રોજ સવારે 1 કપ પાણીમાં ચપટી મુલેઠી (જેઠી મધ)નાપાઉડર નાખીને પીવો, નહીં થાય શરદી-ખાંસી, વજન પણ રહેશે કંટ્રોલમાં

મુલેઠી (જેઠી મધ)નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.
ખાસ કરીને શરદી-ખાંસી માટે તેનો વધુ
ઉપયોગ થાય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે શરદી-ખાંસી કફમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાઉડર મિક્ષ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને બહુ જ ફાયદા મળી
શકે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટસ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરે છે.
મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે.
મુલેઠીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. જેથી તેને ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી તેનો ઉકાળો પીવાથી બોડીમાં રહેલાં ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે. મુલેઠીને રોજ એક કપ પાણીમાં ઉકાળીને પીવાથી અથવા કટકો ચુસવાથી ડાઈજેશન સુધરે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.
મુલેઠીનું ડેઈલી સેવન કરવાથી તે મેટાબોલિઝમ વધારે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને ખાધેલો ખોરાક સરળતા પચી જાય છે.
જો તમે ગળામાં ઈન્ફેક્શન હોય અથવા વારંવાર ગાળું ખરાબ થઈ જતું હોય તો મુલેઠીનું સેવન કરવાથી લાભ થાય છે. તેમાં રહેલી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. મુલેઠીમાં રહેલાં તત્વ હાઈપર એસિડિટીને દૂર કરે છે. સાથે જ તે પેટના અલ્સરની સમસ્યાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.
જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો રોજ મુલેઠીનું સેવન કરો. તેનાથી કબજિયાતમાં આરામ પડી જશે. મુલેઠીનું સેવન કરવાથી શરીરમાં રહેલાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો ઓછો થાય છે. મુલેઠીમા એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી તેનું સેવન કરવાથી સ્કિન સંબંધી ઈન્ફેકશન અને સ્કિનની સમસ્યાઓ દૂર થાય છે.
રોજ મુલેઠીનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે અને ફેફસા સ્વસ્થ રહે છે. સાથે જ અસ્થમાની સમસ્યામાં પણ મુલેઠી ખૂબ લાભકારી છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 Decemmber – 10 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તો ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારાથી બીજાની ભલાઈનું કામ થઈ જશે. કોઈકના મદદગાર બની શકશો. ગુરુની કૃપાથી જાણતા અજાણતા કોઈક વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પાક પરવર દેગાર બનાવી દેશે….

  • Godrej Launches Vaccine-Friendly Refrigerators, Mobile Freezers

    Godrej Appliances, part of the Godrej & Boyce Group, is launching specially refrigerated mobile vans and ultra-low temperature freezers to help in transportation of coronavirus vaccines in India. As per news reports quoting Jamshyd Godrej, Chairman and Managing Director, Godrej & Boyce, Godrej Appliances, which commands 63 years of experience in refrigeration technologies, is currently…

  • ઉધાર

    એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે…

  • Caption This – 25th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 29th March 2023. . [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and…

  • Tata-owned Jaguar Land Rover Recovers 75% Production In China

    As per news reports, Tata Motors Ltd-owned British luxury carmaker, Jaguar Land Rover (JLR), has restored three-fourth of its budgeted production in China, with Chery Jaguar Land Rover Automotive Co Ltd or CJLR’s manufacturing plant in Changshu, gradually resuming operations from third week of February, restoring its production capacity to 75% of pre-COVID19 levels.  Ramped-up…