બનાજી લીમજી અગયારીએ 312 વર્ષની ભવ્ય ઉજવણી કરી!

21મી એપ્રિલ, 2021 ના રોજ, આદર મહીનો – આદર રોજ, બનાજી લીમજી અગિયારીએ તેની 312મી સાલગ્રેહની મુંબઈમાં ઉજવણી કરી. બનાજી લીમજી, જે એક શ્રીમંત વહાણના માલિક અને દાવર (ન્યાય વિતરક) હતા બાદમાં પારસી અંજુમનના ખજાનચી તરીકેનો દરજ્જો તેમણે મેળવ્યો હતો. તે સુરતથી સ્થળાંતર કરનાર વેપારી બનાજી લીમજી દ્વારા 1709માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાજી લીમજી અગિયારી એ આતશની જ્યોતનું સૌથી પ્રાચીન જીવિત ભંડાર છે; ત્રણ સદીઓથી, અગિયારીના પૂર્વ ભાગમાં અગ્નિનું રક્ષણ કરવામાં આવ્યું છે. અગિયારીની દિવાલો કિલ્લા જેવી મજબૂત છે અને બનાજી પરિવારના ટ્રસ્ટીઓ તથા ધર્મપ્રેમી પંથકીઓ દ્વારા તેની સંભાળ રાખવામાં આવે છે.
બનાજી લિમજી અગિયારીનો આતશ 1803માં નાશ પામ્યો હતો અને બનાજી પરિવાર દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું, પવિત્ર આતશની સાથે 15મી એપ્રિલ, 1845ના રોજ ફરી સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સામુહિક સમારકામ અને મકાનની આંતરિક રચનાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય સમારકામ અને નવીનીકરણમાં લગભગ બે વર્ષ ગાળ્યા બાદ (કોવિડ રોગચાળો દ્વારા ભારે વિલંબ થયો) – અરની અને મની દારૂવાલાએ તેમના માતા પિતા ગુલબાઈ અને પીરોજશાની યાદમાં સમર્પિત રૂ. 50 લાખની ઉદાર ગ્રાન્ટને આભારી છે. અગિયારી જરથોસ્તી સમુદાય માટે ફરીથી ખોલવામાં આવી. અગિયારીને અંદરથી તથા બહારથી પેઇન્ટિંગ કરવામાં આવી છે; દાદગાહના ઓરડો ટાઇલ કરેલો છે; નવી એલઇડી લાઇટ, છત અને એક્ઝોસ્ટ પંખા, વોટર પમ્પ્સ, ઇલેક્ટ્રિકલ ફિટિંગને ફરીથી બનાવવામાં આવ્યા છે, ગુમ્બજનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કુલ ખર્ચ કૃપાળુ દારૂવાલા બહેનો તરફથી મળેલા લાભથી આશરે રૂ. 20 લાખને વટાવી ગયો, ત્યારે અગિયારીએ ગુપ્ત રાખવાનું પસંદ કરતા દાતા પાસેથી વધુ એક મોટું દાન મેળવ્યું. આ તમામ વ્યકિતઓને ટ્રસ્ટીઓ અદી બરજોર બનાજી, જમશેદ દાદી બનાજી, બરજોર એદલજી બનાજી અને નોશીર અદી મહેતા નમ્રતાપૂર્વક તેમનો ખૂબ આભાર માને છે.
ટ્રસ્ટીઓએ દાન આપનારાઓની પ્રશંસા વ્યક્ત કરવા માટે કાર્યક્રમ યોજવામાં સક્ષમ ન હોવાનો પસ્તાવો કર્યો છે ખાસ કરીને છેલ્લા 12 વર્ષથી આ પદ પર સૌથી વધુ સક્ષમ એવા એરવદ હોશેદાર ગોદરેજ પંથકી અને અગિયારીના અન્ય કર્મચારીઓ, ખાસ કરીને ઓફિસ મેનેજર – શ્રી મામા.
ટ્રસ્ટીઓ ભૂતકાળના અગિયારીના પંથકી અને ટ્રસ્ટની સેવાઓ કૃતજ્ઞતા સાથે યાદ કરે છે, અંતમાં મરહુમ એરવદ ગોદરેજ રૂસ્તમજી પંથકી, જેમણે 48 વર્ષ સુધી મોબેદ તરીકે સેવા આપી હતીે. તેવી જ રીતે ટ્રસ્ટીઓએ ભૂતપૂર્વ ટ્રસ્ટી મરહુમ હોશંગ નાદીરશા વાણીયા, 40 વર્ષ સુધી ટ્રસ્ટના સભ્ય માટે પણ પ્રાર્થના કરી હતી. બનાજી લીમજી અગિયારી જેવી પ્રાચીન સંસ્થાઓની પવિત્ર હાજરી દ્વારા સુરક્ષિત રાખીને, જરથોસ્તી સમુદાયને આદરિયાન સાહેબની પવિત્ર અગ્નિના પ્રકાશથી હંમેશાં માર્ગદર્શન આપે.

Similar Posts

  • In Memoriam

    Prof Rumy Mistry was a Senior Member of Baroda University with an area of specialisation in Engineering (Textile)and Higher Education. One of the first supporters of Parzor, his work for his country and community remains remarkable. He was the Chairperson of the Election Committee Of the Baroda Parsi Punchayat. His work with the Federation of…

  • Your Moonsign Janam Rashi This Week –
    9th September, 2017 – 15th September, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા હિસાબી કામકાજ ઉપર ધ્યાન આપી પહેલા પૂરા કરજો. મિત્રોની મદદ મળી રહેશે. જે પણ પ્લાન બનાવો તેમાં ધ્યાન આપી 20મી પહેલા પૂરા કરી લેજો. નાણાકીય ચિંતા નહીં આવે જે પણ કમાવો તેમાંથી ઈનવેસ્ટ જરૂર…

  • આહાર ગ્રહણ

    જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ,…