બંદગીને લગતા થોડાક કાયદાઓ

ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ છે. આપણી આસપાસની બધી દરૂજી શકતીની ખરાબ અસરોને તોડી નાંખવામાં સફેદ રંગ ઘણી કીંમતી મદદ કરે છે. તથા ખુરશેદ યા ને સુરજના બધા કિરણો બધા રંગોને એકસરખી અસ્પંદીમાં રાખે છે તેથી સફેદ રંગનો પોષાક આપણી જરથોસ્તી દએનમાં સૌથી સરસ ગણેલો છે. બીજું ભણતી વખતે માથાપરના બાલો બધી બાજુથી ઢંકાય તેમ રૂમાલ માથા પર (મરદોએ ટોપી તેમજ બાનુઓએ માથાબાના ઉપર)  મુકવો, કારણ કે માથા પર બાલો છેક કપાળ વેરથી સફેદ રૂના કપડાંની ટોપી તેમજ માથાબાનથી ઢાંકી તેની પર બીજે કટકો મુકી તેને પેવંદ આપી ભણવાનું અસલ જરથોસ્તી ફરમાન છે. તેમ કીધાથી બાલમાંથી ચાલુ નીકળતા ખરાબ પ્રવાહો ધીમે ધીમે બહાર ખેંચાય છે અને આપણી અઈપીને યાને મેગ્નેટીઝમને અડચણ આવતી નથી. વાસ્તે માથુ હમેશા છેક કપાળવેરથી ચાલુ આખો વખત ઢાંકેલું રાખ્યાથી માથામાંથી નીકળતા ખરાબ પ્રવાહોને ગરમી લાગ્યાથી તે પ્રવાહો નીર્મૂળ અસરગ વગરના થાય છે. જેથી શુભ ખોરેહ કપાઈ જતું અટકે છે. આવી રીતે કુદરતના આવા ઉંચ કાયદાનો આપણે ભંગ કરતા નથી કારણ કે આપણી અઈપી-મેગ્નેટીઝમની જાળવણી વગર ઉરવાન કદી આગળ વધતું નથી તેમજ શરીર સુખી રહેતું નથી. આપણા પેગામ્બર સાહેબે અઈપી(મેગ્નેટીક વાતાવરણ)ની જાળવણી માટે ઘણી મોટી ફરજો આપણાં માથે મૂકી છે તે ખુબ ધ્યાનમાં રાખવું. બીજું ભણતી વખતે હાથમાં તેમજ પગમાં સફેદ મોજા પહેરવા કારણ કે હાથ-પગના નખોમાંથી નીકળતા ખરાબ પ્રવાહો બંદગી કરતી વખતે તેના ખોરેહમાં ખલલ કરતી નથી.

Similar Posts

  • Don’t Change The Face, Face The Change!

    Dear Readers, For many of us, ‘Change’ is a big, bad word. We’re creatures of habit. Change is inconvenient, scary even. But change is growth, and as the saying goes, ‘there’s no growth in the comfort zone, and there’s no comfort in the growth zone’. The most challenging of all changes to imbibe, is a change in mindset….

  • Popular Parsi Myths XII

    Over the past year, Parsi Times ran 12-part series on ‘Parsi Parabs’ which was very well received and received great feedback from our readers. This was followed by a 12-part series on ‘Popular Parsi Myths’, which won ever greater appreciation! Parsi Times is thankful to our erudite Zoroastrian Scholar, Noshir H. Dadrawala, whose immense religio-cultural…

  • From The Editor’s Desk

    Happy Birthday To PT! Dear Readers, As Parsi Times completes a successful sixth year and sets foot into its glorious seventh orbit, on behalf of all at Parsi Times, I thank you – our ardent readers and steadfast supporters – for your boundless encouragement, high-spirited participation and invaluable guidance through this momentous journey. Thanks to…

  • ભાગ્યનું તીર

    આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે….

  • અંતે, એક ઠરાવ!

    12મી ઓક્ટોબરના રોજ યોજાયેલી છેલ્લા સપ્તાહની બીપીપી બેઠક દરમિયાન, બીપીપીની ચૂંટણીઓ ફરીથી મુલતવી રાખવાનો ઠરાવ, આ વખતે ઓક્ટોબર 2022 સુધી, માત્ર બે ટ્રસ્ટીઓ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમુદાય વધુ અને સતત દૂર થઈ શકે છે. ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટી વિરાફ મહેતાએ આ ઠરાવ પસાર કર્યો, ટ્રસ્ટી ઝર્કસીસ દસ્તુરની ગેરહાજરીમાં, ચેરપર્સનના વધારાના…