|

ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય .

હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ તમે હમેશા પોઝિટિવ વિચાર રાખશો તો આનાથી તમારા જીવનમાં હકારાત્મક આવશે અને તમને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળશે.

તમારા મનપસંદ સ્થળ પર જાવ: તમે તમારા માટે થોડો સમય કાઢી એવી જ્ગ્યા પર જાઓ જ્યાં તમને રાહત મળે. આ જ્ગ્યાએ જઈ તમે માનસિક શાંતિ અને ખુશી અનુભવશો.

અન્ય લોકો સાથે ખુદની તુલના ન કરો: એવુ ન વિચારો કે બીજો કેવો છે અથવા કે એ તમારા કરતા સારો છે આવા વિચારોથી તમારામાં હીન ભાવના આવશે. તમે માત્ર તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને વધુ સારી રીતે બનાવવાની દિશામાં કામ કરો. અન્ય લોકો સાથે તમારી જાતની તુલના ન કરવી .

તમારી સિદ્ધિઓની ઉજવણી: તમારી દરેક સિદ્ધિઓને સેલિબ્રેટ કરો, પછી ભલે એ નાની હોય કે મોટી, આવુ કરવાથી તમે ખુદને પ્રોત્સાહિત કરશો અને તમે વધુ આગળ વધી શકશો.

મનની વાત મનમાં ન રાખો: જો તમારા મનમાં છે તેને સ્પષ્ટરૂપે કહી દો. ઘણી વખત તમે તમારા મનની વાત કોઈને કહી નથી શકતા. જેથી તમને પછી ખેદ થાય છે. માટે કોઈ વાત મનમાં ન રાખવી.

Similar Posts

  • ‘Starlight’ At Malcolm Baug

    On 18th March, 2018, the Malcolm Baug Zoroastrian Association held its dazzling annual musical night, ‘Starlight’ at the Baug-grounds, bringing to life an evening filled with great energy, fun and exceptional talent in our Community. With Media Partner Parsi Times, ‘Starlight’, in its third year in 2018, showcased a range of brilliant performers across all…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 August – 02 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા….

  • Best Trekking Destinations This Monsoon!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Along with rains come the excitement of being one with nature and bringing out your trekking gear to explore and revel in the monsoon mania! Trekking gives you the opportunity to appreciate nature, and take that much needed break from virtual reality, reintroducing the calmness and serenity of the enticing mountains, woods…

  • સાધુ અને સયતાન

    ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: શા માટે આપણે એક સમુદાય તરીકે, હજારો વર્ષોથી ખર્ચાળ ચંદન જેવું બળતણ, અર્થહીન વિધિઓ અને અહુરા મઝદાને સીધી રીતે પ્રાર્થના કરવાને બદલે આતશને પ્રાર્થના કરીએ છીએ? શું જે પ્રાર્થના હાથ કરે છે તે હોઠો કરતા નથી? શા માટે અગિયારીઓની જાળવણીમાં આટલો બધો ખર્ચ કરીએ છીએ? મોંઘીદાટ ધાર્મિક વિધિઓ  પર ખર્ચ કરવા બદલ ગરીબો અને…