શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

પણ એક નવુંજ કોતક તેની નજરે પડયું. એકાએક તે મહેલને લગતો એક છુપો દરવાજો ઉઘડી ગયો અને તે રસ્તેથી આશરે વીસ સ્ત્રીઓ નિકળી આવી. તેઓની વચમાં સુલતાના પોતે હતી. જે બાંદીઓ સુલતાના સાતે હતી તેઓએ પોતાના મોઢાં ઉપરનો બુરખો ઉઠાવી લીધો તથા જે મોટા ઝભા પહેરેલો હતા તે તેઓએ કાઢી નાખ્યા. શાહ ઝેનાન જોઈ અચરત થયો કે તેઓમાં દસ ગુલામો હતા અને તેઓ દરેકેે એકેક સ્ત્રી પસંદ કરી લીધી. સુલતાના પોતાના હાથની તાળી વગાડી મશૌદ! મશૌદ! એ રીતે પોકાર કરવા લાગી. તેજ વેળા એક ગુલામ તેની આગળ દોડી આવ્યો અને તેઓ ત્યાં સર્વે એક બીજા સાથે છુટથી વાતચીત અને ગમત કરવા લાગ્યા!
શાહ ઝેનાને આ કૌતુક જોયું ત્યારે બોલવા લાગ્યો કે મે મારા મનમાં વિચાર્યુ હતું કે મારા સરખો કમબખ્ત બીજો કોઈ હશે નહીં પણ આ હિસાબે તો મને એમ વિચારવાને કાંઈ પુરતો સબબ રહેતો નથી કારણ દુનિયાજ પાપમાં ગિરફતાર છે’ પછી તેને પોતાના દિલમાંથી ગમગીની કાઢી નાખી. તેને પ્રથમની પેઠે ખાવા પીવા માંડયું અને ઘણોજ સારો સ્વભાવ અખત્યાર કીધો અને જ્યારે સુલતાન વિશકાર કરી પાછો ફર્યો ત્યારે તે પોતાના ભાઈને હસ્તે મુખે એસ્તેકબાલ લેવા ગયો.
સુલતાન પોતાના ભાઈને ખુશ જોઈને ઘણોજ રાજી થયો અને કહેવા લાગ્યો કે ફ્યારા બીરાદર હું જોતો આવ્યો છું કે જે દિવસથી તમે મારી દરબારમાં આવ્યા છો તે દિવસથી ઉદાસીથી તમે હેરાન છો પણ હાલ હું તમને ઘણાજ ખુશ મિજાજમાં જોઉં છું. તેથી મને કહો કે તમો પહેલા એટલા ઉદાસ કેમ હતા અને હા ખુશ મિજાજમાં છો તેનું કારણ શું?’
એ ઉપરથી તે સમરકંદનો શાહ કેટલો વખત સુધી મોટા વિચારમાં પડયો કે પોતાના બીરાદરને કયા પ્રકારનો જવાબ આપવો પણ અંતે તેણે આ મુજબ જવાબ આપ્યો કે ‘પ્યારા બિરાદર તમને મને જવાબ આપવો પડશે. હું કોઈબી બાહનું બતાવી મુંગો રહેનાર નથી. તેણે વિચાર કર્યો કે ભાઈને ખુલાસો આપીશ તો તેનું દિલ જરૂર દુ:ખી થશે. પણ જ્યારે તેણે જોયું કે તેના ભાઈની જીંદની સામે તે થઈ શકતો નથી ત્યારે સમરકંદની રાણીની દગલબાજીની સર્વે હકીકત તેની આગળ તેણે કહી સંભળાવી અને બોલ્યો કે મારા દિલમાં જે ગમે મુકામ કીધો હતો તે આ સબબથી હતો તેથી પ્યારા બીરાદર તમેજ વિચાર કરો કે ગમગીન રહેવાને મારી પાસે પુરતો સબબ હતો કે નહીં? એટલું બોલી તે પાછો ખામોશ રહ્યો.
પણ શાહ શેહરીયાર આટલા ખુલાસાથી સંતોષ પામ્યો નહીં અને બોલ્યો તમારી ગમગીનીનું મૂળ તો મેં જાણ્યું પણ તે ગમગીની એકાએક કેમ જતી રહી તેનો સબબ જાણવાનો હું ઘણો આતુર છું માટે પ્યારા બીરાદર કાંઈબી બાબત છુપાવ્યા વગર તમો પૂરતો ખુલાશો કરશો એવી મને આશા છે.
(ક્રમશ)

Similar Posts

  • Tribute To Dadabhai Naoroji, The Grand Old Man of India

    The 4th of September marked the Birth Anniversary of one of our Community’s greatest legends – Dadabhai Naoroji (born on 4 September, 1825). Having earned the title of the ‘Grand Old Man of India’, Dadabhai Naoroji was perhaps one of the greatest leaders of our nation, having known to have influenced among many others, Mahatma…

  • થેન્કયુ ભગવાન, તારો આભાર

    શીરીનને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશાલીઓ અને પોતાના દુ:ખ એક ડાયરીમાં લખી લેતી હતી. દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા…

  • In Line With The Truth

    BPP Trustee Kersi Randeria Rubbishes False Claims By Phiroze Amroliwalla And Shares Facts . Over the last week, I have received a number of queries and requests from community members as regards the malicious and unfounded lies being spread about me, by a certain Phiroze Amroliwalla, in a Sunday-rag which surely qualifies as the torch…

  • રૂસ્તમની બાનુ તેહમીના

    સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 July – 22 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો…