કાસની રાણી સોદાબે

એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા કૌસથી  કદી છૂટી પડીશ નહી. જો તમે તેને જમીનમાં દાટશો, તો ત્યાંથી પણ છૂટી પડીશ નહીં. જ્યારે કૌસના હાથમાં તમોએ બેડી નાખી છે ત્યારે મને બી ગુનેગાર માની મારી નાખવી.’ જ્યારે આ શબ્દોની રાજાને ખબર પડી, ત્યારે તેણે સોદાબેને પણ કૌસ સાથે પહાડ પર બંદીખાને નાખી.

હવે ઈરાનનું તખ્ત પાદશાહ વિનાનું થયું. તેનો લાભ લઈ અફ્રસીઆબે ઈરાન પર હુમલો કીધો. ઈરાની સરદારોએ આ સઘળી માઠી ખબર રૂસ્તમને જાબુલસ્તાનમાં પહોંચાડી. રૂસ્તમ કૌસને છોડવવા પાછો નીકળ્યો. તેણે પહેલે કૌસને દિલાસોનો પેગામ કહેવાડયો કે ‘તું ફકીર ના કર, હું તુંને છોડાવવાને આવું છુ.ં’ પછી હમરાવરાનના પાદશાહને પેગામ મોકલ્યો કે ‘એમ દગલબાજી કરવી સારી નથી. માટે કૌસને છોડી દે નહીં તો હું ચઢાઈ લાવીશ.’ હમરાવરાનના રાજાએ પોતાના પડોશના બે મુલકો, બરબરીસ્તાન (બારબરી) અને મીસર (ઈજીપ્ત)ના પાદશાહોની મદદ માગી. પણ છેવટે તે રૂસ્તમને હાથે હાર્યો અને રૂસ્તમે, કૌસને સોદાબેને અને બીજા ઈરાની સરદારોને કેદમાંથી છોડવ્યા.

કૌસ આ બે મુશ્કેલીઓમાંથી છુટવા પછી પણ ધરાયો નહીં. તેણે અવારનવાર બેહુદા કામો કર્યા કીધા અને તેમાં ખતા ખાધી ત્યાર પછી તે એક બીજી રાણી સાથે પરણ્યો અને તેણીને પરણવાની તેની રીત પણ તેની એવીજ બેહુદી ચાલ દેખાડે છે. જ્યારે એક ખુબસુરત બાયડીના હાથ માટે બે જણા તેની પાસે ઈન્સાફ માગવા આવ્યા, ત્યારે તે પોતે તે બાયડી સાથે પરણી નીકળ્યો એ બાબે ફીરદોસી નીચલી હકીકત કહે છે:

એક દહાડે શાહજાદો તુસ, ગેવ, ગોદરેજ અને બીજા પહેલવાનો શિકારે ગયા. શીકાર કરતાં કરતાં તુસ અને ગેવ એક જંગલમાં આવી પહોંતા કે જંગલમાં તેઓએ એક અત્યંત ખુબસુરત નારને જોઈ. તેણી સરવના ઝાડ જેવી સીધી અને માહતાબ જેવી સુંદર હતી. તુસે તેણીને તે જંગલમાં એકલી આવવાનો સબબ પૂછયો. તેણીએ કહ્યું કે ‘હું ફરીદુનના ખાનદાનથી ઉતરી આવેલી છું, અને કરસેવઝના સગપણમાં છું. મારો બાપ અહીં સરદાર છે. ગઈ રાતે તે શાદીની એક મિજલસમાંથી શરાબમાં તદ્દન ચકચુર થઈને ઘેર આવ્યો અને દૂરથી જોઈ શરાબની તે ચકચુરીમાં મને તલવારથી કાપી નાખવા આવ્યો. હું નાઠી. મારી સાથે જરજવાહેર હતા તે માર્ગમાં મારાજ રખેવાળોએ લૂટી લીધા છે. મારો ઘોડો તદ્દન થાકી જવાથી હું પાઉપેઆદી અંતરે આવી છું. મારા બાપની ખુકારી ઉતરશે ત્યારે તે મને શોધવા આવશે. અને મારી મા પણ મને ખોરવા આવશે.

(ક્રમશ)

Similar Posts

  • ઘરમાં મુક્તાદની ઉજવણી

    સમગ્ર વિશ્વમાં પારસીઓ તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દસ દિવસને મુક્તાદ તરીકે ઉજવે છે. સામાન્ય રીતે મુક્તાદને મૃતકોને યાદ કરવાના દિવસો તરીકે જોવામાં આવે છે. આ દુનિયા અને આપણા ઘરોમાં આત્માઓ અને ફ્રવસીઓને આવકારવા, તેમને યાદ કરવા અને તેમને આતિથ્ય આપવા માટે મુક્તાદ એક આનંદદાયક પ્રસંગ છે. તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો આ…

  • Parsis Seek PM’s Intervention To Save Our Pious Places

    The past couple of weeks have witnessed our Community get rattled and unite to take action against the potential damage that could be caused to our places of worship by the ongoing Metro III construction work. Most Parsi pages on social media platforms and WhatsApp have been buzzing non-stop with notifications asking community members to…

  • પ્રેમ એ આપવાની ચીજ છે!

    ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’ ‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે…

  • મેંગો કસ્ટર્ડ હલવો

    સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર 4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ. રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ…

  • Jam-e-Jamshed and Parsi Times Unite Under Sole Management

    Jam-e-Jamshed (JJ), the community’s oldest (184 years old) weekly newspaper has teamed up with its five-year-old and equally popular counterpart, Parsi Times (PT), under the sole management of Parsi Times Multimedia Pvt. Ltd., which will have a common board of Directors. The aim behind this unison is two-fold – to add to the commercial viability…

  • New Postage Stamp For Dadabhai Naoroji

    Parsi Times is delighted to share that another commemorative postage stamp on Dr. Dadabhai Naoroji has been designed and will soon be released by the government during his death centenary year. Speaking to Parsi Times, President of the Empire of India Philatelic Society and the Bombay Parsee Association, Vispi Dastur said, “The first stamp on…