આમળા

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.
આમળામાં વિટામિન-સી મળી આવે છે જે ઇમ્યૂનિટી અને મેટાબોલિઝ્મ વધારવાનું કામ કરે છે. આમળા કોલ્ડ, કફ ઉપરાંત શરીરમાં વાયરલ અને બેક્ટીરિયલ ઇન્ફેક્શન થવા દેતું નથી. આમળામાં એવા તત્ત્વ પણ મળી આવે છે જે કેન્સર સેલ્સ સામે લડવાનું કામ કરે છે. આમળાનો જ્યુસ શરીરની તમામ પ્રક્રિયાઓને સંતુલનમાં રાખે છે અને ત્રિદોષ એટલે કે વાયુ, કફ અને પિત્તને ખત્મ કરે છે.
અસ્થમામાં ફાયદાકારક: આમળા શ્વાસની બીમારીઓ જેવી કે અસ્થમામાં રાહત અપાવવાની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. આમળાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ: નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં મળી આવતો એમિનો એસિડ અને એન્ટીઑક્સીડેન્ટના કારણે હૃદય સારી રીતે કામ કરે છે.
લિવર માટે ફાયદાકારક: આમળામાં લિવરને સુરક્ષિત રાખવાના તમામ તત્ત્વ મળી આવે છે. આ શરીરમાંથી તમામ વિષારી પદાર્થોને બહાર કાઢે છે.
મોંઢામાં ચાંદા પડવા: હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આમળાનો રસ ખાંસી અને ફ્લૂની સાથે-સાથે મોંઢાના ચાંદા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો એક અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. બે ચમચી આમળાના જ્યુસમાં બે ચમચી મધ મિક્સ કરીને દરરોજ પીવાથી શરદી અને ખાંસીમાં ઘણી મદદ મળે છે. મોંઢામાં પડતાં ચાંદાથી છૂટકારો મેળવવા માટે બે ચમચી આમળાના જ્યુસને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.
વાળને મજબૂત બનાવવા: વાળ માટે આમળા એક દવાની જેમ કામ કરે છે. આપણા વાળની રચનામાં 99 ટકા પ્રોટીનનું યોગદાન હોય છે. આમળામાં મળી આવતો એમીનો એસિડ અને પ્રોટીન વાળને વધારે છે, ખરતાં રોકે છે અને જડથી મજબૂત બનાવે છે.
દાગ-ધબ્બાથી છૂટકારો: આમળા જ્યુસ સ્કિન ટ્રીટમેન્ટના કામમાં પણ આવે છે. આમળાના રસને રૂમાં પલાળીને લગાવવાથી ચહેરા દાગ-ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.
ન્યૂટ્રિશન ડ્રિન્ક: વિટામીન-સી ઉપરાંત આમળામાં આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ વધુ પ્રમાણમાં મળી આવે છે અને તેને એક ન્યૂટ્રિશન ડ્રિન્કની જેમ પણ પી શકાય છે.

Similar Posts

  • ભગવાન આવી વહુ દરેકને આપજો

    રોશન એક પૈસાવાળા કુટુંબની દીકરી હતી તેના લગ્ન પણ પૈસાવાલા સાથે જ થયા હતા તેને તેના પૈસાનો ઘમંડ તો હતો સાથે તેણે કોઈ દિવસ ગરીબી નહોતી જોઈ એટલે તેને પૈસાની કિંમત નહોતી. પરંતુ તેનો દીકરો રોહિન્ટન એક મધ્યમવર્ગી પારસી સુંદર. દેખાવડી પરવીનના પ્રેમમાં પડયો અને પોતાની મમ્મીના ખીલાફ જઈ તેણે પરવીન સાથે લગ્ન કર્યા રોશન…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th March – 19th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારા રોજબરોજના કામમાં ફાયદા મળતા રહેશે. તમે જે પણ કમાશો તેમાંથી મોજશોખમાં વધુ ખર્ચ થશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના…

  • MEJ Dharmagnan Class Celebrates 38th Annual Day

    The Mancherji Edulji Joshi Dharmagnan (MEJ) Class at Dadar, under the auspices of the Mancherji Edulji Joshi Memorial Trust (MEJMT), celebrated its 38th Annual Day on 19th November, 2017, at JB Vachha High School at Dadar. Coordinated by MEJMT Trustee, Mahiyar Dastur and executed by the students of the Dharmagnan class, under the able supervision…

  • PM Modi Awards Ratan Tata

    ‘ASSOCHAM Enterprise Of The Century’ Award The Associated Chambers of Commerce of India (ASSOCHAM) organised its Foundation Week from 15 to 19 December, 2020, celebrating the theme, ‘India’s Resilience: Atmanirbhar Roadmap Towards $5 Trillion Economies.’ PM Modi addressed the ‘ASSOCHAM Foundation Week 2020’ via video conferencing. Marking the finale of the celebrations on 19th December, PM Modi presented…

  • COPING WITH PANIC ATTACKS!

    A panic attack is a sudden episode of intense fear that triggers severe physical reactions when there is no real danger or apparent cause. Panic attacks can be very distressing – they arrive suddenly and involve intense and often overwhelming fear. They’re accompanied by very challenging physical symptoms, like racing heartbeat, shortness of breath, or…