પોપટને ઠાર માર્યો!

એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો.
જ્યારે તે ઘેર પાછો આવ્યો ત્યારે તેના ઘરમાં તેની ગેરહાજરીમાં શું શું બનાવ બન્યો તે વિશે તે પોપટને એકાંત વખત જોઈ, પુછવા વગર રહ્યો નહીં. તે વેળાએ તે પક્ષીએ જે કેટલીક હકિકત કહી સંભળાવી, તે ઉપરથી તેણી તેની બાયડીને ઠપકો આપ્યો. તેણી પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મારી કોઈ બાંદીએ મને છતી પાડી હશે પણ તેઓએ તેની ખાતરી કરી આપી કે તેઓ સર્વે તેણીની વિશ્ર્વાસુ સેવીકાઓઓ છે. આથી તેઓ સર્વે પોપટ ઉપર ભાંત લાવવા લાગ્યા. એ બાબતની સચ્ચાઈ વિશે પુછપરછ કરવાની તેની ઈચ્છા થઈ તેથી તે સ્ત્રીએ પોતાના ખાવિંદના મનમાંથી એવો વહેમ કાઢી નાંખવાનો, તેમજ અગરજો પોપટે તે ગુનાહ કીધો હોય તો તેની ઉપર વેર લેવાનો કાંઈ ઈલાજ શોધવા લાગી. બીજી વેળા જ્યારે તેનો ખાવિંદ ગેરહાજર રહ્યો ત્યારે રાતને વખતે પોતાની એક બાંદીને ફરમાવ્યું કે તે પંખીના પાંજરા હેઠળ ઘંટી ફેરવ્યા કરો ને બીજી બાંદીએ ફરમાવ્યું કે પાંજરા ઉપર વરસાદની પેઠે પાણી છાટે અને ત્રીજીએ ફરમાવ્યું કે દિવા આગળ આરસી ફેરવી તેનો ચમકાટ પોપટની આંખ ઉપર ફેંકયા કર. તે બાંદીઓ લગભગ આખી રાત પોતાની શેઠાણીની ફરમાશ મુજબ કામમાં રોકાઈ હતી અને તે કામ તેઓએ મનમાનતી રીતે પાર પાડયું.
બીજે દિવસે જ્યારે તેણીનો ખાવિંદ ઘરે પાછો આવ્યો ત્યારે તે પોપટને પુછવા લાગ્યો કે તેની ગેરહાજરીમાં જે કાંઈ બન્યું હોય તે કહી દે. તે પક્ષીએ જવાબ દીધો કે ‘મારા વહાલા શેઠ! આખી રાત સુધી ગાજવીજ, વીજળી અને વરસાદથી હું એટલો તો હેરાન થયો છું કે તેનું બ્યાન હું તમારી આગળ કરી શકતો નથી. તો ઘરમાં શું થયું તે કેમ જાણી શકું? પેલા ધણીને ખબર હતી કે તે રાત્રે કાંઈ તોફાન તો થયુ હતું નહીં તેથી તેને ખાતરી થઈ કે પોપટ કાંઈ સાચ્ચુ બોલ્યો નથી તેથી તેના મનમાં આવ્યું કે જેમ આજની રાતનો બનાવ તેણે ખરેખરો કહ્યો નહીં તેમ પેલી રાતની વિગત જે તેને પોતાની બાયડી વિશે કહી તે પણ ખોટી હશે. તે પોપટ સંબંધી ખોટો વહેમ રાખી તેની ઉપર તે તો શેઠ બહુ રીસે ભરાયો અને તે પંખીને પાંજરામાંથી બહાર કાઢી જમીન પર ઝીકી નાખી ઠાર માર્યો. પાછળથી તેનો પડોશીઓએ તેને કહ્યું કે ‘પોપટે કાંઈ તેને ઠગ્યો નથી.’ તે ઉપરથી તે પોતાથી બનેલા આ બેવકુફી ભરેલા કામને માટે તે પસ્તાવા લાગ્યો.
માછીએ તે જીનને કહ્યું કે ‘યુનાની રાજાએ જ્યારે આ વાત પૂરી કીધી ત્યારે તેણે વજીરને કહ્યું કે દુબાન હકીમે તારી સાથે કાંઈપણ બદી કીધી નથી તે છતાં તું તેને અદેખાઈનો મારયો મારી નાંખવા માંગે છે પણ પેલા શેઠે પોતાની બાયડીના ભમાવ્યાથી પોતાના ચંચળ પોપટને મારી પસ્તાવો કીધો તેમ હું કરનાર નથી. તે વજીર હકીમ દુબાનને મારી નાખવા માટે એટલો તો ખંતી થઈ પડયો હતો કે તે વિશેની વાત બંધ પડવા દેતો હતો નહીં. તે બોલ્યો ‘ઓ નામદાર શાહ! પોપટને મારી નાખવાનું કામ એ ઘણીજ હલકી વાત છે અને હું ધારતો નથી કે તેના મરણને માટે તેનો શેઠ ધણી મુદત સુધી શોકમાં રહ્યો હોય. અદેખાઈનો માર્યો હું કાંઈ તેની સામે થતો નથી. હું તેની સામે થાવ છું તેનું મૂળ કારણ એજ છે કે મને તમારા પ્રાણ સંબંધી ધાસ્તી છે અને મારો જીવ એવી બાબતમાં ઘણોજ આતુરતા ભરેલો રહે છે તેથી મને એવી અગત્યની બાબત ઉપર મારી તરફની સલાહ આપવાની મારી ફરજ સમજુ છું. અગરજો મારી ખબર ખોટી ઠરે તો જેમ ખોટી ખબર આપનાર એક વજીરને સજા ખમવી પડી તેમ મને પણ કરવી. તે યુનાની પાદશાહે પુછયું કે તે વજીરે એવું તે શું કામ કીધું કે તેને સજા ખમવી પડી તે વજીરે જવાબ દીધો જે તમો નામદાર પાદશાહ મહેરબાની કરી સાંભળો તો હું તે વાર્તા શરૂ કરૂં.
(ક્રમશ)

