પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

નવું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ધાનદાર સાથે મચ્છીનો પાટિયો નહીં તો તળેલી મચ્છી હોય જ છે. તમે ઉદવાડા જાવ ને બોઈ ની મચ્છી નહીં ખાવ તો કેમ ચાલે?

લગન  અને નવજોતમાં ખાસ કરીને આપણે સાસની મચ્છી અને પાત્રાની મચ્છી ખાવાજ જઈએ છીએ. તેટલું જ નહીં પણ મીઠાસમાં પણ આપણી પસંદ ‘માવાની બોય’ હોય છે. તો એવું શું છે કે આપણે મચ્છીને સગનની મચ્છી માનીએ છીએ.

આ સમજવા માટે આપણને પહેલા માછલીના રહેઠાણ વિશે જાણવું પડશે. માછલીનું જીવન એટલે પાણી અને પાણી એટલે જ્ઞાન સાથે અંતરનો મેલ માને છે. પાણી અને પ્રજનન શક્તિ અને જન્મ આપવો એ બન્નેનો સાર છે. જરથોસ્તી ધર્મમાં આવાં અરદવિશુર અનાહિતા પાણીની દેવી જન્મ આપનાર સ્ત્રીને આશિર્વાદ આપે છે. પાણીથી જ જીવન છે આ કહેવત ખાલી ધાર્મિક નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ માન્ય છે. આ બધી તાકત જે પાણીમાં છે તે માછલીઓમાં પણ છે એવી માન્યતા છે. માછલીની અસંખ્ય પ્રજાતિઓ છે.  જેમાં પ્રજનન ક્ષમતા, મરણોત્તરજીવન રચનાત્મક, સ્ત્રીત્વ, ફોર્ચ્યુન, સુખ, જ્ઞાન અને પરિવર્તન જે સામાન્ય રીતે પ્રાણીમાં કેટલાક મુખ્ય સાંકેતિક અર્થ છે.

ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓમાં માછલીને પવિત્ર ગણવામાં આવતી હતી. જ્યાં તે પરિવર્તન અને પરિવર્તનના પ્રતિકાત્મક અર્થનું આયોજન કર્યુ હતું. અમે એફ્રોડઈટ અને હેરોસના પૌરાણિક કથામાં આ જોયું છે. જ્યારે તેઓ ભયંકર ટાઈફોનથી બચવા પોતે માછલી બની જતા હતા. ખિસ્તી ધર્મમાં બાઈબલની વાર્તાઓમાં માછલીઓમાં જોવા મળતી વિપુલતા એ તેમના વિશ્ર્વાસનું પ્રતિક છે.

ભારતીય પૌરાણિક કથાઓમાં માછલી રૂપાંતર અને બનાવટનું પ્રતિક છે. આ પૌરાણિક કથામાં જોવા મળે છે. જેમાં વિષ્ણુ એક મહાન પૂરથી દુનિયાને બચાવવા માટે પોતાને માછલી (મત્સય અવતાર)માં રૂપાંતરિત કરે છે. આ સ્વરૂપમાં તેમણે મનુની હોડીમાં જેમા બચેલા જીવના બીજ સમાવિષ્ટ છે અને પૂર શાંત થયા પછી ફરી વિશ્ર્વ બનાવવાની તક આપે છે. આ કથા નોવાસ આર્કને શાહ જમશીદના વાર  સાથે મેલ ખાય છે.

ચાઈનામાં માછલી એકતા અને વફાદારીનું સાંકેતિક છે કારણ કે એ નોંધવામાં આવ્યું છે કે માછલી  ખાસ કરીને જોડીમાં એક સાથે તરી જાય છે આને ધ્યાનમાં રાખી વફાદરી અને સંપૂર્ણ સંઘની શુભ નિશાની  સાથે નવા લગ્ન કરેલ દંપતિને આર્શિવાદ અને માછલીને પૂતળાના રૂપમાં ભેટ તરીકે આપવામાં આવે છે. તેઓ પ્રજનન અને વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે તેમનામાં ઝડપથી પ્રજનન કરવાની ક્ષમતા છે.

