હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

સાસાનીઅન ઈરાનની આણ હિન્દ પર હતી એવો ઈતિહાસ જાહેરમાં નથી પણ સિકકાઓ વિગેરેથી તે સિધ્ધ થાય છે. વળી ઈરાનીઓ વ્યાપાર અર્થે ઠરીઠામ હિન્દમાં થયેલા અને પોતાના ધાર્મિક સંસ્થાઓને ખુદ સાસાન જમાનામાં સ્થાપેલી, તેવી કંઈબી ખુલ્લી ઈતિહાસિક નોંધે આજે નથી. પણ સાસાનીઅન શહેનશાહતના પડવા પછીથી પારસીઓ દેશાગમન કરી ઈરાનને છોડી જતા હતા તેની વિગતો પર જોયું તેમ ઐતિહાસિક છે. પારસીઓ જમીન પર દેશવટો લીધો છે. તેમ દરીયો ઓળંગીને દેશવટો લીધો છે. મઝદયસ્ની ઈરાનની કરોડોની વસ્તી કયા ગઈ? તેઓ આજે મઝદયસ્ની તરીકે નહીં મુસલમાન તરીકે તો રહેવીજ જોઈએ ને? આના ઉકેલ માટે મઝદયસ્નાનો દેશાગમન કરી ઈરાનને છોડી ગયેલા તેને ખૂબ ધ્યાનમાં લેવાનું છે.
આવા દરિયો ઓળંગીને દેશપાર થવાના બે દાખલાઓ અરબ ઈતિહાસમાંથી પ્રોફેસર ઈનોસત્રનસેવ એશીઆટીક જર્નલમાં આપે છે. એ પ્રોફેસરે જાહેર કીધું કે બલાધુરી નામના અરબ ગ્રંથકારે લખ્યું છે કે જ્યારે અરબોએ કેરમાનને જીત્યું ત્યારે ત્યાંથી પારસીઓ દરીયો ઓળંગીને નાસીને દેશપાર થયા હતા. કેટલાકો મકરાન તરફ, કેટલાકો સીજીસ્તાન તરફ પણ ચાલી ગયા હતા. વર્ષો પછી એ પ્રોફેસર એશીયાટીક જર્નલમાં લખે છે કે બીજો એક દરીયા પારનો પારસી દેશાગમન થયેલો હશે તેની નોંધ મને મળી છે. કહે છે કે યાકુત નામના અરબે જૂની ઈરાની ભુગોળ લખી છે. તેમાં યાકુત લખે છે કે હમઝા ઈસ્પહાની નામનો મોટો ઈરાની મુસ્લીમ ઈતિહાસકાર થઈ ગયો છે જેણે લખ્યું છે કે યુબુલ્લા નામનું એક મોટું ઈરાની બંદર હતું.
આ બંદરમાં ઈરાની મઝદયસ્નાનો દરયાઈ વેપાર ચલાવતા હતા. જ્યારે અરબો જીત મેળવી આ યુબુલ્લા બંદર આગળ આવ્યા કે ઈરાની પારસીઓ એટલે જરથોસ્તીઓ 400 વહાણો ભરીને દરીયો ઓળંગીને સીંધ તરફ ચાલી ગયા. તેઓએ ત્યાં આતશકદેહો બાંધ્યા, તેઓના વારસા હજુ લગી ત્યાં છે. આ બે નોંધો મુસલમાનોના ઈતિહાસમાંથી મળે છે તે ઉપર મનન કરાવે માલમ પડે છે કે સાસાનીઅન શહેનશાહત પછીથી જમીન માર્ગે તેમ દરીયા માર્ગે દેશાગમનો થયાજ કરતા હતા. જમીન માર્ગે દેશાગમન થવા દેવાનું ઉત્તેજન તે પારસીઓને મળતી હશે તેની વિગત રતબીલ નામના પારસી સરદાર કે જેણે ઝાબુલીસ્તાનમાં અરબોને રોકયા હતા તે પણ જાણવા મળે છે. અને તેવા અનેક રતબીલો થયા હશે તે ઉપરથી જાણી શકાય છે. દરિયા માર્ગે દેશાગમન કરવા વહાણો જોઈએ. પ્રોફેસર હાદી હસદ પોતાની ચોપડીમાં વધુમાં જણાવે છે કે ઈરાનીઓ પાસે પુશ્કળ વહાણા હતા, વહાણોની નેવી હતી અને દરિયા મારફતે વેપાર કરતા હતા જે વારસો પછીથી અરબોને મળેલો હતો. ત્યારે ઉપર કહ્યું છે કે યુબુલ્લા બંદરમાંથી 400 વહાણો ભરીને પારસીઓ ચાલી ગયા તે તદ્દન જ ખરૂં છે. કેમ કે કહે છે કે યુબુલ્લા બાહરીનનું બંદર હતું. સત્તા હેઠળ રહીને વેપાર ચલાવવાની ના હશે નહીં. પણ અરબોએ બસરાનો પોર્ટ ઉભો કીધેલો હતો અને ત્યાં મોટું લશ્કર રાખીને ઈરાની જરથોસ્તી કળા કૌશલ્ય વ્યાપારનો નાશ કરવા ધારેલો માટેજ તે વેપારીઓને ત્યાંથી દરિયા મારફતે ચાલી જવાની ફરજ પડેલી. ત્યારે સાસાનીઅન જમાનાથીજ પારસીઓ હિન્દમાં હતા એ વાત ખરી છે જો કે તેની ઈતિહાસિક નોંધ ખુલ્લી નથી પણ સીકકા વિગેરે પરથી તે ખરી પડે છે.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • યુએઈ ક્રિકેટમાં યશના કોમીસેરીયેટનો ચમકારો

    15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા,…

  • Review: CRD

    Exponential, experimental and surreal are the three apt adjectives to describe a film of the unslottable genre – CRD. Set against the backdrop  of the Purushottam inter-collegiate drama festival  (a real-life event in Pune), CRD is a film one could watch again and again or simply wish it away,  depending on your penchant for theatre….

  • Let Me Rise Early With Bright Ushah’s Dawn

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Let me rise with the dawn. Let me cleanse my body with the purifying waters of Ardvi Sura and purify my spirit with prayer and be ready for…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 5; Lucky Card: Hierophant): Daily prayers cleanse the soul and soothe the mind, so ensure that you partake of the same. Finances would be stable. You are empowered by…

  • Fear And Prayers

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…