દાદર અથોરનાન ઇન્સ્ટિટયુટમાં બોર્ડરને જોડાવા પ્રોત્સાહન આપવા માટેની ઈન્સેન્ટીવ સ્કીમ Incentive Scheme for Encouraging Boarders to join Dadar Athornan Institute

અથોરનાન મંડળ, મુંબઈ દ્વારા 1919માં સ્થપાયેલ દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યુટ (ડીએઆઈ) એ એકમાત્ર સ્કૂલ છે જે અથોરનાન ફેમિલીના જરથોસ્તી યુવાનોને ધાર્મિક સંસ્કારો અને ધાર્મિક વિધિઓમાં સંપૂર્ણપણે મફત ટ્રેનીંગ આપે છે તેમજ સારી સ્કૂલ્સમાં તેમના સેક્યુલર શિક્ષણની વ્યવસ્થા કરે છે. ડીએઆઈમાંથી પાસ થયેલા અથોરનાન યુવાનોને યોઝદાથ્રેગર મોબેદ બનવાની તાલીમ આપવામાં આવે છે.
અથોરનાન છોકરાઓના વાલીને તેમના બચ્ચાઓને ડીએઆઈમાં દાખલ કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી, ડેનવર, યુએસએ ખાતે આવેલા ઝરીન નેવિલ સરકારી ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી; શ્રી નેવિલ એચ. સરકારી અને હ્યુસ્ટનના તેમના સાથી-ટ્રસ્ટી શ્રી જહાંગીર શ્રોફ સાથે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના ટ્રસ્ટીસ સાથે મળીને એક સ્કીમ બનાવી હતી, જે અથોરનાન છોકરાઓના માતા-પિતાને તેમના ધાર્મિક અને સેક્યુલર એજ્યુકેશનના અભ્યાસના સમયગાળા માટે સેક્ધડરી લેવલે એજ્યુકેશન પુરું કરવા ડીએઆઈમાં બોર્ડર તરીકે દાખલ કરવાં માટે ઉત્તેજન આપશે.
આ સ્કીમની મુખ્ય લાક્ષણિકતાઓ આ મુજબ છે:
જૂન 2023થી માં જોડાતા બોર્ડર્સ માટે:
*) દર વર્ષે રૂ. 60,000 ની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને અભ્યાસનો આખો સમય પૂરો કર્યા પછી તેઓ જ્યારે ડીએઆઈ છોડે ત્યારે, બધા વરસની ભેગી રકમ વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે લાયક બનશે.
ઉદાહરણ: જૂન 2023 માં ધોરણ-1માં એડમિશન લેનાર બોર્ડર, ધોરણ-10 (એસએસસી) સુધીની સ્ટડીઝ પુરી કરી જયારે ડીએઆઈ છોડે ત્યારે આ રકમ મેળવશે:
1) રૂ. 600,000: (મુદ્લ રકમ, વરસ દીઠ રૂ. 60,000),
2) રૂ. 230,947: (વાર્ષિક 7.05%ના દરે નોશનલ ચક્રવૃદ્ધિ વ્યાજ). રૂ. 830,947: કુલ રકમ
તે ઘણી રીતે સ્પષ્ટ કરવું જરૂરી છે કે, એકવાર સ્ટુડન્ટ ડીએઆઈમાં નોંધણી કરાવે પછી તેનો સ્ટડીઝનો પુરેપુરો સમય પુરો કરે તોજ તેનો ભાગ મેળવવાને લાયક ગણાશે. ડીએઆઈમાંથી અધવચ્ચેથી ઇન્સ્ટિટ્યુટ છોડી જનારા બોર્ડર્સ આ સ્કીમમાંથી કોઈપણ રકમ મેળવવાને લાયક ગણાશે નહીં.
અ) જે સ્ટુડન્ટસ વર્ષ 2012 થી 2016 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ. 60,000 ની 75% રકમ.
બ) જે સ્ટુડન્ટસ વર્ષ 2017 થી 2019 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ.60,000 ની 50% રકમ.
ક) જે સ્ટુડન્ટસ વર્ષ 2020 થી 2022 ના સમયમાં જોડાયા છે તેઓ માટે: ડીએઆઈમાં જોડાયાના વરસથી 2022 ના વરસ સુધીના વર્ષની સંખ્યાના, વર્ષ દીઠ રૂ.60,000 ની 25% રકમ.
આ હાલના બોર્ડર્સ 31મી ડિસેમ્બર, 2022 સુધી તેમના ઇન્સેન્ટિવ ફંડ પર કોઈપણ વ્યાજ મેળવવાને લાયક ગણાશે નહીં.
સાચા દિલથી આશા છે કે જુવાન અથોરનાનના માતા-પિતા આ સ્કીમનો પુરેપુરો લાભ લેશે.
ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ,                                                    અથોરનાન મંડળ,
દિનશા કે. તંબોલી,                                                              દસ્તુરજી ખુરશેદ કે. દસ્તૂર,
ચેરમેન                                                                                  પ્રેસિડન્ટ
હોમિયાર એફ. માદન,                                                          રામિયાર પી. કરંજિયા,
મેનેજિંગ ટ્રસ્ટી (મુંબઈ),                                                       પ્રિન્સિપાલ
દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યુટ

Similar Posts

  • Sir J J Schools’ Annual Alumni Jasan And Get-Together

    Sir J J Schools’ Alumni Association celebrated their annual get-together with a Jasan ceremony performed Er. Yazdi Dhala and his son, on 7th April, 2018, followed by distribution of sumptuous snacks and friendly banter, amidst guffaws of laughter, and an evening of camaraderie and reminiscences that concluded with promises to stay in touch.

  • Your Moonsign Janam Rashi This Week –
    30 June, 2018 – 06 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં બદલાવ આવી જશે. તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જશો. જમીન જાયદાદના કામમાં 24મી જુલાઈ પછી સફળતા મેળવશો. તાવ-માથાના દુ:ખાવો હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થતા રહેશો. ખાવાપીવામાં જરાબી બેદરકાર રહ્યા તો માંદગીને વેલકમ કરવાનો સમય આવી…

  • I Understand, It Hurts!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. You can…

  • Online Petition To Save Parsi Gate, Marine Drive

    A group of concerned citizens have started an online petition to save the Parsi Gate at Marine Drive in South Mumbai, which is likely to be relocated by the BMC for the upcoming coastal road. The petition states, the over a century-old gate, built by Pallonji Mistry and philanthropist, Bhagojisheth Kheer in 1915, has been…

  • મહિલા દિવસની શુભેચ્છાઓ!

    દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે એક એવો દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે પ્રશંસા, પ્રેમ અને આદર દર્શાવે છે. વિશ્ર્વભરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચળવળ અથવા કૂચ સહિત વિવિધ કાર્યક્રમો થાય છે. સ્ત્રી એ ભગવાનની સુંદર રચના કહેવાય છે! એ હકીકત છે કે તમામ મહાન…