સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો
હરેક ચીજ હમેશા મેળવવાના બાબમાં તે મેળવનારનો મરતબો કેવી રીતનો છે તે ઉપર આધાર રહે છે. આ એક કુદરતનો અચુક કાયદો છે. જેવી લાયકાત તેવાજ અને તેટલાંજ મરતબામાં એક માનવીને અણદીઠ શકતી મળી શકે છે. આ કાયદાને આધારેજ સરોશ યઝદ દરેક ઉરવાનની સાથે તેની પોતાની રહેણી કરણી તથા અશોઈના પ્રમાણ મુજબજ રહી શકે છે અને જો ઉરવાન અશોઈના માર્ગમાં (યાને દીની તરીકતો પાળવામાં) હોતું નથી, તો તેની સાથે સરોશ યઝદ જોઈએ તેટલા મરતબામાં યા તો બીલકુલ રહી શકતા નથી. આ કારણને લીધેજ દરેક જરથોસ્તીઓએ પોતાની જીંદગી જરથોસ્તી અશોઈની તરીકતો પાળીનેજ ગુજારવાની ખાસ જરૂર છે તે જાણવું.
સરોશ યઝદ અશોઈના મરતબા પ્રમાણે ઉરવાનને સ્તોત યાને ઉપરથી આવતા અસરે રોશનીના શ્રેષ્ઠ પ્રવાહો પહોંચાડી, ખનીરથબામી આ દુનિયાનો સંબંધ હમેશનો છોડાવી મહેરે તથા રશ્નેની મારફતે છ કેશ્ર્વરો ઉપલી આલમના વિભાગોમાંથી ચલાવીને ઉપરની નીસ્તીએ-અવ્વલની યાને રૂહાની આલમ પસાર કરાવીને આમ અવ્વલ મંઝલ પુગાડીને 3જી જીરમાની ગૃહોની આલમમાં અષની અરદીબહેસ્ત અમેશાસ્ંપદની સત્તામાં સોંપીને પછી ત્યાથી ચોકકસ લાયક મરતબાના ઉરવાનોને બેહમન અમેશાસ્પંદની મારફતે છેક અહુરમઝદ નજદીક તે રવાનને પહોંચાડી આપે છે. તેટલા માટે, મીથ્ર યાને વિચારો હમેશા કુદરતના અષના યાને રાદી વ્યવસ્થાના કાયદાનુસાર હસ્તીના માર્ગ માટેના ઉંચ રાખીને મીથ્રને લાયકના ‘માથ્ર’ જે અવસ્તાના કલામો આપણા વખ્શુરે-વખ્તશુરાન પેગામ્બર સાહેબે બક્ષેસ આપેલા છે તે એજમતી ઉત્તમ સુખશાંતિ અને આનંદ આપનારા કલામોના સ્તોત મેળવીને ‘મહેર યાને સચ્ચાઈ અખત્યાર કરીને કેશાશ યાને એકમેકનું માગતુ લેણું અદા કરવાનો બારીક કાયદો સમજીને તે મુજબ અમલ કરીને સાથે સાથે ખોરેહને લગતી નિરંગ યાને તરો લેવાની તથા પવિત્ર ખોરાક (માસ મચ્છી જેવા કોહતા નસા વગરના) ખાવાની તથા બાલ, નખ, દસ્તાન, મની વગેરે દરેક તરીકતો એક બસ્તે કુસ્તીઆન પાળે તેમજ અશોઈની જાલવણી કરે તોજ સરોશ યઝદ સાહેબની પનાહ મળે.
આપણી દરેક ન્યાએશ, યશ્ત સાથની બંદગી કરતી વખતે આપણે યઝદી સ્તોતના પ્રવાહો સાથે યજમઈદે યાને એકતાન થઈએ છીએ. આવી રીતે જ્યારે ખરેખરી અશોઈ સાથની બંદગી વખતે એક બંદગી કરનાર જરથોસ્તી યઝદો તરફથી આવતા પ્રવાહોની સાથે એકતાન થાય છે તે વખતે તે યઝદો તરફથી મળતો અહુનવરનો નાદ સંભળાવવાનું કાર્ય સરોશ યઝદ બજાવે છે. તેનું કારણ એ કે સરોશ યઝદ નીસ્તીમાં બધા અમેશાસ્પંદો-યઝદોની કુલ્યાતી ફરમાન-બરદારીનું ઉતયુઈતીનું કેહર્પ છે. બંદગી કરનાર જે કાંઈ સ્તોતનો જબા અશોઈ પરહેઝગારીથી કીધેલી અવસ્તા બંદગી દરમ્યાન કોઈબી યઝદ તરફથી મેળવે છે, તે પોતે સરોશના નાદ તરીકે તેને આવી મળે છે.
