બુરા ન માનો હોલી હે!!

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, અને લાકડાંની હોળી ખડકવામાં આવે છે. ત્યાર બાદ લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ, શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. પ્રદક્ષિણા કરતી વખતે પાણી ધોળી તેની પૂજા કરવામાં આવે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશ્યપુનો વધ પણ હોળી સાથે સંકળાયેલો છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
આ દરમિયાન, હિરણ્યકશ્યપુનો પોતાનો પુત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપુ એ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને હુતાસણીથી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને પડવો કહેવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને હોળીનાં ફાગ તરીકે ઓળખવામાં આવે છે, આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે. આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 September – 24 September 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા બે દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હીસાબી લેતી-દેતીના કામ બે દિવસમાં પુરા કરી લેજો. 20મીથી 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમને ચારે બાજુથી પરેશાન કરશે.ઘરવાળા તમને માન સન્માન નહીં આપે. તેનું દુ:ખ લાગશે.આજથી ‘મહેરની આએશ’ સાથે ‘મોટી…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Chhota Kashmir: Chhota Kashmir is a garden with a small lake nestled within Aarey Milk Colony, an extended forest area of Borivali National Park, at Goregaon in Mumbai. Offering boating facilities and place to…

  • Parsee Gymkhana Clinches Madhav Mantri Tournament!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#0b1657″] Parsee Gymkhana (PG), the most popular and loved team in Mumbai Cricket, has garnered a massive fan following beyond the city and India… including Austria, England, UAE, Australia, New Zealand and even Russia! PG’s cricketing chronicles continue to win hearts that beat for cricket the world over! This unit is very…

  • It’s Surat To Spain For TT Champ Frenaz Chipia

    Current Gujarat No. 1, former Silver Medalist at the Open Senior Table-Tennis Nationals and key member of the Parsee Gymkhana (Marine Lines) TT team, Frenaz Chipia is off to Belgium later this month, along with top national players – Sharath Kamal, G Sathiyan, Sanil Shetty, Mouma Das and Manika Batra, to participate in the Belgium…

  • ગાહો વિશે

    ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…

  • દિવાળીએ પ્રકાશનો તહેવાર છે ઘોંઘાટનો નહીં

    પારસી સમુદાય ઉજવણી કરવાનું પસંદ કરે છે. આપણા પોતાના તહેવારો જ નહીં, પરંતુ દિવાળી અને ક્રિસમસ સમાન ઉત્સાહ સાથે ઉજવે છે. જો કે, ઘણી વખત આપણા ઉત્સાહમાં, આપણા પોતાના ધર્મના અમુક મૂળભૂત ઉપદેશોનું આપણે જ ઉલ્લંઘન કરીએ છીએ. ઉદાહરણ તરીકે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનો દુરુપયોગ. ફટાકડા માત્ર હવા અને ધ્વનિ પ્રદૂષણનો સ્ત્રોત નથી, પરંતુ એ…