તેહમુરસ પાદશાહ

દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે ઓઝોરેમંદ યઝદ, આ મુરાદ અને બક્ષ તે ‘તમામ દેવો, જાદુગરો અને પરીઓને જેર કરનાર થાઉ.’ અવસ્તામાં એને ‘અઝીનવાઓ’ એટલે હથિયારબંદ કહેલો છે. તેણે સેપાહાન (એસ્ફહાન) નામનું શહેર બાંધ્યું હતું એ પાદશાહના રાજય અમલમાં મોટો દુકાળ પડયો હતો. ત્યારે તવંગરોને ફરમાસ્યું હતું કે દિવસમા એક જ વેળા ખાઈ ગરીબોને બીજી વેળનું ખાણું (જમણ) મુફલિસો ને આપવું. રોજા (ઉપવાસ) રાખવાનો રિવાઝ એના વખતથી ચાલુ થયો હતો.

એના વખતમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે લોકો પોતાના ગુજરેલાં વ્હાલાઓની લાકડા, પથ્થરની અને સોના ‚પાની મૂર્તિ બનાવી ગુજરાન ચલાવતા હતા. તેણે મર્વ અને બલ્ખનો શહેરો વસાવ્યા હતા.

Similar Posts

  • આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓમાં સાજા કરવાની શક્તિ

    આપણામાંના કેટલાક લોકો માને છે કે પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ ગાથાઓના સંદેશને અનુરૂપ નથી. અશો ઝરથુષ્ટ્રનો દિન અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અથવા અજ્ઞાતના ભય પર આધારિત નથી. આમ છતાં, ઝોરાષ્ટ્રિનિઝમમાં ધર્મશાસ્ત્ર અને ધર્મની ધાર્મિક વિધિઓની પરંપરા બંનેનો પૂરેપૂરો સમાવેશ થાય છે. ‘ધાર્મિક વિધિઓ’ અને કારણ આ બંને આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયાનાં પૂરક પાસાં છે, જેનો જન્મ જીવનના રહસ્યો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7th November – 13th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તરફથી માન-સન્માન મળતું રહેશે. તમારા મિત્રો કે સગાવહાલાઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. તમારા અટકેલા કામ પૂરા કરવા માટે કોઈની ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ધન બચાવવાની કોશિશ અવશ્ય કરજો….

  • |

    હોળી રંગબેરંગી રંગોનું પર્વ!

    ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. કારણ છે હોળી. ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પણ ભળે છે. આ તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવથી બાકાત છે. આ દિવસ તો દુશ્મનો માટે પણ ગળે મળવાનો દિવસ છે. દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર…

  • જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

    દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા…

  • હોમમેડ ચીઝ સ્પ્રેડ

    સામગ્રી: એક લીટર દૂધ, સ્વાદમુજબ મીઠું, એક વાટકી મોળું દહીં. (ચીલી ફ્લેકસ અથવા પીસેલી રાઈ, અથવા ગાર્લીક ઓપશન્લ) રીત: એક લીટર દૂધ લેવું તેમાં થોડું મીઠું નાખવું અને લીંબુ અથવા વીનેગર નાખી દૂધને ફાડી લેવું. તેને એક કપડામાં બાંધી લેવું. બધુ પાણી નીતરાઈ જાય પછી તેને કાઢી લેવું તેમાં ચીઝના બ્રે ક્યુબ અને એક વાટકી…

  • અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું

    દિવાળીના તહેવારનો સાર સંસ્કૃત શ્લોકમાં છે: તમસો મા જ્યોતિર્ગમય જેનો અર્થ થાય છે મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. આ શ્લોક બ્રહ્મદારણ્યક ઉપનિષદ (1.3.28) માં જોવા મળે છે: અસતો મા સદ ગમાયા. તમસો મા જ્યોતિર ગમાયા. મૃત્યુર મા અમૃતમ ગમયા, જેનો અર્થ છે: જે નથી તેમાંથી, મને જે છે તે તરફ દોરી જાઓ; અંધકારમાંથી, મને…