પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે.
બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની અગ્રણી હોટેલ મેનેજમેન્ટ કંપની જે લાહોરમાં 5-સ્ટાર ડીલક્સ હોટેલ, 5-સ્ટાર અવારી ટાવર્સ અને દરિયાકિનારે આવેલી બીચ લક્ઝરી હોટેલ સહિત અવારી હોટેલ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તેમના વ્યવસાયિક કૌશલ્ય ઉપરાંત, બેરામ રાષ્ટ્રીય કક્ષાના નાવિક હતા અને તેમણે સેલિંગમાં પાકિસ્તાન માટે એશિયન ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેઓ પાકિસ્તાનમાં અને વૈશ્વિક સ્તરે પરોપકારી તરીકે પારસી સમુદાયમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. દેશ માટે તેમની સેવાઓ માટે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 7 ફેબ્રુઆરી, 1941ના રોજ કરાચીમાં દિનશા અને દિનશા અવારીના ઘરે જન્મેલા, જેઓ પારસી સમુદાયના પ્રભાવશાળી નેતાઓ પણ હતા, બેરામે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયનું ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ કરાચી પારસી અંજુમન (1990)ના અધ્યક્ષ હતા અને તેમણે અન્ય ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું પણ નેતૃત્વ કર્યું હતું.

Similar Posts

  • ગવ-પત-શાહ (ગોપતશાહ)

    આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….

  • હસો મારી સાથે

    એક છોરો ક્ધયા જોવા ગ્યો… એલી ગરબા રમતા આવડે…? છોરી: હકણ…ગરબા, ડાંડિયા, નાચતા હન્ધુય ફાવે… એલી સીવતા ફાવે…? છોરી: હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે… એલી રાંધતા ફાવે..? છોરી: હકણ…ઢોકળા, થેપલા, પાટવડી, પુડલા, ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે એલી ભણી કેટલુક હે…? છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે… છોરો: તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે…

  • પથરી અને લોખંડની વીટી

    પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના…

  • KESARI

    “Tum log humsey better hotey toh tum hamaarey ghulaam nahi hotey,” says gora British army officer, Lawrence (Edward Sonnenblick) to his subordinate Havaldar Ishar Singh (Akshay Kumar). And this, after the Havaldar demonstrated raw courage in the face of extreme danger, by jumping to the rescue of an Afghan woman about to be beheaded as…

  • કોસ્ટલ રોડ બનાવવાને કારણે પારસી ગેટને અસ્થાયી ધોરણે ખસેડવામાં આવશે

    કોસ્ટલ રોડ પ્રોજેકટ દરિયા કિનારેથી એક કિલોમીટરના અંતરે ખેંચીને હેરિટેજ સમિતિની મંજૂરી મેળવ્યા પછી, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન પારસી ગેટને અસ્થાયી ધોરણે સ્થાનાંતરિત કરશે. તારાપોર એકવેરિયમની સામે આવેલ પારસી ગેટનો ઉપયોગ પારસી સમુદાયના લોકો પાણીની પૂજા કરવા માટે કરતા હોય છે. ટનલની યોજના કરતા બીએમસી બાંધકામના કામ સાથે આગળ વધવા માટે અસ્થાયી ધોરણે પારસી ગેટની સ્થળાંતર…

  • From the Editors Desk

    Dear Readers, The New Year has indeed started on a good note for our community members, with projects dedicated to the upkeep and betterment of our religious and cultural heritage. Deserving of our foremost appreciation and gratitude is the ongoing renovation taking place at our sacred Doongerwadi, driven by the dedicated and continuous efforts of…