પારસી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ

પ્રાર્થના અને ધાર્મિક માન્યતા એ છે કે ધર્મ માત્ર તત્વજ્ઞાનથી અલગ પડે છે.  પ્રાર્થના અને ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક  ઉત્સવનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતતા પેદા કરવાનો છે, જે બદલામાં, આધ્યાત્મિક વિદ્યાનું સમજણ અને સમજૂતી જાણવા મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ પણ એક માધ્યમ પૂરું પાડે છે, જેના દ્વારા અદ્રશ્ય આધ્યાત્મિક દુનિયાને જોઈ શકાય છે.

વિશ્ર્વાસ, ખૂબ જરૂરી છે. એક વખત એક માસ્ટરે કહ્યું, ‘આધ્યાત્મિક જીવનમાં, વિશ્ર્વાસ પ્રથમ આવે છે, પછી જ્ઞાન અને પછી અનુભવ.’ નિષ્ફળતાને કારણે શ્રદ્ધા શરૂ થાય છે કોઈ હેતુ વિના જ્યારે ધ્યાન ધરીયે છીએ ત્યારે ત્યાં શ્રધ્ધા ઉત્પન્ન થાય છે. શાણપણ મેળવવા માટે વિશ્ર્વાસ જરૂરી છે. શ્રદ્ધા અંધ માન્યતા સાથે ગેરસમજ ન થવી જોઇએ તે શાણપણ મેળવવા માટે આત્માના અંદરનો અવાજ છે. જો શ્રદ્ધા સતત હોય તો, તે ભક્તને શાણપણની અનુભૂતિ તરફ લઈ જાય છે. ખરેખર, ડહાપણનો માર્ગ શ્રદ્ધાથી છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ, જ્યારે સમજણ, લાગણી અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે, ધાર્મિક જાગરૂતતાની પ્રક્રિયામાં એક શક્તિશાળી સાધન બની જાય છે. ઉદાહરણ તરીકે, કસ્તીની ક્રિયાની સૌથી મૂળભૂત અને સરળ રીતને લો. દરેક વખતે ભક્ત આ ધાર્મિક વિધિઓ કરે છે, તે દુષ્ટતા સાથે લડત કરી દાદર અહુરા મઝદાની ઇચ્છાને પ્રોત્સાહન આપે છે.

‘અવેસ્તા એ મૃત ભાષા નથી કારણ કે પારસીઓ તેને બોલવાનું પસંદ કરે છે. તે પવિત્ર ભાષા છે.’ જેમ હિંદુઓ સંસ્કૃત ભાષાને પવિત્ર અને દેવોની ભાષા માને છે. તેવી જ રીતે ભક્તિભર્યા જરથોસ્તીઓ અવેસ્તાને યઝતની ભાષા તરીકે માને છે. આપણી પવિત્ર માંથ્રવાણી જે દૈવી ઊર્જાથી ભરેલી છે અને ભકતો જ્યારે શ્રધ્ધા અને ભક્તિભાવથી મંત્રોચારણ કરવામાં આવે છે ત્યારે આસપાસનું વાતવરણ પણ પ્રભાવિત થઈ જાય છે. અવેસ્તા માથ્રવાણીએ અહુરામઝદાની ઉર્જા છે.

ભૌતિક રીતે ખોરાક માટે અનાજ જરૂરી છે. તેમજ આધ્યાત્મિક નિર્વાહ માટે પ્રાર્થના મહત્વપૂર્ણ છે. ‘આતશ નીઆએશ’ પવિત્ર આતશ પાસે ભણો અને જુઓ એ તમને શારિરીક અને આધ્યાત્મિક રીતે પ્રોત્સાહિત કરે છે. ‘અર્દીબહેસ્ત યશ્ત’ નિયમીત રીતે ભણો અને જુઓ તમારી જૂની બીમારીઓ કેવી રીતે ભાગી જાય છે. ‘હોરમઝદ યશ્ત’ શકય તેટલીવાર ભણો અને જુઓ કે અહુરામઝદા તમારી આસપાસ રહી તમારૂં કેવું રક્ષણ કરે છે. ‘સરોશ યઝદ’ ભણો અને તમારી આધ્યાત્મિકતાની કેવી વૃધ્ધિ થાય છે તે જુઓ. મુશ્કેલીના સમયે હમેશા ‘બહેરામ યઝદ’ની આરાધના કરો. ‘આવા યઝદ’ ભણો શાણપણ માટે. સૂચી ઘણી લાંબી છે….!