બૌધ્ધ ધર્મમાં માછલીને સુખ અને સ્વતંત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. અને માછલીને બુધ્ધની આઠ સંજ્ઞાઓ (અષ્ટમંગલા)તરીકે ઓળખવામાં આવે છે. જયારે નોર્સ અને પ્રાચીન યુરોપિયન સંસ્કૃતિમાં માછલી અનુકૂલનક્ષમતા, નિર્ધારણ અને જીવનના પ્રવાહનો સાંકેતિક અર્થ છે. સેલ્મોનને સામાન્ય રીતે તેમની વાર્ષિક તીર્થ યાત્રામાં તેમના નિર્વાહ માટે તેમના આશ્રય સ્થાન માટે આદરણીય છે.

આખી દુનિયામાં માછલીને પવિત્ર અને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. માછલીની રચના કુદરતી વિશ્ર્વના સૌંદર્ય અને વિપુલતાના પ્રતીક તરીકે સાર્વત્રિક અપીલ ધરાવે છે. આજે પણ, તેહરાન (ઈરાન) નજીક રાય ખાતે આવેલા એક પ્રાચીન સાસાનિયન મંદિરના ખંડેરોમાં, એક મંદિરની દિવાલોની પ્રશંસા કરતા ઉત્કૃષ્ટ માછલી પ્રતીકો જોઈ શકીયે છીએ. સાયરસ ધ ગ્રેટના મહેલના ખંડેરોમાં, એક ગ્રેટ કિંગની મૂર્તિ માછલી પ્રજાતિનો મુગટ પહેરેલો જોઈ શકીયે છીએ. સાયરસ મિસરના ફારુન હતા અને પ્રાચીન ઇજિપ્તવાસીઓ નવજીવનના પ્રતીક તરીકે તિલીપિયા માછલીના ચિત્રોનો ઉપયોગ કરતા હતા. મહારાષ્ટ્રના મહાસાગરના ખંડેરોમાં એક માણસ જેનો એક પગ માછલીની પૂછડીના રૂપમાં જોવા મળે છે. આજની તારીખમાં પણ ઈરાની અને જરથોસ્તીઓ નવરોઝના ટેબલ પર જીવંત ગોલ્ડફિશનો વાટકો રાખે છે. ઝોરાસ્ટ્રિયન મિસ્ટિકમાં માછલી અંધારામાં પણ પદાર્થનો સૌથી નાનો ભાગ જોઈ શકે છે.

નવસારીના પ્રથમ દસ્તૂર

મેહરજીરાણા રહસ્યવાદી દસ્તૂર અઝાર કૈવાનના શિષ્ય હતા.

દસ્તુર કૈવાન અને મહેરજી રાણા બ્રહ્માંડમાં રહેલ અંધકાર જે આપણે જોઈ શકતા નથી પણ  આધ્યાત્મિક શક્તિઓના લીધે તેઓ જોઈ શકતા હતા.

માછલીઓ ખાસ કરીને જેમ જ્ઞાન, ફળદ્રુપતા, કાયાકલ્પના રૂપ સમાન છે તેવી જ રીતે  આ વર્ષ પારસી સમુદાય માટે

શુભદાયી જાય.

Similar Posts

  • A ‘Fast’ Cure!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • થોડું ચલાવી લેતા પણ શીખો!!

    હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ…

  • APP Holds Annual Awards Function

    The Ahmedabad Parsi Panchayat (APP) held its Annual Awards Function on the lawns of Sir Navroji Vakil Hall, Sanatorium, on 12th January, 2020. About thirty Zoroastrian residents of Ahmedabad were recognized for their outstanding performances in academics and other areas, and awarded by Brig. (Retd) Jahangir P. Anklesaria, VSM President, APP. Pervin Gandhi Variava, Sunny…

  • ‘Paw’portunity Comes Knocking!

    On 3rd September, 2017, ‘Pawportunity’- an initiative by Zeenia Master, organised a ‘Pet Adoption Drive’, with the aim to pair willing parents with their ideal fur-child(ren). Held at Yiamas, the drive witnessed fifty-two registrations for adoption, six registrations for foster families, a total donation sum of Rs. 6,070/-, with three puppies finding their forever homes!…