વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્ર્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.

 ખુદ ઈશ્ર્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, પૂનમના ચાંદ જેવી ઝળહળે છે?

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ પોતાની કવિતામાં કહ્યું છે કે, જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

માતા એ માતા જ છે. ભલે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે.

વળી બાળક દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્ર્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક હોય છે. જીવનનુ સબરસ મા છે, એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

આખા જગતનો આધાર માતાની આગળી છે. એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી?

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે,  એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે, તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ મા બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને

શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે…..!!

આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને બાળકનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે “છોરૂં કછોરૂં થાય પણ માતા કુમાતા ન થાય.

Similar Posts

  • Coping With Job Loss Anxiety During COVID-19

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Er. Dinshah Aspi Anklesvaria is a practicing priest and a Human Resources professional, working with the house of Tatas. He commands over thirteen years of experience in the hospitality and culinary sector in various capacities and expertise in the areas of  Human Resources and Training. [/otw_shortcode_info_box] The Pandemic’s Side Effects: The world over,…

  • ‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

    પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે…

  • જેહાન માદન નાવર બન્યા

    12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.

  • રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

    શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ…

  • Diana Doctor Recognised ‘EBW Rider Of The Week’

    India’s first automatic motorcycle wash machine company, Express Bike Works (EBW) recently announced biker, Diana Doctor as their ‘EBW Rider of the Week’ on 9th October. Riding since 1988, 46-year-old Diana’s love for cycling soon turned into a passion for riding bikes which was further encouraged by her Irani friend who first helped her try…

  • ‘Young Ladies’ School Inducts New Board Members

    The Young Ladies High School, one of Mumbai’s oldest schools, recently inducted Shahazad Gandhi – entrepreneur and co-founder of ‘The Holiday Shoppe’ and Trust Secretary of Sir JJPB Institute; as also financial adviser to Sir JJ Charity funds, Roxana Bhada on the Board of Trustees, consisting of Adi Jamshed Desai, Rustom Hormazdiyar and Piran Doctor….