રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ.

રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ પર પહોંચી ગયો. ત્યાં શહેનશાહ ઘણે મહિને પહેલીજ વાર દરબાર ભરી બેઠેલો હતો. શાહજાદાના ગુમ થવાની ગમગીની હજી ચાલુ જ હતી. તેઓ સૌ માની બેઠેલા કે શાહજાદો તો જરૂર મરણ પામ્યો હશે. તેથી સૌ જણ બહુ શોકાતુર જણાતા હતા.

આવી સ્થિતિમાં જ્યારે શહેનશાહ અને તેના દરબારીઓ બેઠા હતા ત્યાં ખુદ શાહજાદો જીવતો જાગતો હસતો ફરતો આવી પહોંચ્યો! સૌની ખુશાલી અને અજાયબીનો પાર ન રહ્યો! બાદશાહ તો ખુશાલીથી શાહજાદાને ભેટી પડયો! તેની આંખોમાંથી હર્ષના આંસુ ચાલ્યા જતાં હતા.

શહેનશાહે પોતાના વહાલા બેટાને પૂછયું કે પેલો કરામતી ઘોડો કયાં છે? શાહજાદાએ કહ્યું ઘોડો અહીંથી થોડે દૂર આપણા શહેર બહારના મહેલમાં છે. સૌને મળ્યા બાદ તેણે પોતે ઘોડો લઈ ઉડી ગયા પછી બંગાળની રાજક્ધયાના મહેલમાં જઈ કેમ ઉતર્યો અને તે રાજકુંવરીએ કેવી તેની મહેમાનગીરી કરી તે હકીકત કહી.

પછી શાહજાદાએ શહેનશાહને પોતાના મનની વાત પણ કહી કે બંગાલની રાજકુંવરી અને પોતે પ્યારમાં પડયા છે અને રાજકુંવરી મને પરણવા પણ કબૂલ થઈ છે માટે જો શહેનશાહ શાદી કરવાની રજા આપે તો તે રાજકુંવરી તેને યોગ્ય સન્માન સાથે, શહેરમાં દાખલ કરવી અને પછી ધામધુમથી તેમના લગ્ન કરી આપવા.

શહેનશાહને તો આ વાત સાંભળી બમણી ખુશાલી થઈ તેમણે કહ્યું, ‘ચાલ બેટા! હું જ જાતે રાજકુંવરીને લેવા આવું છું અને આજે જ તારી સાથે તેના લગ્ન કરી દઉ.’

શહેનશાહે તુરત શોક દૂર કરી આનંદ ઉત્સવ કરવા આખા શહેરમાં ઢંઢેરો ફેરવવાનો હુકમ કાઢયો અને પછી કહ્યું કે પેલા કેદમાં પડેલા ઘોડાના માલેકને છૂટો કરી મારી પાસે તેડી લાવો.

તુરત જ બાદશાહના હુકમ પ્રમાણે થયું. પેલા હિંદીવાનને કેદમાંથી છૂટો કરી બાદશાહ આગળ તેને ઉભો કરવામાં આવ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Get Ready For WINGS’17

    Wings’17, the All-Parsi Sports and Cultural Festival, organized in association with the Sir Ness Wadia Memorial Pavilion, will kick off on 26th October, 2017, with over three hundred teams and individual registrations. Wings’17 promises to be a buzzing festival with a jam packed schedule including indoor and outdoor sports and virtual gaming. Its finale event…

  • અહુરા મઝદાની સંપ્રદાય

    સમયની શરૂઆતથી, મનુષ્ય સંગઠિત પૂજાના કેટલાક પ્રકારનું પાલન કરે છે. આ એ હકીકત દ્વારા સચિત્ર છે કે કેટલાક તેમના પૂર્વજોની આત્મામાં માનતા હતા, કેટલાક પૃથ્વી અને ઉદારતાની ઉપાસના કરતા હતા, કેટલાક મૂર્તિપૂજક દેવતાઓને અનુસરતા હતા પરંતુ આ બધામાં જે સાર્વત્રિક છે તે એ છે કે તે બધાએ માન્યતા પદ્ધતિ મુજબ તેમના જીવનને આકાર આપ્યો છે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 Decemmber – 24 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ ગુરુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલાં પૂરી કરી આપજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. કોઈક જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં કસર રાખતા નહીં. થોડીક બચત ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું…

  • ધર્મ એટલે શું?

    ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત…

  • Letters To The Editor

    Jiyo Parsi- May Our Tribe Increase Jiyo Parsi- May Our Tribe Increase Three years back the Government of India launched the Jiyo Parsi scheme offering medical expenses for treatment of fertility to Parsi couples. This scheme was well intended and resulted in producing 108 babies in three years. In the earlier days, about four children were normal…