વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!

વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે.

ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે. દશેરો જે શુભ તિથિઓમાં આવે છે તેથી લોકો નવા કામની શરૂઆત આ દિવસથી કરે છે. કારીગર લોકો પોતાના શસ્ત્રની પૂજા પણ આ દિવસે કરે છે. દશેરાનો તહેવાર જે દસ પ્રકારના પાપો જેમા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિસા અને ચોરી જેવા દસ અવગુણોને છોડવાની પ્રેરણા આપે છે.

ભારત એક ખેતીપ્રદાન દેશ છે અને દશેરા ને સમયે જયારે ખેડૂત પાક ઉગાવી અનાજ રૂપી સંપત્તિ ઘરે લઈ જાય છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી હોતો અને ભગવાનનો આભાર માનતા તે પૂજા કરે છે.

દશેરાનો સંબંધ નવરાત્રિ સાથે પણ છે કારણ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ પણ આ સમયે કર્યો હતો. દશેરો જે નવરાત્રિ પછી એટલે કે દસમે દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ જે ભગવાન રામની પત્ની સીતાનું અપહરણ કરી તેને લંકા લઈ ગયો હતો. ભગવાન રામ જે દુર્ગાના ભક્ત હતા. જેમણે યુધ્ધ દરમ્યાન નવ દિવસ મા દુર્ગાની પૂજા કરી દસમે દિવસે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે વિજયાદસમી એક મહત્વપૂર્ણ દિવસ  તરીકે ઉજવાય છે. રામના વિજયના પ્રતીક રૂપે આ દિવસને વિજયા દસમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાની ઉજવણી માટે મોટા મોટા મેળાઓનું આયોજન કરવામાં આવે છે આજ સમયે રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. રાવણનું મોટું પુતુળું બનાવી તેને બાળવામાં આવે છે. રાવણની સાથે તેનો ભાઈ કુંભકર્ણ તથા તેનો દીકરો મેઘનાદના પુતળાને પણ બાલવામાં આવે છે. કલાકારો રામ, સીતા અને લક્ષ્મણનું રૂપ ધારણ કરે છે. સત્યનો બુરાઈ પર વિજય તરીકે પણ આ તહેવાર મનાવવામાં આવે છે.

Similar Posts

  • જીની ડોસા

    સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ. અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો,…

  • Avan Yasht II – Why Is The Sea Salty? (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the ongoings in the BPP, with Parsi Times’ exclusive column, BPP Connect .[/otw_shortcode_info_box] On the 23rd of this month our Board will complete two years in office, a journey that has been as memorable as it has been gratifying. I can honestly say that I…

  • Nina Wadia Awarded OBE

    52-year-old popular UK-based actor of Parsi Origin, Nina Wadia, was named among the awardees to be conferred the prestigious Officer of the Order of the British Empire (OBE) distinction in 2021. The list, as announced on 30th December, 2020, recognised her ‘Services To Entertainment And Charity’. She is best known for playing the lead roles in…

  • સંજાણ ડે ભપકાદાર રીતે ઉજવાયો!

    16મી નવેમ્બર, 2019ની સવારે, જ્યારે મુંબઈથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન જે સંજાણ સ્ટેશન પર ઉભી રહી હતી ત્યારે તેનો અર્થ એક હોઈ શકે કે તે હતો આપણોે ભવ્ય સંજાણ ડે! આશરે હજાર જરથોસ્તીઓ આ શુભ દિવસની ઉજવણી કરવા માટે સંજાણ સ્તંભની આજુબાજુના મેદાનમાં એકઠા થયા હતા, જે સવારે 9:30 કલાકે જશન સમારોહથી શરૂ થયો હતો, ઉદવાડા…