રિધ્ધી સિધ્ધીને પરણતા ગણેશ

હિંદુ પુરાણોમાં વર્ણન કર્યુ છે ભગવન ગણેશને બે પત્નીઓ છે રિધ્ધી-સિધ્ધી. એમની સાથેના લગ્નની કથા તો વધુ જ રૂચી અપાવે તેવી છે. ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને ગણેશની સેવાથી ખુશ હતા. તારકાસુરના વધ પછી પુત્ર કાર્તિકનો જન્મ થયો. જેમને આપણે સુબ્રહ્મણ્યના નામથી પણ ઓળખીયે છીએ.

જ્યારે બન્ને બાળકો મોટા થઈ ગયા તો શિવ-પાર્વતની તેમના લગ્નની ચિંતા થવા લાગી એ લોકો ચાહતા હતા કે તેમના લગ્ન સમય પર થઈ જાય. લગ્નની બાબતમાં બન્ને બાળકો ઝઘડવા લાગ્યા અને બન્નેના ઝઘડાનો અંત લાવવા શિવ અને પાર્વતીએ યોજના બનાવી. તેમણે તેમને જણાવ્યું કે અમે બન્ને તમને એક સરખો પ્રેમ કરીએ છીએ. તમારા બન્નેમાંથી સૌથી પહેલા લગ્ન કોણ કરશે તે માટે અમે સ્પર્ધા રાખી છે. તમારા બન્નેમાંથી પૃથ્વીનું ચકકર જે પહેલા મારીને આવશે તેના લગ્ન જ પ્રથમ કરવામાં આવશે. આ સાંભળતાંજ કાર્તિક પોતાના વાહન મોરને લઈને નીકળી પડયો. પરંતુ ગણેશ જેમને બુધ્ધિના દેવ પણ કહેવામાં આવે છે. તેમણે પોતાના માતા-પિતાને સાથે બેસાડયા અને તેમની પ્રદક્ષિણા ફર્યા. પ્રદક્ષિણા પૂરી કરી આ તરફ કાર્તિક પણ આવી ગયો. હવે કાર્તિક કહેવા લાગ્યો કે ‘તે પૃથ્વીની પ્રદક્ષિણા ફરી પહેલા આવ્યો છે તેથી તેના લગ્ન પહેલા થવા જોઈએ.’ આ તરફ ગણેશજીએ જણાવ્યું કે વેદો અનુસાર આપણા માતા-પિતા જ આપણી દુનિયા હોઈ છે તો શરત મે જીતી છે એટલે પહેલા મારા લગ્ન થશે. આ સાંભળી શિવ અને પાર્વતી ખુશ થઈ ગયા અને તેમણે ગણેશના લગ્ન પહેલા કરવાનું નકકી કર્યુ. આ સાંભળી કાર્તિક મનસા નદી પાસે ક્રુંચા શ્રેણી તરફ નીકળી ગયા.

હવે એ તો નકકી થઈ ગયું કે ગણેશના લગ્ન પહેલા થશે પરંતુ તેમના હાથીના મોઢા અને સુંઢને લીધે તેમની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું. આથી તેમનો ગુસ્સો વધતો જતો હતો. હવે તેમણે બીજાઓના લગ્નમાં વિઘ્ન નાખવાના શરૂ કર્યા. તે પોતાના ઉંદરને દર ખોદવા કહેતો અને તે દરમાંથી જ તે બીજાઓના લગ્નમાં પહોંચી જતા. દેવતાઓની મુશ્કેલીઓ વધી જવા પામી અને તેઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ બે સ્ત્રીઓનું સર્જન કર્યુ જેમનું નામ રિધ્ધિ-સિધ્ધિ હતું અને તેમના લગ્ન ગણેશ સાથે કરવામાં આવ્યા. આ બાદ તેમને બે પુત્ર થયા જેમનું નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું હતું.

Similar Posts

  • લોભિયા અસલાજી

    હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા!…

  • Fitness Tip Of The Week – What’s The Right Time To Work-out?

    Is there an appropriate time to exercise? Is there a perfect timing when you can get the most out of your workout? Yes! Human beings are driven by an internal body clock where your sleep and wake rhythms are based on a daily cycle known as the ‘Circadian Rhythm’ which is regulated by light. Circadian…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો…

  • શેરિંગ ઈઝ કેરીંગ

    ‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે…

  • જાલેજરની બાનુ રોદાબે 

    હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર…

  • રૂમઝુમ કરતું આવ્યું નવું સાલ!

    એમ તો સમગ્ર વિશ્ર્વમાં નવું વર્ષ અલગ અલગ દિવસોએ ઉજવવામાં આવે છે અને ભારતના વિવિધ ક્ષેત્રોમાં પણ નવા વર્ષની શરૂઆત અલગ અલગ રીતે ઉજવાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1લી જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થાય છે કારણ કે 31મી ડિસેમ્બરે એક વર્ષનો અંત પછી 1 જાન્યુઆરીથી નવા અંગ્રેજી કેલેન્ડર વર્ષનો પ્રારંભ થાય છે. તેથી આ…