ-સમર જશનનું આયોજન કર્યું હતું જેમાં જશનની પવિત્ર ક્રિયા છ મોબેદો એરવદ – જમશીદ તાતા, ફ્રેડી દસ્તુર, નવઝાદ છોર, ફર્ઝન રાવ, ઝરીબ કરકરીયા અને બેહઝાદ કરકરીયા કરી હતી 2020ને સલામત બનાવવા માટે. તે ખરેખર કિવિ-ઝોરાસ્ટ્રિય ક્રિસમસ પાર્ટી સાથે કિવિલેન્ડમાં આનંદની મોસમ હતી! બાળકોને વ્યસ્ત રાખવા માટે આઈસ્ક્રીમ લાકડીઓથી ક્રિસ્મસ ટ્રી બનાવવા જેવા ક્રાફ્રટ પ્રોજેકટસનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી 80થી વધુ પુખ્ત વયના જરથોસ્તી લોકોને નૃત્ય જેવા વધુ મુક્ત અને મનોરંજક કાર્યકમ માટે સમય મળી શકે! ચિકન ચારકોલ બિરયાની અને સ્વાદિષ્ટ કુલફી સાથેના પ્રારંભિક તમામ 120 ઉપસ્થિત લોકો દ્વારા સંપૂર્ણ આનંદ માણવામા આવ્યો હતો. શ્રીમતી સાન્તાક્લોઝ હતી જેણે બાળકો અને સિનિયરોને ભેટો આપી અને બદલામાં ઘણી બધી કીસીસ પ્રાપ્ત કરી!
આ કાર્યક્રમને પ્રાયોજીત કરવા માટે મઝદા બિલ્ડર્સ લિમિટેડના પોરસ ઈરાનીને તેમ જ બીનાયફર ઈરાનીને એનઝેડના ઝોરાસ્ટ્રિયન સમુદાયને જીવંત રાખવા અને મનોરંજક પ્રસંગો સાથે રોકિંગ માટે સતત સહયોગ આપવા બદલ ખાસ આભાર માન્યો હતો.

Similar Posts

  • હસો મારી સાથે

    આવું પણ થાય ક્યારેક ક્યારેક.. કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!! એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ.. બોલી: હાય, હું.., ફર્સ્ટયર હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. સંતુરસાબુ શું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 April – 22 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં દોસ્ત ઓછા દુશ્મન વધુ થશે. મિત્રોનો સાથ સમય પર નહીં મળે. માથાનો દુખાવો, તાવ, શરદી ખાસીથી પરેશાન થશો. ભાગદોડ બને તો ઓછી કરજો….

  • Caption This – 22nd August

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 26th August, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which…

  • Parsis Defend Rights To Bar Non-Zoroastrians Entering Fire Temples

    In an affidavit filed before a division bench of the Delhi High Court last week, the Delhi Parsi Anjuman (DPA) has claimed that the law doesn’t grant any person the right to demand an entry or the use of facilities of the Parsi community, which includes the fire temple located near Delhi Gate. This was…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 November – 19 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. ગુરુની કૃપાથી લીધેલા કામને પૂરા કર્યા વગર મુકશો નહીં. ઘરમાં વડીલવર્ગને માન પાન આપવાથી તેમના આર્શિવાદ મેળવશો. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14…