નવસારીમાં આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉપસ્થિતોને ધાર્મિક વિધિ તથા તાજા પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સદીઓથી આપણા સમુદાય દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ પછી જશન સમારોહ યોજાયો હતો, જેનું સંચાલન એરવદ ફીરદોશ કરકરીયા અને તેમની ટીમ દ્વારા નવસારી ડુંગરવાડીની બાજુમાં, પૂર્ણા નદીના કિનારે, ટાટાનો વજીફોના સુંદર પ્રાકૃતિક પરિસરમાં હળવા નાસ્તાનું વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
અગાઉ, નવસારીમાં લગભગ દરેક પારસી પરિવાર પાસે કુવા હતા અને ઘરની મહિલાઓ ત્યાં પ્રાર્થના કરતી. પરંતુ આધુનીકરણના આગમન સાથે અને આ રીતે મેટ્રો શહેરોમાં સ્થળાંતર થવાથી, કુવાઓ સાથેના થોડા જ પારસી ઘરો બાકી છે, અને તેઓ સંસ્કૃતિને વળગી રહ્યા છે. નવસારીનો બાકીનો પારસી સમુદાય પાણીના પવિત્ર તત્વની પૂજા કરવા માટે સમુદાય એકસાથે આવીને આ ધાર્મિક વિધિ કરે છે.

Similar Posts

  • ThyroHealth!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • |

    તંત્રીની કલમે

    વહાલા વાંચકો, આ વરસે અમે ફરીવાર વિશેષાધિકાર લઈ તમારી સામે પારસી નવું વરસ વિશેષાંક રજૂ કરી રહ્યા છે. આપણા જીવનનો એક મુખ્ય પાસાનો આનંદ છે આપણા સંબંધો.. જે આપણા સુખ અને શાંતિને સુરક્ષિત કરવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે, સબંધો જે કુટુંબ અને મિત્રો સાથે છે, અહુરા મઝદા સાથે, આપણા શિક્ષકો તથા ડોકટરો સાથેના…

  • From The Editor’s Desk

    We Will Miss Meherwanji… Berry Much! Dear Readers, Before all else, on behalf of Team Parsi Times, I thank you for the innumerable congratulatory and encouraging messages you sent us for Parsi Times Seventh Anniversary and our Anniversary Issue. We are, as always, grateful and delighted with your constant feedback, guidance and support, which has…

  • યથા

    ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ…

  • Living the Zoroastrian Way Of Life – Part II

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]As we make our way into a brand new year with renewed goals and hopes and dreams, let us always remember the basics of our existence and identity as proud Zoroastrians. When we walk the path laid down by our great Prophet Zarathushtra, happiness, peace and success are imminent. In this conclusive part…