Similar Posts

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] . January (Lucky No. 6; Lucky Card: Lovers): Your health will be in good shape this month. Try to be focused and learn to move on. Financially, this is a good month…

  • Dr. Azmy Birdi Authors ‘What Pesi Did, A Surgeon’s Story’

    UK-based Dr. Azmy Birdi, an accredited Menopause Specialist who was awarded the Fellowship of the Royal College of Obstetricians and Gynaecologists (2009), has authored a book on the life and work of Dr. Pesi Bharucha, titled ‘What Pesi Did, A Surgeon’s Story’. Surgeons may possess outstanding surgical skills, but to be qualified as a ‘good…

  • જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

    અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો. જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ…

  • શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

    જરથોસ્તી કેલેન્ડર પ્રમાણે ખોરદાદ એ ત્રીજો મહિનો છે જેનો અર્થ થાય છે શુધ્ધતા અને સંપૂર્ણતાના આશિર્વાદો. ખોરદાદ એ  શુધ્ધ પાણીના પ્રાયોજક સાથે સંપૂર્ણતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરદાદ અને અમરદાદ માનવજીવનના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરતા બે ખ્યાલો – સંપૂર્ણતા અને અમરત્વ. ખોરદાદ યસ્તમાં, ખોરદાદ સંદર્ભિત એમ કહેવામાં આવે છે કે બધીજ ઋતુઓ સમયસર આવે. બીજા…

  • Hungry For More?

      [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#000287″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally….

  • Nazneen Bhatia Presents ‘Roshni’

    Mumbai-based Nazneen filmmaker, Nazneen Bhatia, has recently written, directed and produced a documentary feature film titled ‘Roshni’, which is currently streaming globally on Amazon Prime.  The documentary revolves around a woman named Roshni who lives in the land of the gods, known as Dev Bhoomi, and wishes to travel to the land of illusions, Mumbai…