અને, દરરોજ, અનુક્રમે માત્ર 21 અને 12 શબ્દોની બે સૌથી શક્તિશાળી પ્રાર્થના, યથા અને અશેમ ભણો સવારે ઉઠતાની સાથે જ અશેમ ભણો તથા સુતા કે જમતા પહેલા પણ અશેમ અવશ્ય ભણો. જ્યારે ખરાબ કે નેગેટિવ વિચારો આવતા હોય ત્યારે પણ ભણો.  ઘરમાંથી નીકળો ત્યારે તથા કંઈપણ નવું કરો ‘યથા’ અવશ્ય ભણજો. હું મારૂં કોમ્પ્યુટર શરૂ કરતા પહેલા અને નવા આર્ટિકલ લખતા પહેલા અવશ્ય ‘યથા’ ભણું છું. તેનાથી ફકત મને આશિર્વાદજ નથી મળતા પણ હું જે કંઈ યોજના વિચારૂં છું તે હેતુની ઉંડી સમજણ મને આપે છે.

નિયમીત પ્રાર્થનાથી ‘ડોકટરો હમેશ દૂર રહે છે.’ સંશોધકોએ શોધી કાઢયું છે કે 36% લાકો જે નિયમીત પ્રાર્થના કરે છે. તેઓનું સ્વાસ્થ્ય સારૂં રહે છે જ્યારે 29% લોકો જે લોકો પ્રાર્થના કરતા નથી. તે લોકોનું સ્વાસ્થ્ય 36% કરતા વધારે ખરાબ હોય છે. એમ પણ માનવામાં આવે છે કે ધાર્મિક લોકો નકારાત્મક પરિસ્થિતિમાં પણ પોતાની જાતને સંભાળી શકે છે. નિશંકપણે નિયમીત પ્રાર્થના કરનાર પોતાના વિશ્ર્વાસને ટકાવી રાખે છે. જોવા જઈએ તો અશોજરથુસ્ટ્રના ગાથા પણ જીવંત છે. માત્ર દાર્શનિક અર્થઘટન દ્વારા નહીં પરંતુ સતત ધાર્મિક ઉપયોગ દ્વારા.

‘જેમ શ્ર્વાસ વગર જીવી શકાતું નથી તેમ જરથોસ્તી પ્રાર્થના વગર જરથોસ્તી નથી.’ આપણે આપણી પ્રાર્થનાઓના સકારાત્મક ક્રિયાઓ સાથે સંકળાયેલા છીએ અને આપણે ખરેખર ધર્મ જીવી રહ્યા છીએ અને પારસી ધર્મને જીવનનો એક માર્ગ બનાવીએ છીએ.

Similar Posts

  • હસો મારી સાથે

    પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે…

  • Neomi Rao Sworn In As Powerful DC Court Judge in USA

    On March 23, 2019, prominent Parsi Indo-American lawyer, Neomi Jehangir Rao, was sworn in as US Circuit Judge for the District of Columbia Circuit Court of Appeals, thus becoming the second from the Indo-American community to be a part of the powerful court which is considered next only to the US Supreme Court. 45-year-old Neomi…

  • Forlorn Is Life Without Faith In Thee, Ahura Mazda

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Replenish and restore my faith when it grows dim and light, Ahura Mazda, for life loses its luster when it loses its faith. Life is resplendent and…

  • તમારા પરિવારનેે સમય આપો!

    મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને…

  • Patience Is The Key

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] With over a decade of experience and success in the field of finance and investing, leading Financial Consultant, Mehran Felfeli, owner of the investment consultancy firm, Ethix, tells us to keep calm and not make brash decisions or react impulsively to the volatile market conditions. [/otw_shortcode_info_box] The Equity market has been limping…

  • Your Moonsign Janam Rashi This Week –
    20 January, 2018 – 26 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી બુધ્ધિ ચાલશે નહીં. તમે તમારા વિચારમાં ખોવાયેલા રહેશો. કામ પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. રોકાણ કરશો નહીં. તમારા માથાનો બોજો વધી જશે. રાહુ…