એજ પ્રમાણે આતશ બહેરામ જેવાં પાક મકાનની અંદર જ્યાં આતશ બહેરામ સાહેબને તખ્તનશીન કીધેલા હોય છે ત્યાં સરોશનો નાદ ચાલુ આવ્યા કરે છે, કારણ કે મીસ્વાને-ગાત્વે-અવ્વલ (નીસ્તીની શરૂઆત) પર મીનો કરકોનાં કુદરતી આતશ બહેરામમાં સરોશ યઝદનું તખ્ત છે, જ્યાં તેવણ સાહેબ ચાલુ બોય દે છે, યાને કે હસ્તીના મીનોઈ તેમજ જીરમાની આલમોના આતશોના પ્રવાહોને ચાલુ ઝીલીને નીસ્તી-ગેતીને બનાવીને પોષણ આપીને ટકાવીને તેઓના બુલંદ ફ્રશો-ગર્દના છેડાએ લઈ જવાની નાદર ક્રિયામાં મશગુલ રહે છે. સરોશ યઝદના આ મીનો કરકોના આતશ બહેરામની સાથે અહીં તખ્ત-નશીન થયેલા સર્વે ગેતીના આતશ બહેરામોને મરતબા મુજબ સંબંધ ચાલુ રહે છે. અને આવી રીતે આતશ બહેરામના પાક મકાનમાં સરોશનો નાદ ચાલુ આવતો હોવાથી તે મકાનમાં અશોઈ અને પરહેજગારી પાળનારે કીધેલી બંદગી ઘણીજ અસરકારક થઈ પડે છે અને આપણો અનુભવ પણ કહે છે કે આતશ બહેરામના પાક મકાનમાં બંદગી કરી આવ્યા પછી આપણને કાંઈ અજાયબ પ્રકારની અંત:કરણની ખુશાલી તથા મનની શાંતિ વગેરે માલમ પડે છે.આપણે સાધારણ રીતે સાંભળતા આવ્યા છીએ, કે સરોશ યઝદ બસારત કરે છે. ‘અહૂ’ ખીલવેલા યાને એક સાચ્ચા અંત:કરણવાલા અશોઈ પ્રમાણે ચાલનાર શખ્સને પોતાના અંત:કરણ તરફથી જે કાંઈ કુદરતમાં છે. તેનું ભાન થાય યાને કે કોઈ અમુક બાબદમાં કુદરતમાં ઉસુલ્યાતી યાને અસલમાં જે કાંઈ પડેલું છેજ તેની માહીતગારી થાય, તોજ તે ખરેખરી બસારત યાને આગમચેતી કહેવાઈ શકાય, અને આવી ખરેખરી બસારત યાને આગમચેતી કહેવાઈ શકાય અને આવી ખરેખરી બસારત સરોશ યઝદનર મારફતથી ઉરવાનના મરતબા અને તેની અમલ્યાત પ્રમાણે મળી શકે છે. એકવાર ઉરવાન અને કુદરત સરોશ યઝદની મારફતથી ગોયા એકતાન થઈને રહે છે જેને યજમઈદે થવું કહે છે. એટલે પછી કુદરતમાં જે કાંઈ અચુક કાયદાઓ કામ કરી રહ્યા છે. બસારત મેલવવા માટે, કુદરતને કાયદાઓને આપણી પોતાની મેળે સમજવા માટે તરીકતો પાળી ‘અહુ’ યાને અંત:કરણનો સ્વભાવ એટલે કુદરતમાં ખરૂ અને ખોટું શું છે તે પીછાનવાની શકતી ખીલવી ખાલેસ થઈને બાતેન મીથ્ર સાચવી અંદરખાનેના વિચારો સ્વચ્છ રાખી સરોશ યઝદનો ચાલુ ઉસુલ્યાતી સ્તોત મળતી વખતે તે ઉરવાનને કુદરતની દરેકે દરેક ક્રીયા સમજ પડી જાય છે અને તેના પોતાના રેહબર પોતાની સાથે દરેક પળે પોતાની અંદર અને આસપાસ ચાલુ હોય તેમ ઉશ્તા યાને ખરેખરી ખુશાલી તે રવાનને પ્રાપ્ત થાય છે. (ક્રમશ)

Similar Posts

  • શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

    તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ…

  • વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

    આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે. વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો…

  • From The Editor’s Desk

    And We’re Twelve! Dear Readers, It brings me great joy to share with you that your favourite publication completes twelve very fulfilling and meaningful years, this weekend! Parsi Times’ journey has indeed been one filled with service, satisfaction and pride, having started out in 2011, to quickly become the voice of the community. We are…

  • મહોબ્બત ઝિંદાબાદ

    જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી…