હોળી પુજન

હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્ર્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.
હિરણ્યકશ્યપુુુનો પોતાનો પૂત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એને પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્ર્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્ર્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપુુુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપુુનો વધ કરે છે.
આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં
આવે છે.

Similar Posts

  • હસો મારી સાથે

    એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    14th November – 20th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. થોડી મહેનત કરવાથી તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. ચાલુ કામમાં કોઈ પણ મુશ્કેલીઓ નહીં આવે. નાના-નાના ફાયદા મળતા રહેશે. તમારા નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. કોઈની ભલાઈનું કામ કરશો. દરરોજ…

  • Teshtar Tir Yazad (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • Centennial Celebration Of Dadar Athornan Institute

    The Dadar Athornan Institute (Dadar Madressa) organised its centennial function at the Mancherji Joshi Hall of the Institute on 22nd December, 2018, with Dr. Nadir Godrej as the Chief Guest, accompanied by his wife Dr. Rati Godrej and sons Er. Burgess and Er. Hormuzd Godrej. Presided over by President of the Athornan Mandal, Vada Dasturji…