આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી.
તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની સૌથી નજીકની ઉર્જા છે. તે ઊર્જા છે, તે પ્રકાશ છે, તે હૂંફ છે અને તે જીવનદાન આપનાર છે. અંધકાર કે દુષ્ટતાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી.
જેમ અંધકાર એ પ્રકાશની ગેરહાજરી છે, તેવી જ રીતે ખરાબ પણ સારાની ગેરહાજરી છે.
આપણામાંથી ઘણાને આશ્ચર્ય થાય છે કે બોઈ સમારંભ દરમિયાન આપણે ઊભા રહેવું જોઈએ કે બેસી રહેવું જોઈએ. બોઈ સમારંભ દરમિયાન, દુષ્ટતાને ધાર્મિક રીતે દૂર કરવામાં આવે છે અને આનાથી કેટલાક ભક્તો વિચારે છે કે જો કોઈ ઘંટના તાલ પર ઉભા થાય છે, તો તેનો મતલબ તે દુષ્ટ શક્તિઓને આદર આપવા માંગે છે! પરંતુ બોઈ વિધિ નિયુક્ત જરથોસ્તી ધર્મગુરૂઓ દ્વારા પાંચ ગેહમાં કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન કોઈ ભક્તે બેસવું કે ઊભું રહેવું જોઈએ તે કોઈ જાણીતા ઝોરાસ્ટ્રિયન ગ્રંથમાં જણાવવામાં આવ્યું નથી. જો કે, ધાર્મિક પરંપરાના ભાગરૂપે, ધર્મગુરૂઓ આતશ નિઆએશ અર્પણ કરવા તેને માન આપવા હંમેશા ઊભા રહે છે. આથી, જો ભક્ત બોઈ સમારંભ સમયે આતશ નિઆશની પ્રાર્થના કરી રહ્યો હોય, તો તેણે આતશને માન આપવા ઊભા રહેવું જોઈએ.
જોવામાં આવતા મુખ્ય શિષ્ટાચારમાંનો એક એ છે કે પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકવું જોઈએ. પારસી ધર્મમાં, વાળને નાસો અથવા મૃત પદાર્થ તરીકે જોવામાં આવે છે. તેથી, બધા પારસીઓએ તેમના માથાને ઢાંકવું જરૂરી છે, ખાસ કરીને પ્રાર્થના કરતી વખતે અથવા ધાર્મિક સમારોહમાં હાજરી આપતી વખતે અથવા અગિયારી અથવા આતશ બહેરામની અંદર હોય ત્યારે માથું ઢાંકવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે વાળ જે ખરી જાય છે તે આસપાસના ધાર્મિક વાતાવરણને અશુદ્ધ
બનાવે છે.

Similar Posts

  • બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે શું ચાહશો?

    એ સર્વ શક્તિવાન કુલ જેહાનના પેદા કરનાર મહા દયાળુ દાદાર હોરમજદ! મારા હકમાં ભલું શું છે તે તુંનેજ રોશન છે, વાસ્તે જે કાંઈ મારા હકમાં ભલું હોય તેજ તું કરજે. હું કેસાસી યાને મારા રવાન પર પડેલા હાવીઅત=એઝાબના અંધકારી પરદાને ઉચકવા ખાતર તેમજ ગયા ભવોનાં ખરાબ કર્મોના ભોગવટાને ખાતર પાછો આ દુનિયામાં જન્મ્યો છું. તેમાંથી…

  • આહમદ મા-બાપને ભુલ્યો

    આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો…

  • Parsi Pride Brigade

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] PT’s Parsi Pride Brigade celebrates the academic performances of our young achievers who have triumphed in the Board exams, across schools and colleges. We are delighted to feature our bright sparks who make our community proud! We invite you to celebrate your success too with our community and feature in PT’s Parsi Pride…

  • |

    Brilliant, Bubbly, Beautiful Binaisha!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]‘PT Bright Spark’ is Parsi Times’ endeavour to promote and encourage our youth in their enterprises and efforts towards achieving greatness, by sharing the inspirational achievements and journeys of their peers who are well on their way to becoming the Youth Icons of our community! PT catches up with one such dynamic Bright…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 10; Lucky Card: Wheel Of Fortune): You need to take the world in your stride. Travel abroad is indicated. This month assures you of financial stability. Remember that any…