વાડિયાજી આતશ બહેરામે 188મી સાલગ્રેહની ઉજવણી કરી

સરોશ રોજ, અર્દીબહેસ્ત મહિનો ને તા. 2જી ઓકટોબર, 2017ને દિને શેઠ હોરમસજી બોમનજી વાડિયા આતશ બહેરામે 188મી સાલગ્રેહની સવારે અને સાંજે બે જશનો કરી ઉજવણી કરી. સવારના જશનની ક્રિયા સ્ટે. ટા. 10 કલાકે એરવદ આદિલ ભેસાન્યા અને બીજા એકત્રીસ મોબેદો દ્વારા કરવામાં આવી હતી. વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ અને એરવદ પરવેઝ બજા અને મુંબઈની અન્ય અગિયારીના મોબેદોએ ભાગ લીધો હતો. ટ્રસ્ટી, ફરોખ કાવારાણા અને એરવદ નાદિર મોદી આ પ્રસંગે હાજર હતા તથા મોટી સંખ્યામાં જરથોસ્તી સમુદાયે ભાગ લીધો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *